SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ વ્યાપ્ય-વ્યાપક ભાવથી - ‘યંત૬વ્યાચવ્યાપવિમાન' અને મૃત્તિકાથી જ - માટીથી જ અનુભવાઈ રહ્યો છે, કેવી રીતે ? ભાવ્યભાવકભાવથી - માવ્યભાવમાવેન - આમ છે છતાં, કુંભકાર કળશ કરે છે અને અનુભવે છે, એવો લોકોનો અનાદિરૂઢ - અનાદિથી રૂઢ થયેલો - ઊંડા મૂળ ઘાલેલો વ્યવહાર તો છે. કુંભકાર કેવી રીતે કળશ કરતો અને અનુભવતો છે? “વદિવ્યાખ્યવ્યાપમાન' - બહિર્ વ્યાપ્ય-વ્યાપક ભાવથી કળશસંભવને - કળશની ઉત્પત્તિને અનુકૂળ વ્યાપાર કરતો અને કળશ કૃત-કળશથી કરાયેલી જલોપયોગજન્ય - પાણીના ઉપયોગથી ઉપજેલી તૃપ્તિ - તૃષાશાંતિ અનુભવતો એવો. તેમ કર્મ છે તે પગલદ્રવ્યથી કરાઈ રહ્યું છે, કેવી રીતે ? અંતર્ વ્યાપ્ય-વ્યાપકભાવથી - “ગંતવ્યાવ્યિાપમાન' અને પુદ્ગલદ્રવ્યથી જ અનુભવાઈ રહ્યું છે, કેવી રીતે ? ભાવ્યભાવક ભાવથી - માધ્યમવમવેર - આમ છે છતાં, જીવ પુદ્ગલકર્મ કરે છે અને અનુભવે છે, એવો અજ્ઞાનીઓનો આસંસાર પ્રસિદ્ધ - સંસારથી માંડીને એટલે કે અનાદિથી પ્રસિદ્ધ વ્યવહાર તો છે. જીવ કેવી રીતે પુદગલ કર્મ કરતો અને અનુભવતો છે ? “દિવ્યાખ્યવ્યાપમાન' - બહિર વ્યાપ્ય-વ્યાપક ભાવથી અજ્ઞાનને લીધે - જ્ઞાનાતું' - પુદ્ગલકર્મ સંભવને – પુદ્ગલકર્મની ઉત્પત્તિને અનુકૂળ પરિણામ કરતો અને પુગલકર્મના વિપાકથી - ઉદયથી સંપાદિત વિષયોની સન્નિધિથી - નિકટ હાજરીથી પ્રધાવિત - વેગે દોડી રહેલી સુખદુઃખ પરિણતિને ભાવ્ય-ભાવક ભાવથી અનુભવતો એવો. આ વ્યાખ્યાને હવે વિશેષ સ્પષ્ટતાથી વિચારીએ. ઘડો છે. તે અંતર વ્યાપ્ય-વ્યાપક ભાવથી માટીથી કરાઈ રહ્યો છે અને ભાવ્ય-ભાવક ભાવથી માટીથી જ અનુભવાઈ રહ્યો છે. આમ છે છતાં, કુંભાર છે તે બહિરુ વ્યાપ્ય અંતર વ્યાપ્ય વ્યાપક ભાવથી વ્યાપક ભાવથી ઘડાની ઉત્પત્તિને અનુકુળ એવો વ્યાપાર કરે છે અને ઘડા કૃત્તિકા કળશ કર્તા થકી પાણીના ઉપયોગથી ઉપજતી તૃપ્તિ ભાવ્યભાવકભાવથી અનુભવે છે. બહિર્ વ્યાયવ્યાપક ભાવથી આવો આ કુંભાર ઘડો કરે છે અને અનુભવે છે એમ લોકોનો અનાદિરૂઢ - કુંભકાર કળશ કર્તા અનાદિથી રૂઢિરૂપ થયેલો વ્યવહાર છે - “તોવાનામવિતોગતિ તાવયવદર: . અર્થાતુ વાસ્તવિક રીતે તત્ત્વવૈજ્ઞાનિક પ્રક્રિયાની (scientific process) દૃષ્ટિએ જોઈએ તો પહેલેથી તે છેલ્લે સુધી માટી જ અંદરમાં વ્યાપીને ઘડો કરે છે અને માટી જ તેને અનુભવે છે અને કુંભાર કાંઈ અંદરમાં વ્યાપીને - ઘડામાં ઘૂસી જઈ ઘડો કરતો નથી, પણ બહારથી જ - હારનો બહાર રહીને જ તે ઘડો કરે છે અને તેથી થતી જલતૃપ્તિ અનુભવે છે. એટલે તત્ત્વવૈજ્ઞાનિક પ્રક્રિયાથી માટી જ ઘડાની કર્તા-ભોક્તા છે, છતાં ઉક્ત તત્ત્વવૈજ્ઞાનિક દૃષ્ટિનું જેને ભાન નથી અથવા જે દુર્લક્ષ્ય કરે છે અને બાહ્ય દૃષ્ટિથી જ જે દેખે છે એવા લોકો તો કુંભાર ઘડાનો કર્તા-ભોક્તા છે એવો અનાદિથી રૂઢિગત વ્યવહાર કરે છે. તે જ પ્રકારે - કર્મ છે, તે અંતર્ વ્યાપ્ય વ્યાપક ભાવથી પુદ્ગલ દ્રવ્યથી કરાઈ રહ્યું છે અને ભાવ્ય-ભાવક ભાવથી પુદ્ગલદ્રવ્યથી જ અનુભવાઈ રહ્યું છે. આમ છે છતાં, જીવ છે તે જ્ઞાનાતુ - અજ્ઞાનને લીધે બહિરુ વ્યાપ્ય વ્યાપકભાવથી પુદ્ગલ કર્મના સંભવને - અંતર વ્યાયવ્યાપક ભાવથી ઉત્પત્તિને અનુકૂલ એવો પરિણામ કરે છે - પુસ્તિતમવાનુનૂનં પરિણામ પુદ્ગલ કર્મકર્તાઃ બહિર્ ર્વાન: મુદ્દગલકર્મ વિપાકથી સંપાદિત વિષયોની સન્નિધિથી - નિકટ વ્યાપ્યવ્યાપક ભાવથી હાજરીથી પ્રધાવિત - વેગે દોડી રહેલી સુખ દુઃખ પરિણતિ ભાવ્ય અજ્ઞાનને લીધે જીવ પુગલકર્મકર્તા - ભાવકભાવથી અનુભવે છે - “માધ્યમમાવેનાનુભવં%' - આવો આ જીવ પુદગલ કર્મ કરે છે અને અનુભવે છે એમ અજ્ઞાનિઓનો આસંસાર પ્રસિદ્ધ * આ સંસાર જ્યારથી છે ત્યારથી અર્થાતુ અનાદિથી પ્રસિદ્ધ વ્યવહાર છે. “તિ જ્ઞાનિનામસંસારપ્રસિદ્ધોતિ તાવવિહાર:' અર્થાતુ વાસ્તવિક તત્ત્વવૈજ્ઞાનિક પ્રક્રિયાથી (scientific process) દૃષ્ટિએ જોઈએ તો આદિ-મધ્ય-અંતમાં પુદ્ગલ દ્રવ્ય જ અંદરમાં વ્યાપીને કર્મ કરે છે અને પુદ્ગલ દ્રવ્ય જ તેને અનુભવે છે અને જીવ કાંઈ અંદરમાં વ્યાપીને - અંતઃપ્રવેશ કરીને પુદગલમાં ઘૂસી જઈને કર્મ કરતો ૫૨૪
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy