SearchBrowseAboutContactDonate
Page Preview
Page 850
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપ્રક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૪૪ આત્મખ્યાતિટીકાર્થ આ એક જ નિશ્ચયથી કેવલ સમ્યગ્દર્શન જ્ઞાન વ્યપદેશ પામે છે. જે નિશ્ચયે કરીને અખિલ નયપક્ષથી અક્ષુણ્ણતાએ કરીને સમસ્ત વિકલ્પ વ્યાપાર વિશ્રાંત પામેલો છે, તે સમયસાર છે. કારણકે - પ્રથમથી શ્રુતજ્ઞાન અવખંભથી જ્ઞાન સ્વભાવી આત્માને નિશ્ચિત કરી, પછી પ્રગટપણે આત્મખ્યાતિને અર્થે - - પરખ્યાતિ હેતુ એવી અખિલ જ ઈંદ્રિય અનિંદ્રિય બુદ્ધિઓને અવધીરી મતિજ્ઞાનતત્ત્વને જેણે આત્માભિમુખ કર્યું છે એવો, તથા નાનાવિધ પક્ષાલંબનથી અનેક વિકલ્પોથી આકુલ કરતી શ્રુતજ્ઞાન બુદ્ધિઓને પણ અવધીરી, શ્રુત જ્ઞાનતત્ત્વને પણ આત્માભિમુખ કરતો, અત્યંત અવિકલ્પ થઈને ઝટ લઈને જ સ્વરસથી વ્યક્ત થતા, આદિ મધ્ય અંત વિમુક્ત, અનાકુલ, એક, કેવલ અખિલ પણ વિશ્વની ઉપર જાણે તરતા, અખંડ પ્રતિભાસમય, અનંત એવા વિજ્ઞાનઘન પરમાત્મા સમયસારને વિદતો (જાણતો) આત્મા સમ્યક્ દેખાય છે અને જણાય છે, તેથી સમ્યગ્દર્શન અને જ્ઞાન સમયસાર જ છે. - = ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય (વિવેચન) ‘‘આત્મા શુદ્ધ ચૈતન્ય, જન્મ જરા મરણ રહિત અસંગ સ્વરૂપ છે, એમાં સર્વ જ્ઞાન શમાય છે; તેની પ્રતીતિમાં સર્વ સમ્યક્ દર્શન શમાય છે, આત્માને અસંગ સ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યક્ ચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગ દશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખનો ક્ષય છે. એ કેવળ નિઃસંદેહ છે, કેવળ નિઃસંદેહ છે. એજ વિનંતી.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૭૨૫), ૭૮૧ ઉપરમાં સમયસાર પક્ષાતિક્રાંત છે તેનું સ્વરૂપ કહ્યું, તે ભલે સમ્યગ્દર્શનજ્ઞાન નામ લહે છે. પણ તે સમયસાર પક્ષાતિક્રાંત જ અવસ્થિત રહે છે - ‘અવ' જેમ છે તેમ સ્વરૂપમર્યાદાથી સ્થિત રહે છે, એમ અત્રે ઉપસંહારરૂપ નિગમન (conclusion) કર્યું છે અને તેનું પરમ પરમાર્થ હાર્દ પ્રકટ કરતું તત્ત્વ સર્વસ્વ સમર્પક અલૌકિક પરમ અમૃત (most Important, nectar-like) વ્યાખ્યાન કરતાં આત્મખ્યાતિકર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ સમયસાર આત્મખ્યાતિ પ્રાપ્તિની વિધિની અદ્ભુત રહસ્ય-ચાવી (master-key) દર્શાવી છે. તેનો આશયાર્થ આ પ્રકારે - - - જ્ઞાન ‘આ' - પ્રત્યક્ષ અનુભવાતો આત્મા એ જ એક જ નિશ્ચયે કરીને ‘કૈવલ સમ્યગ્દર્શન 'केवलं सम्यग्दर्शनज्ञानव्यपदेशं किल लभते' વ્યપદેશ પામે છે' અર્થાત્ એને કેવલ સમ્યગ્દર્શન - જ્ઞાન એવું કેવલ માત્ર નામ આપવામાં આવે છે, પણ તેથી તેના તત્ત્વ સ્વરૂપમાં કાંઈ ફેર પડતો નથી અને ‘વિત્તનયપક્ષાભુળતા’ જે નિશ્ચયથી અખિલ નયપક્ષની અક્ષુણ્ણતાએ કરીને સમસ્ત વિકલ્પ વ્યાપાર વિશ્રાંત થયેલો છે જેનો એવો છે, તે સમયસાર છે, વિશ્રાંતસમસ્તવિક્ત્વવ્યાપાર: સ સમયસાર: | અર્થાત્ અખિલ - સકલ પક્ષથી આ આત્મા અક્ષુણ્ણ - નહિ ખૂંદાયેલો - અખંડિત છે, નહિ કચરાયેલો નહિ દબાયેલો નહિ આક્રાંત થયેલો, નહિ સ્પર્શાયેલો એવો છે. કોઈ પણ નયપક્ષ આત્માને ક્ષુણ્ણ કરી શકતો નથી, ખૂંદી શકતો નથી, બાધિત કરી શકતો - ચગદી - કચડી નાંખી શકતો નથી, અથવા સકલ નય મૂળ એમ તો આત્મતત્ત્વ પ્રત્યે લઈ જવા માટે - પરમાર્થ - આત્માર્થ પમાડવા માટે જ (ન) - નર્યું lead) નિરૂપણ કરાયા છે, એટલે સર્વ નય એક પરમાર્થ તત્ત્વ - આત્મ અર્થ પ્રત્યે Fee - - આદિ-મધ્ય-અંતથી વિમુક્ત, ગનાતમ્ ર્જ જેવતા - અનાકુલ - આકુલ નહિ એવા, એક - અદ્વૈત, કેવલ - માત્ર - અસહાય, સવિતસ્યાપિ વિશ્વોપરિ તાંતમિવ - અખિલ પણ વિશ્વની ઉપર જાણે તરતા, અવંડપ્રતિમાસમયું - અખંડ પ્રતિભાસમય, અનંત - વિજ્ઞાનઘનં પરમાત્માનં સમયસારું - એવા વિજ્ઞાનઘન પરમાત્મા સમયસારને, વિંન્નેવ ગાભા - વિંદતો જ – જાણતો જ - અનુભવતો જ આત્મા, સમ્ય વશ્યન્તે જ્ઞાતે ૬ - સમ્યગ્ દેખાય છે અને જણાય છે, આમ છે તે કારણથી શું ? તતઃ - તેથી સચવર્શન જ્ઞાનં ૬ સમયસાર વ - સમ્યગ્ દર્શન અને શઆન સમયસાર જ છે. || કૃતિ ‘ગાત્મક્વાતિ' ગાભમાવના ||૧૪૪||
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy