SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંક સમયસાર ગાથા-૮૯ આત્મખ્યાતિટીકાર્થ સ્વરસથી જ સમસ્ત વસ્તુનું સ્વભાવભૂત સ્વરૂપ પરિણામનું સમર્થપણું સતે, ઉપયોગનો ખરેખર ! - અનાદિ વસ્તંતરભૂત મોહયુક્તપણાને લીધે મિથ્યાદર્શન અજ્ઞાન અવિરતિ એમ ત્રિવિધ પરિણામ વિકાર દૃષ્ટ છે; અને તે તો તેને - સ્ફટિકની સ્વચ્છતાની જેમ - પરતઃ (૫૨ થકી) પણ પ્રભવતો દૃષ્ટ છે. તેમ ઉપયોગનો જેમ સ્ફટિક સ્વચ્છતાનો - સ્વરૂપ પરિણામસમર્થપણું સતે, કદાચિત્ નીલ હરિત પીત તમાલ કદલી કાંચન પાત્ર ઉપાશ્રયના યુક્તપણાને લીધે, નીલ હરિત પીત એવો ત્રિવિધ પરિણામ વિકાર દૃષ્ટ છેઃ અનાદિ મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિ સ્વભાવ વન્વંતરભૂત મોહના યુક્તપણાને લીધે મિથ્યાદર્શન અજ્ઞાન અવિરતિ એવો ત્રિવિધ પરિણામ વિકાર દૃષ્ટવ્ય છે. ૮૯ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘શુદ્ધ એવા સ્ફટિકને વિષે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી, તેમ શુદ્ધ નિર્મળ એવું આ ચેતન અન્ય સંયોગના તાદાત્મ્યવત્ અધ્યાસે પોતાના સ્વરૂપનો લક્ષ પામતું નથી. યત્ કિંચિત્ પર્યાયાંતરથી એ જ પ્રકારે જૈન, વેદાંત, સાંખ્ય, યોગાદિ કહે છે.' શ્રીમદ્ રાજચંદ્ર, હાથનોંધ શ્રી સીમંધર. જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રગટ કષાય. અભાવ...'' જેમ તે રાતે રે ફૂલે રાતડું, શ્યામ ફૂલથી રે શ્યામ; પાપ પુણ્યથી રે તેમ જગ જીવને, રાગ દ્વેષ પરિણામ... શ્રી સીમં.’' - શ્રી યશોવિજયજી મિથ્યાદર્શનાદિ ચૈતન્ય પરિણામનો વિકાર ક્યાંથી થયો ? તેનો અત્ર ઉત્તર આપ્યો છે કે મોહયુક્ત ઉપયોગના મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ એ ત્રણ અનાદિ પરિણામો છે અને આત્મખ્યાતિકર્તા આચાર્યજીએ સ્ફટિકની સ્વચ્છતાના અપૂર્વ અદ્ભુત દૃષ્ટાંતથી આનું અપૂર્વ સમર્થન કરી અદ્ભુત તત્ત્વપ્રકાશ રેલાવ્યો છે. ૫૫૧ નિશ્ચયથી સમસ્ત વસ્તુનું સ્વરસથી જ - ‘સ્વરતંત વ' - વસ્તુ સ્વભાવભૂત એવું સ્વરૂપ પરિણામનું સમર્થપણું છે જ, સમસ્તવસ્તુસ્વભાવભૂતસ્વરૂપાિમસમર્થત્વે ક્ષતિ છતાં અનાદિ વસ્તંતરભૂત અન્ય - - પ્રત્યક્ષ દીઠેલો છે. કોની જેમ ? ટિસ્વચ્છતાયા વ - સ્ફટિકની સ્વચ્છતાની જેમ. તે આ પ્રકારે - યથા હિ - જેમ સ્ફુટપણે દૃષ્ટાંત છે કે -ટિસ્વચ્છતાયાઃ - સ્ફટિક સ્વચ્છતાનો - સ્વરૂપરામસમર્થવે સતિ - સ્વરૂપ પરિણામનું સમર્થપણું સતે - હોતા છતાં, નીતો હરિત: પીતઃ કૃતિ ત્રિવિધ પરિણામવિવારઃ રૃટ: - નીલ હરિત પીત એવો ત્રિવિધ પરિણામવિકાર દૈષ્ટ છે, શાને લીધે ? વાચિત્ નીલહરિતપીતતમાનવવસ્તીવાંધનપાત્રોપાશ્રયયુક્તત્વાત્ કદાચિત્ (અનુક્રમે) નીલ-હરિત-પીત એવા તમાલ-કદલી-કાંચન પાત્રરૂપ ઉપાશ્રયના યુક્તપણાને લીધે. તથા - તેમ, દાતિક - ઉપયોગસ્ય - ઉપયોગનો મિથ્યાવÁનમજ્ઞાનમવિરતિિિત ત્રિવિધ પરિવિવારો પૃષ્ટવ્યૂ: મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિ એમ ત્રિવિધ-ત્રણ પ્રકારનો પરિણામવિકાર દૈવ્ય - દેખવા યોગ્ય છે. તેવો પરિણામવિકાર શાને લીધે હોય છે ? વ ંતભૂતમોહયુક્તત્વાત્ - વન્વંતરભૂત - અન્ય વસ્તુભૂત - આત્માથી અન્ય વસ્તુરૂપ મોહના યુક્તપણાને લીધે - સંયોગિપણાને લીધે. તે વન્વંતરભૂત - અન્ય વસ્તુરૂપ મોહ કેવો છે ? અનાવિ મિથ્યાવÁનાજ્ઞાનાવિરતિત્વમાવ - અનાદિ મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિ સ્વભાવ છે જેનો એવો. II કૃતિ ‘ગાત્મધ્યાતિ’ ગાભમાવના ૦૮૬|| -
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy