SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૯૮ અમૃત જ્યોતિ” મહાભાષ્ય “આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયાસંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે, પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર નગર આદિનો કર્તા છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૦૬ (સુપ્રસિદ્ધ પદ પત્ર) હું કર્તા હું કર્તા પરભાવનો હોજી, રાચ્યો જડ ભવભૂપ... નમિપ્રભ.” - શ્રી દેવચંદ્રજી આત્મા સ્વયં-પોતે જ્ઞાન છે, તે જ્ઞાન જ્ઞાન સિવાય બીજું શું કરે? છતાં આત્મા પરભાવનો કર્તા છે એવો જે ઉત્થાનિકા કળશમાં સૂચવેલો વ્યવહારીઓનો મોહ-મતિ વિભ્રમ છે, તે કેવા પ્રકારે છે? તે આ ગાળામાં સ્પષ્ટ કહ્યું છે અને તેનું અંતસ્તત્ત્વ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અત્યંત નિખુષ સુયુક્તિથી સુપરિક્રુટ પ્રકાયું છે. કારણકે જેમ આ આત્મા ‘માત્મવિહવ્યાપારણ્ય' - આત્મવિકલ્પ અને આત્મવ્યાપાર વડે કરીને પટઃ વરદ્રવ્યાત્મદં વહિ' - આદિ પરદ્રવ્યાત્મક – પરદ્રવ્યમય બહિર્ કર્મ - બહારનું – ચર્મચક્ષુગોચર કર્મ કરતો પ્રતિભાસે છે - દીસે છે, તેથી કરીને તેમ ક્રોધાદિ પરદ્રવ્યાત્મક - પરદ્રવ્યમય સમસ્ત પણ “અંતઃ કર્મ - અંતઃકર્મ - અંતરનું ચર્મ ચક્ષઅગોચર કર્મ કરે છે - અવિશેષ છે માટે, પરદ્રવ્યાત્મક ઘટયદિ બહિષ્કર્મ (External) હો કોઈ વિશેષ - તફાવત નથી માટે – એમ ‘વ્યવહારીઓનો' - વ્યામોહ - મતિવિભ્રમ (Delusion) છે. જે દેહમાં એકક્ષેત્રાવગાહ સ્થિતિ આ આત્મા રહ્યો રે, તે હારનું અંતરૂ કર્મ-નોકર્મ-કરણાદિ તે સમસ્ત પણ પરદ્રવ્યાત્મક કર્મ આત્મા કરે છે, એમ વ્યવહાર વિમૂઢ જનો માની લ્ય છે, એ તેમનો વ્યામોહરૂપ વ્યવહાર છે. ( as] પર પુગલ જીવું ૫૯૯
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy