SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૫૮ થી ૬૦ 'એમ ગંધ-રસ-સ્પર્શ-રૂપ-શરીર-સંસ્થાન-સંહનન, રાગ, દ્વેષ-મોહ, પ્રત્યય-કર્મ-નોકર્મ-વર્ગ-વર્ગણા, અધ્યાત્મસ્થાન - અનુભાગ સ્થાન - યોગસ્થાન - બંધસ્થાન - ઉદયસ્થાન - માર્ગણાસ્થાન - સ્થિતિબંધ સ્થાન - સંક્લેશ સ્થાન - વિશુદ્ધિસ્થાન - સંયમલબ્ધિ સ્થાન, જીવસ્થાન - ગુણસ્થાન પણ - વ્યવહારથી અદ્ દેવોનું પ્રજ્ઞાપન છતાં - નિશ્ચયથી નિત્યમેવ અમૂર્તસ્વભાવી ઉપયોગ ગુણથી અધિક એવા જીવના સર્વેય છે નહિ, - તાદાભ્યલક્ષણ સંબંધના અભાવને લીધે. ૫૮-૫૯-૬૦ અમૃત જ્યોતિ' મહાભાષ્ય દેહધારી આત્મા પંથી છે અને દેહ એ ઝાડ છે, આ દેહરૂપી ઝાડમાં (નિત્યે) જીવરૂપી પંથી વટેમાર્ગુ થાક લેવા બેઠો છે. તે પંથી ઝાડને જ પોતાનું કરી માને એ કેમ ચાલે ?” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૭૬), ઉપદેશ નોંધ, ૩૫ પંથી જન લૂંટતાં ચોરને જેમ ભણે, વાટે કો લૂંટિયે તેમજ મૂઢો ગિણે, એક ક્ષેત્રે મલ્યા અણુતણી દેખતો, વિકૃતિ એ જીવની પ્રકૃતિ ઉવેખતો.” - શ્રી યશોવિજયજી કૃત સાડા ત્રાગાથા.ત. ૧૬-૫ ઉપરમાં એમ કહ્યું કે “વર્ણાદિ જીવના વ્યવહારનયની અપેક્ષાએ ભગવાન જિનોએ કહ્યા છે અને નિશ્ચયથી - તત્ત્વથી તો તેમ નથી, તો પછી અભૂતાર્થ એવો તે વ્યવહાર અવિરોધક કેમ છે ? વિરોધ નહિ પામતો એવો કેમ છે ? તેનો ખુલાસો કરતાં શાસ્ત્રક પરમર્ષિએ (કુંદકુંદાચાર્યજીએ) અત્રે લૂંટાતા પંથ'નું લોકપ્રસિદ્ધ સુંદર દેણંત રજૂ કર્યું છે અને આત્મખ્યાતિ કર્તા પરમર્ષિએ (અમૃતચંદ્રાચાર્યજીએ) તેનું તાદેશ્ય સ્વભાવોક્તિમય સુંદર શબ્દચિત્ર આલેખી બિંબ પ્રતિબિંબ ભાવથી તે સાંગોપાંગ વિવરી દેખાડી પરમાર્થ પરિસ્યુટ પ્રકાશ્યો છે. તેનો ભાવાર્થ આ પ્રકારે – જેમ પંથે - માર્ગે ચાલ્યા જતા સાર્થને-પથિક સમૂહને લૂંટાતો દેખીને તાત્' - તાણ્યથી – તત્રસ્થપણાથી - ત્યાં તે સ્થિતિ કરી રહ્યો હોવાના કારણે “આ માર્ગ લૂંટાયા “આ પંથ લૂંટાણો' છે - “મુશ્ચત ઉષ પંથ:' એમ આરોપ રૂપ તેના “ઉપચારથી તેની જેમ વ્યવહારથી વ્યવહારીઓનો - વ્યવહારી જનોનો “વ્યપદેશ' - નિર્દેશ - કથન પ્રકાર છે, જીવનો આ વર્ણ ઈ. છતાં “નિશ્ચયથી' - તત્ત્વથી - પરમાર્થથી જોઈએ તો વિશિષ્ટ આકાશ પ્રદેશ રૂપ લક્ષણવાળો કોઈ પણ પંથ-માર્ગ ખરેખર ! લૂંટાતો નથી, તેમ જીવમાં બંધ પર્યાયથી કર્મનો ને નોકર્મનો વર્ણ (રંગ) “ઉભેલીને’ - જાણે અવલોકીને - જાણે પ્રતિભાસ પામીને “તાશ્મથી' - તત્રસ્થપણાથી - ત્યાં તે સ્થિતિ કરી રહ્યો હોવાના કારણે “જીવનો આ વર્ણ” નીવવૈષ વ’ એમ આરોપ રૂપ તેના ઉપચારથી વ્યવહારથી ભગવત્ અહંતુ દેવોનું પ્રજ્ઞાપન - પ્રરૂપણ છે. છતાં, “તિ વ્યવહારતો વિદ્રવાનાં પ્રજ્ઞાપને', નિશ્ચયથી તત્ત્વથી – પરમાર્થથી જોઈએ તો નિત્યમેવ - સદાય અમૂર્ત સ્વભાવી “ઉપયોગ ગુણાધિક' જીવોનો કોઈ પણ વર્ણ છે નહિ. અર્થાત્ જીવ-પુદ્ગલનો અનાદિ સંશ્લેષ રૂપ - સંયોગ સંબંધ રૂપ બંધપર્યાય છે, તેથી જીવ-પુદ્ગલની એક ક્ષેત્રાવગાહપણે સહસ્થિતિ છે (Co-existence), એટલે “તાથ્યથી” - ત્યાં જીવમાં સંયોગ સંબંધે સ્થિતિ કરી રહ્યો હોવાના કારણે કર્મનો ને નોકર્મનો વર્ણ જાણે જીવમાં પડે છે એમ પ્રતિભાસપણે દેખીને - ઉન્ટેક્ષીને આરોપ રૂપ તેના ઉપચારથી “જીવનો આ વર્ણ” એમ વ્યવહાર નયની અપેક્ષાએ વિશ્વની પૂજના પરમ પાત્ર - પરમ પૂજઈ - અતિ અને અનંત જ્ઞાનાદિ દિવ્ય આત્મગુણ સંપન્ન એવા ૨૧ “પુષિતત્વ વા પથાર્ત પશુપતિ | तथा व्यवहाराताश्चिद्रूपे कर्मविक्रियाम् ॥ स्वत एव समायाति कर्माण्यारव्यशक्तितः । ક્ષેત્રાવન જ્ઞાની તત્ર નવોમા ” - શ્રી યશોવિજયજી કૃત અધ્યાત્મોપનિષદ્ ૨-૩૧-૩૨ ૪૧૭
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy