SearchBrowseAboutContactDonate
Page Preview
Page 820
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૧૩૩-૧૩૮ આત્મખ્યાતિટીકાર્ય - જો જીવનો તેના નિમિત્તભૂત વિપાક પામી રહેલા પુદ્ગલ કર્મની સાથે જ રાગાદિ અજ્ઞાન પરિણામ હોય છે એવો વિતર્ક છે, તો જીવ અને પુદ્ગલ કર્મને - સહભૂત સુધા-હરિદ્રાની જેમ - બન્નેયને રાગાદિ અજ્ઞાન પરિણામની આપત્તિ થશે અને જેને એક જ જીવનો રાગાદિ અજ્ઞાન પરિણામ હોય છે, તો પુદ્ગલ કર્મ વિપાકરૂપ હેતુથી પૃથગુભૂત એવો જીવનો પરિણામ છે. “અમૃત જ્યોતિ મહાભાષ્ય પરિણામ જડ હોય એવો સિદ્ધાંત નથી. ચેતનનો ચેતન પરિણામ હોય છે. અચેતનને અચેતન પરિણામ હોય એવો જિને અનુભવ કર્યો છે. કોઈ પણ પદાર્થ પરિણામ કે પર્યાય વિના હોય નહિ એમ શ્રી જિને કહ્યું છે; અને તે સત્ય છે.' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૬૮), પપ૧ ઉક્ત પ્રકારે પરિણામ સ્વભાવી જીવનો જે પરિણામ હોય છે, તે પુદ્ગલ દ્રવ્યથી પૃથગૃભૂત જ – અલગરૂપ જ હોય છે - “ પુતદ્રવ્યાતુ પૃથમૂત gવ નીવચ પરિણામ:' - એમ પુગલદ્રવ્યથી પૃથભૂત જ અત્ર પ્રતિપાદન કર્યું છે અને પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ નિખુષ યુક્તિથી જીવનો પરિણામ તેનું સમર્થન કર્યું છે. જે જીવનો - તેના - તે રાગાદિ અજ્ઞાન પરિણામના નિમિત્તભૂત “વિપથ્યમાન - વિપાક પામી રહેલા પુદગલકર્મની સાથે જ - રાગાદિ અજ્ઞાન પરિણામ હોય છે એવો વિતર્ક છે, તો જીવને અને પુદ્ગલકર્મને બન્નેયને રાગાદિ અજ્ઞાન પરિણામની આપત્તિ થશે – પ્રસંગ આવી પડશે. યોર રાધજ્ઞાનપરિણTHIFત્તિઃ I કોની જેમ ? સહભૂત સુધા - હરિદ્રાની જેમ, સમૂતસુધારિદ્રયરિવ, ફટકડી અને હળદરની જેમ. હવે જે આ અનિષ્ટ આપત્તિના ભયથી એમ કહો કે એક જ જીવનો રાગાદિ અજ્ઞાનપરિણામ હોય છે, તો પુદગલકર્મ વિપાકરૂપ હેતુથી પૃથગભૂત જુદો જ - અલાયદો જ જીવનો પરિણામ છે. અર્થાત વિપાક પામી રહેલ - “વિપશ્તમાન” - ઉદયાગત પુદ્ગલકર્મ રાગાદિના અજ્ઞાનપરિણામ નિમિત્તભૂત - નિમિત્ત કારણરૂપ હોય છે. આ નિમિત્તભૂત “વિપથ્યમાન’ - વિપાક પામી રહેલ પુગલકર્મની સાથે જ - ન્નિમિત્તભૂતવર્ગમાનપુર્મા સદૈવ’ - જીવનો જે રાગાદિ “અજ્ઞાન” પરિણામ - “ધજ્ઞાનપરિણામ:' - હોય છે, અર્થાતુ જીવનો પુદ્ગલકર્મની સાથે ભેગા મળીને જ રાગાદિ અજ્ઞાનપરિણામ હોય છે, એવો જે વિતર્ક કરવામાં આવે, તો સહભૂત “સુધા હરિદ્રાની જેમ' - ફટકડી અને હળદરની જેમ જીવ અને પુગલકર્મ બન્નેને રાગાદિ અજ્ઞાન પરિણામની આપત્તિ થશે. ફટકડી અને હળદર બને ભેગા મળીને જેમ એક રંગનો પરિણામ પ્રાપ્ત થાય છે, તેમ ચેતન જીવ અને અચેતન પુદ્ગલકર્મ બન્નેને રાગાદિ અજ્ઞાનપરિણામની પ્રાપ્તિ થવાનો અનિષ્ટ પ્રસંગ પ્રાપ્ત થશે. અને અચેતન પુદગલને રાગાદિ અજ્ઞાન પરિણામની પ્રાપ્તિ તો કોઈએ ક્યારેય દીઠી નથી કે સાંભળી નથી, એટલે આ અનિષ્ટપત્તિના ભયથી જો એમ સ્વીકારવામાં આવે કે એક જ જીવનો એટલે કે જીવનો એકલાનો જ રાગાદિ અજ્ઞાન પરિણામ હોય છે, તો આપોઆપ સિદ્ધ થાય છે કે જીવનો પરિણામ જે છે, તે પુગલકર્મ વિપાકરૂપ નિમિત્ત હેતુથી પૃથગૃભૂત - અલગરૂપ જ છે, પુદ્ગલથી સ્વતંત્રપણે જ હોય છે. સ્વ જીવ પર પુદ્ગલ કર્મ ૬૬૯
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy