SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ એવા અવિરુદ્ધ સ્વભાવનો અભાવ છે, એટલે કે ચૈતન્ય લક્ષણ જીવથી વિરુદ્ધ - વિપરીત એવા અચેતન - જડ સ્વભાવનો જ ભાવ છે, અર્થાતુ જીવ ચેતન છે, આસ્રવ અચેતન-જડ છે, તેથી તે જીવ નથી જ. આમ આ આસ્રવો અને જીવ બન્ને પ્રગટ લક્ષણે ભિન્ન છે, એ બેનો માત્ર બંધરૂપ સંયોગ સંબંધ છે; આ જીવ નિબદ્ધ આરાવો તો ઝાડને ફોલી ખાનારી લાખની જેમ, જીવના જ્ઞાન-દેહને ફોલી ખાનારા આગંતુક જંતુઓ (Parasites) જેવા છે. આસવો અધુવ છે, જીવ જ ધ્રુવ છે. આસ્રવો છે તે અપસ્મારરવત્ - અપસ્મારના - વાઈના | (Epilepsy) વેગ જેવા વર્ધમાન-હીયમાન છે. વાઈનો વેગ - ખેંચતાણ આસવો અધવ, જીવ જ યુવ: (Paroxysm) આવે છે, તે એકદમ વધે છે અને પછી ઘટે છે, આમ તે વાઈના વેગનું દૃષ્ટાંત અદ્ભવ છે, તેમ આઝવો પણ અદ્ભવ છે; પણ ધ્રુવ તો ચિત્માત્ર એવો જીવ જ છે, કે જે ધ્રુવના તારાની જેમ સદાય એકસરખો ચૈતન્યમાત્ર સ્વરૂપે ફૂટસ્થ સ્થિત જ છે. આસવો અનિત્ય છે, જીવ જ નિત્ય છે, શીતજ્વર,વેરાવતુ - શીત દાહજ્વરનો આવેશ (malaria - ટાઢીયા તાવનો Rigor . તીવ્ર ટાઢ સાથેનો) જેમ ક્રમે કરીને આસો અનિત્ય જીવ જ ઉલ્લભાયમાન થાય છે, પરાકાષ્ઠાએ (Climax) પહોંચે છે. હમલો આવે નિય? ટાઢીઆ તાવનું દષત છે પછી શાંતિ હોય છે, પાછો હુમલો આવે છે એમ ક્રમ ચાલ્યા કરે છે). " તેમ આગ્નવો પણ ક્રમે કરીને ઉલ્લસતા હોવાથી અનિત્ય જ છે, પણ નિત્ય તો વિજ્ઞાનઘનસ્વભાવી જીવ જ છે. આસવો અશરણા છે, જીવ જ સશરણ છે. કામ સેવનમાં વીર્ય નિર્મોક્ષ ક્ષણે દારુણ કામસંસ્કાર ક્ષીણ થાય છે, તેનું ત્રાણ-રક્ષણ કરવું અશક્ય છે, તે રોક્યો રોકી શકાતો આસવો અશરણ જીવ જ નથી; તેમ બંધ હેતુ સેવન થતાં કાર્મણ-વર્ગણા પુદ્ગલમાંથી આઝવો આવે સશરણઃ કર્મ વિકાર દાંત છે તેનું ત્રાણ (રક્ષણ) કરવું અશક્ય છે, અર્થાતુ આવતા આગ્નવો રોક્યા રોકી શકાતા નથી, તેથી અશરણ જ છે. સશરણ તો સ્વયંગુ એવો સહજ ચિતુશક્તિવાળો જીવ જ છે. સહજ-સ્વભાવભૂત ચૈતન્ય શક્તિવાળો જીવ જ પોતે ગુપ્ત - સ્વસ્વરૂપથી સુરક્ષિત – “સ્વરૂપ ગુપ્ત' હોવાથી સશરણ છે. આસવો દુઃખ છે, જીવ જ અદુઃખ છે. આગ્નવોનું સદાય આકુલ સ્વભાવપણું છે, આમ્રવો સદાય આકુલતા ઉત્પન્ન કરે છે, તેથી દુ:ખ રૂપ જ છે, પણ અદુઃખ તો સદાય આસવો દુઃખ, દુઃખ ફલ : જીવ અનાકુલ સ્વભાવી જીવ જ છે. તેમજ - આસવો દુઃખ ફલ છે. જીવ જ જ અદુઃખ, અદુઃખફલ અદુઃખ ફલ છે. આગ્નવો આયતિમાં - આયંદે - છેવટે - પરિણામે આકુલપણું ઉપજાવનારા એવા પુદ્ગલ - પરિણામના હેતુ હોઈ, દુઃખફલવાળા જ છે, અર્થાત્ આગ્નવોનું ફલ-પરિણામ દુઃખ જ છે. પણ જીવ તો સકલ પુદ્ગલ પરિણામોનો અહેતુ છે, કોઈ પણ પુદ્ગલ પરિણામનું કારણ નથી, એટલે તે અદુઃખફલ છે અર્થાત તે દુઃખ રૂ૫ ફલનું કારણ નથી, જીવનું ફલ-પરિણામ દુઃખ નથી. આમ આગ્નવો જીવનિબદ્ધ છે, પણ જીવ નથી, આગ્નવો અધ્રુવ, અનિત્ય, અશરણ, દુઃખ અને દુઃખફલ છે; પણ ધ્રુવ, નિત્ય, સશરણ, અદુઃખ અને અદુઃખ ફલ તો જીવ જ છે. આવો વિકલ્પ - આવો વિવેક થતાં વેંત જ જ્ઞાની આગ્નવોથી નિવર્સે છે, પાછો વળે છે. કારણકે એવો ભેદજ્ઞાન રૂપ વિવેક થતાં જ તેનો - કર્મનો વિપાક શિથિલ થઈ જાય આવો વિવેક થતાં જ આસવ છે, ઢીલો પડી જાય છે; અને મેઘપટલની ઘટના (રચના) વિઘટિત થતાં, નિવૃત્તિ મેઘ પટલ વિખરાયે ઘટાટોપ થયેલાં વાદળાં વિખેરાઈ જતાં, જેમ દિશા વિસ્તાર નિરર્ગલ દિશા વિસ્તારનું દૃષ્ટાંત પ્રસરવાળો હોય છે અર્થાત અનંત દિશા વિસ્તારને રોકનાર અર્ગલા - ' ૪૮૪
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy