SearchBrowseAboutContactDonate
Page Preview
Page 828
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૪૨ દુર્નય તે સુનય ચલાયા, એકત્વે અભેદે વ્યાયા; પરમાર્થે સર્વ સમાયા, તસુ વર્તન ભેદ ગમાયા. સુન્નત સ્વામી.” - શ્રી દેવચંદ્રજી તાત્પર્ય કે - “જેટલા” વચનમાર્ગ છે તેટલા નયવાદ” છે ને જેટલા નયવાદ છે તેટલા પરસમયો છે', એ મહા તાર્કિકશિરોમણિ સિદ્ધસેન દિવાકરજીના સુપ્રસિદ્ધ મહાસૂત્રમાં ઘણું રહસ્ય છે. જે નયપક્ષને પકડે છે તે પરસમય છે, જે નયપક્ષને પકડતો નથી તે સ્વસમય છે. કારણકે જે નય છે તે વિકલ્પાત્મક છે, અનંત ગુણાત્મક - ધર્માત્મક વસ્તુના એક એક અંશને ક્રમે કરીને ગ્રહણ કરનારો અપેક્ષાવિશેષ છે, વસ્તુ છે તે તો સમગ્ર એક અખંડ અભેદરૂપ હોઈ નિર્વિકલ્પ છે, એકી સાથે અનંત ગુણ - ધર્મ જેમાં રહ્યા છે એવો તત્ત્વવિશેષ છે. એટલે જે વસ્તુ અંશગ્રાહી નયને - વિકલ્પને બનાm સઘળB ગ્રહે છે, તે સર્વાશગ્રાહી સર્વનયમય પ્રમાણરૂપ નિર્વિકલ્પ અભેદ અખંડ तावइया णयवाया" સમગ્ર વસ્તુરૂપ સમયસારને પામતો નથી. જે આ વિકલ્પાત્મક નયપક્ષને અતિક્રમે છે - ઉલ્લંઘી જાય છે, તે સર્વ વિકલ્પથી પર નિર્વિકલ્પ એક વિજ્ઞાનઘન’ સ્વભાવી થઈને સાક્ષાતુ સમયસારને પામે છે - અનુભવે છે. આમ છે તો પછી જે નિર્વિકલ્પ અખંડ અભેદ “વસુસ્વરૂપ” સમયસારને - શુદ્ધ આત્મતત્ત્વને પામવા ઈચ્છે છે, એવો કયો મુમુક્ષુ વિકલ્પરૂપ સમસ્ત નયપક્ષ છોડી દેવાની ભાવના - “નયપક્ષ સંન્યાસ ભાવના' અત્યંત આત્મભાવનાત્મક પણે નટાવે નહિ ? અને મુમુક્ષુ જોગીજનોને આ “નયપક્ષ સંન્યાસ ભાવના' કરાવી આત્મભાવનાની પરમ અનુકુળતા કરી આપવા માટે, નયપક્ષ - રાહુના ગ્રહણમાંથી આત્મ-ચંદ્રને છોડાવવા માટે અમૃતચંદ્રજીએ કરાવેલી પરમ જ્ઞાનામૃતવર્ષી “અમૃતચંદ્ર’ આત્મચંદ્રની સોળે કળાએ પ્રકાશતા સાક્ષાત અમૃત” નયપક્ષ વિજ્ઞાનઘન' મહાગીતાર્થ મુનિચંદ્ર “અમૃતચંદ્રજીએ” પરમ તત્ત્વામૃત સંભૂત આ સંન્યાસ ભાવના વિવિધ ગાત્મક કળશ કાવ્યોનું દિવ્ય સંગીત લલકાર્યું છે - જે દિવ્ય સંગીતને ચિન્મય આત્માની સાથે એકતાર કરતા સતુ ચિતુ માત્ર મુમુક્ષુ પરમાનંદથી નાચી ઊઠી સાક્ષાતુ “અમૃત” પાન કરે છે. તે નિયપક્ષ સંન્યાસ ભાવના' કરાવતા તત્ત્વામૃત સંભૂત કલશકાવ્યો આ રહ્યા - પર જીવ ૫ગલ કર્મ "जावइया बयणपहा तावइया हुँति नयवाया । ગાવફા નીવાવ તારા તિ પરસમા ” - શ્રી સન્મતિ તર્ક (શ્રી સિદ્ધસેન દિવા? 7) ક૭૭
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy