SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ પ્રરૂપક દ્રિતીય અંકઃ સમયસાર ગાથા-૮૮ અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ઉપયોગ જીવ વગર હોય નહીં, જડ અને ચૈતન્ય એ બન્નેમાં પરિણામ હોય છે.” “ઉપયોગ એ સાધના છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૮૩૭), ૯૫૭ (ઉપદેશછાયા) “ઉપયોો નીવર્ય !” - શ્રી તત્ત્વાર્થ સૂત્ર પાછલી ગાથામાં મિથ્યાદર્શનાદિ ભાવો જીવ-અજીવ એમ બે પ્રકારના કહ્યા, એમાં જીવ કોણ ? અજીવ કોણ ? એનું અહીં સ્પષ્ટીકરણ કર્યું છે. મિથ્યાદર્શન, અજ્ઞાન, અજીવ મિથ્યાદર્શનાદિ પુદગલ અવિરતિ ઈત્યાદિ જે “અજીવ” છે, તે નિશ્ચય કરીને અમૂર્ત એવા ચૈતન્ય કર્મઃ જીવ મિથ્યાદર્શનાદિ પરિણામથી અન્ય સમૂર્તાત્ ચૈતન્યપરિમાન્યું એવું મૂર્ત પુદ્ગલ કર્મ છે - ચૈતન્ય પરિણામ વિકાર મૂર્ત પુત્તિ - અને મિથ્યાદર્શન, અજ્ઞાન અવિરતિ ઈત્યાદિ જે “જીવ છે, તે મૂર્ત એવા પુદ્ગલકર્મથી અન્ય - મૂત્ પુનિવર્માદ: એવા ચૈતન્ય પરિણામનો વિકાર છે - ચૈતન્યસ્થિ વિકાર: - અર્થાત્ મિથ્યાદર્શનાદિ જે અજીવ રૂપ ભાવ છે, તે મૂર્ત એવું પુદ્ગલકર્મ છે, અને તે તો અમૂર્ત એવા ચૈતન્ય પરિણામથી પ્રગટપણે અન્ય છે, બીજું જ છે, ભિન્ન છે, ચૈતન્યપરિણામ છે તે અમૂર્ત-અરૂપી છે, અને આ પુદ્ગલકર્મ તો મૂર્ત-રૂપી છે, આમ આ બન્નેનો પ્રગટ ભેદ છે. અને મિથ્યાદર્શનાદિ જે જીવસ્વરૂપ ભાવ છે, તે ચૈતન્ય પરિણામનો વિકાર છે; તે તો અમૂર્ત હોઈ, મૂર્ત એવા પુદ્ગલ કર્મથી અન્ય છે, બીજો જ છે, પ્રગટ ભિન્ન છે. ચૈતન્ય - વિકૃત પરિણામો પરિણમેવિકારરૂપ વિભાવભાવે પરિણામે, વિશિષ્ટ ભાવે પરિણામે, અર્થાત્ સ્વભાવને ઉલ્લંધી-અતિક્રમી સ્વભાવથી આગળ (Beyond) જઈ વિશેષ ભાવે પરિણમે. તે જ ચૈતન્ય પરિણામનો વિકાર છે અને તે અમૂર્ત-અરૂપી છે એટલે મૂર્ત પુદ્ગલકર્મથી તેનો પ્રગટ ભેદ છે. આમ અવસ્વરૂપ મિથ્યાદર્શનાદિ તે મૂર્ત એવું પુદ્ગલ કર્મ છે અને જીવ સ્વરૂપ મિથ્યાદર્શનાદિ તે અમૂર્ત એવો ચૈતન્ય પરિણામ વિકાર છે વિભાવરૂપ ઉપયોગ છે. પુગલકમ આકૃતિ જીવ જીવ અજીવ અજીવ ચૈિતન્ય ચૈતન્ય મિથ્યાદર્શનાદિ મિથ્યાદર્શનાદિ પરિણામ પરિ સામ યુગલકર્મ વિકાર વિકાર મૂર્ત અમૂર્ત અને આ ઉપરથી આ પરમાર્થ સમજવા યોગ્ય છે કે મૂર્ત પુદ્ગલ કર્મરૂપ જે અજીવ મિથ્યા દર્શનાદિ છે તે તો પ્રગટ પરભાવ છે, તેથી અમૂર્ત એવો ચૈતન્ય સ્વરૂપી આત્મા તો પ્રગટ લક્ષણે ભિન્ન છે, અને વરૂપ જે મિથ્યા દર્શનાદિ છે તે તો ચૈતન્ય પરિણામના વિકાર છે, વિભાવ છે, આત્માનો સ્વભાવ નથી; એટલે શુદ્ધ નિશ્ચયથી આત્મા તેથી પણ ભિન્ન છે. આમ પરભાવથી તેમજ વિભાવથી આત્માના શુદ્ધ સ્વભાવનો પ્રગટ ભેદ ભાવવા યોગ્ય છે. અમૂર્ત પર જીવ પુદ્ગલ ૫૪૯
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy