SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ આસવ પ્રરૂપક ચતુર્થ અંકઃ સમયસાર ગાથા ૧૬૮ રાગાદિથી અસંકીર્ણ (અમિશ્ર) ભાવનો સંભવ અત્ર દર્શાવ્યો છે - “પક્વ – પાકું ફળ પતિત થયે - પડી ગયે જેમ પુનઃ ફરીને બીંટ સાથે - ડિંટ સાથે બંધાતું નથી, તેમ રાગાદિથી અસંકીર્ણ ઘનમય કર્મભાવ પતિત થયે - પડી ગયે પુનઃ - ફરીથી ઉદય પામતો નથી.” આનો ભાવનો સંભવ : ડીંટથી છૂટા અપૂર્વ પરમાર્થ આ પ્રસ્તુત દૃષ્ટાંતનો બિંબ-પ્રતિબિબ ભાવ દર્શાવી પરમર્ષિ પડેલા પાકા ફલનું દૃષ્ટાંત અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ શૈલીથી વ્યાખ્યાત કર્યો છે. તે આ પ્રકારે - જેમ નિશ્ચય કરીને ખરેખર ! પક્વ - પાકું ફળ, બિંટથી - ડીંટથી એકવાર વિશ્લિષ્ટ સતું – “વૃતાત્ સત્ વિરુદ્ધ સત્' - એકવાર વિખૂટું પડ્યું સતું, પુનઃ બિટ સંબંધને પામતું નથી, “ર પુનવૃતસંવંઘમુતિ', કરીને ડીંટડા સાથે સંબંધ - જોડાણ પામતું નથી, જોડાતું નથી, ચોંટતું નથી, તેમ “કર્મોદયજન્ય ભાવ' - કર્મના ઉદયથી - વિપાકથી જન્મેલો - ઉપજેલો એવો ઔદયિક ભાવ, જીવભાવથી એકવાર વિશ્લિષ્ટ સતો – ‘નીમાવાત્ સત્ વિદિ: સન, જીવમાંથી એકવાર વિખૂટો - છૂટો પડ્યો સતો (Detached), પુનઃ - ફરીને જીવભાવને પામતો નથી - “ર પુનર્નવાવમુતિ', જીવ ભાવમાં જોડાતો નથી - ચોંટતો નથી. “એમ જ્ઞાનમય એવો રાગાદિથી અસંકીર્ણ ભાવ સંભવે છે.” અર્થાત્ કર્મોદય થકી રાગાદિ જન્મે છે, પણ આ રાગાદિ ભાવ હું નથી ને હાલું સ્વરૂપ નથી - વિકત ભાવરૂપ વિભાવ રૂપ વિરૂપ છે એમ જાણતો જ્ઞાની તત્ક્ષણ જ તે રાગાદિ ભાવને જીવભાવથી - આત્મભાવથી વિશ્લિષ્ટ કરે છે, વિખૂટો પાડે છે, પૃથક્કરણ રૂપ વિવેકથી પૃથક - અલગ કરે છે અને તે કર્મોદય જન્ય રાગાદિ ઔદયિક ભાવ જીવભાવથી એકવાર વિખૂટો પડ્યો એટલે તે ફરી જીવભાવની સાથે જોડાતો નથી - ચોંટતો નથી, સંસક્ત થતો નથી - ડીંટડાથી એકવાર વિખૂટું પડેલું પાકું ફળ પડી ગયા પછી ફરીને ડીંટડા સાથે જોડાતું નથી - ચોંટતું નથી - સંસક્ત થતું નથી તેમ. એટલે એમ ઉક્ત પ્રકારે જ્યાં કેવલ જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન જ છે એવા જ્ઞાનમય રાગાદિથી અસંકીર્ણ - અસંમિશ્ર - અકુંઠિત ભાવનો સંભવ છે જ. આકૃતિ બટમાંથી એકવાર વિશ્લિષ્ટ સતું પાકુ ફલ ! બટ સંબંધ પામતું નથી કર્મ ઉદયન ભાવ 'જીવ ભાવથી) એમ શાનમય રાગાદિ અસંકીર્ણ ભાવ સંભવે છે. એકવાર વિશ્લિષ્ટ સતો તે પુનઃ જીવભાવ પામતો નથી પર કર્મ પુદ્. જીવ
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy