SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૧૩૦-૧૩૧ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય માત્ર આત્મારૂપ મૌનપણું અને તે સંબંધી પ્રસંગ એને વિષે બુદ્ધિ રહે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, (૩૦૯), ૩૭૯ આગલી ગાથામાં અજ્ઞાનીના સર્વ ભાવ અજ્ઞાનમય જ હોય ને જ્ઞાનીના સર્વ ભાવ જ્ઞાનમય જ હોય એમ એ કહ્યું, તેનું જ અત્રે લોક પ્રસિદ્ધ સુવર્ણ - લોહના દાંતથી સુવર્ણમય ભાવથી કંડલાદિ: શાસ્ત્રકાર પરમર્ષિએ સમર્થન કર્યું છે અને તેનો દેણંત - દાણતિક ભાવ લોહમય ભાવથી કડા આદિ પરમર્ષિ “આત્મખ્યાતિ સૂત્રકારે પોતાની અનુપમ લાક્ષણિક શૈલીમાં સાંગોપાંગ બિંબ-પ્રતિબિંબ ભાવથી વિવરી દેખાડી અદૂભુત તત્ત્વપ્રકાશ પાથર્યો છે - જેમ નિશ્ચય કરીને પુગલનું સ્વયં - આપોઆપ જ પરિણામ સ્વભાવપણું સતે પણ - હોતાં છતાં, કાર્યોના કારણાનુવિધાયિપણાને લીધે - કારણાનુસારપણાને લીધે સુવર્ણમય ભાવથકી સુવર્ણ જાતિને અનતિવર્તતા' - અનુલ્લંઘતા - નહિ ઉલ્લંઘતા એવા સુવર્ણ કુંડલાદિ ભાવો જ હોય, નહિ કે લોહવલયાદિ; અને લોહમય ભાવથકી લોહ જાતિને “અનતિવર્તતા' - અનુલ્લંઘતા - નહિ ઉલ્લંઘતા લોહવલયાદિ જ હોય, નહિ કે સુવર્ણ કુંડલાદિ: તેમ જીવનું સ્વયં - આપોઆપ જ પરિણામ સ્વભાવપણું સતે પણ હોતાં છતાં, કાર્યોના કારણાનુવિધાયિપણાને લીધે જ, અજ્ઞાનીના સ્વયં અજ્ઞાનમય ભાવથકી અજ્ઞાન જતિને અનતિવર્તતા - નહિ ઉલ્લંઘતા એવા વિવિધ - નાના પ્રકારના અજ્ઞાનમય જ ભાવો હોય; નહિ કે જ્ઞાનમય; અને જ્ઞાનીના સ્વયં - પોતે જ્ઞાનમય ભાવથકી જ્ઞાન - જાતિને અનતિવર્તતા - નહિ ઉલ્લંઘતા સર્વે જ્ઞાનમય જ ભાવો હોય, નહિ કે અજ્ઞાનમય. અમૃતચંદ્રજીની આ પરમ અદૂભુત વ્યાખ્યાનો વિશેષ પરમાર્થ હવે વિચારીએ. જીવ તો એક જ્ઞાનમય દ્રવ્ય છે, તો પછી તેના જ્ઞાનમય-અજ્ઞાનમય એ દ્વિવિધ પરિણામ કેમ ઘટે ? તે અત્ર નિgષ સુયુક્તિથી પ્રદર્શિત કરતાં અમૃતચંદ્રજી વદે છે કે, કાર્યોનું કારણાનુવિધાયિપણું પુનર્ચા હવે રામસ્વમવિ - “પુદ્ગલનું સ્વયં પરિણામસ્વભાવપણું સતે પણ. કાર્યોના કારણાનવિધાયિપણાને લીધે – “છારાનવઘાયિત્વાજાનાં !' અર્થાતુ ઉપરમાં વિવરી દેખાડ્યું તેમ પુદ્ગલ દ્રવ્ય સ્વયં - આપોઆપ (by itself) પરિણામ સ્વભાવી હોઈ આપોઆપ પરિણમે છે, આમ નિશ્ચયે કરીને પુદ્ગલ દ્રવ્યનું સ્વયં પરિણામ સ્વભાવપણું છે, છતાં પણ કારણ અનુસાર કાર્ય હોય છે, જેવું જેવું કારણ તેવું તેવું કાર્ય હોય છે, કાર્યોનું કારણાનુવિધાયિપણું હોય છે. એટલા માટે “સુવર્ણમય ભાવથકી સુવર્ણ જતિને અનતિવર્તતા સુવર્ણ કંડલાદિ જ ભાવો હોય - નહિ કે લોહવલયાદિ, અને લોહમય ભાવથકી લોહ જતિને અનતિવર્તતા લોહવલયાદિ જ હોય, નહિ કે સુવર્ણ કુંડલાદિ.” અર્થાતુ સોનામય ભાવથકી સોનાની જાતિને નહિ અતિવર્તતા - નહિ ઉલ્લંઘતા એવા સોનાના કુંડલાદિ ભાવો હોય, પણ લોઢાના કડા આદિ ભાવો ન હોય અને લોઢામય ભાવથકી લોઢાની જાતિને નહિ અતિવર્તતા - નહિ ઉલ્લંઘતા એવા લોઢાના કડા આદિ ભાવો હોય, પણ સોનાના કુંડલાદિ ભાવો ન હોય. તેમ જીવદ્રવ્ય પણ સ્વયં - આપોઆપ (by itself) પરિણામ સ્વભાવી હોઈ આપોઆપ પરિણમે છે; આમ “નીવા વયં પરિણામસ્વમાવજ - નિશ્ચયે કરીને જીવદ્રવ્યનું “રવિધ તાત્ સ્વયં - (આપોઆપ) પરિણામ સ્વભાવપણું” છે, છતાં “કાર્યોનું Me” જાતિ અનુલ્લંઘન કારણાનુવિધાયિપણું હોય છે, “વારનુવિદ્યાયિત્વાિજ', કારણ અનુસાર કાર્ય હોય છે, જેવું જેવું કારણ તેવું તેવું કાર્ય હોય છે, એટલે આ કાર્યોના કારણાનુવિધાયિપણાને લીધે અજ્ઞાનીનો સ્વયં અજ્ઞાનમય ભાવ થકી અજ્ઞાન જતિને અનતિવર્તતા - ‘મજ્ઞાનનાતિકનતિવર્તમાના:' - વિવિધ પણ અજ્ઞાનમય જ ભાવો હોય - નહિ કે પુનઃ જ્ઞાનમય, અને ૬૫૯
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy