SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૫૬ કસુંબલ - રાતા રંગ કપડાનો” એમ લોક વ્યવહારમાં પરનો ભાવ પરનો કહેવાય છે, તેમ આ જીવ છે, તે મૂળ તો સૂત્ર-સૂતરની જેમ શ્વેત-નિર્મલ- ઉજ્વલ-શુક્લ-શુદ્ધ છે, પણ તે અનાદિ બંધસંયોગથી પદ્રલ રૂપ પરદ્રવ્યના રંગથી રંગાયેલું છે, તેને તે પુદ્ગલ રંગના ઔપાધિક ભાવને અવલંબી “આ વર્ણાદિ ભાવ જીવના' એમ વ્યવહારનયથી પરનો ભાવ પરનો કહેવાય છે - પરમાવે પુરસ્ય વિટાતિ અર્થાતુ. કસુંબલ રંગ સુતરાઉ કપડાનો' એમ સામાન્ય લોક વ્યવહારમાં પણ જેમ એક દ્રવ્યનો ભાવ બીજા દ્રવ્યમાં આરોપાય છે, ઉપચરાય છે તેમ “વર્ણાદિ ભાવ જીવના' એમ વ્યવહારનયથી પુદ્ગલ દ્રવ્યના ભાવ જીવ દ્રવ્યમાં આરોપાય છે - ઉપચરાય છે. વરનાદિક પરભાવ એ, હૈ સબ તનકે અંગ, નવ નવ રંગ ગહે ફટિક, પડ્યું ઉપાધિક સંગ.” શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ, ૧-૩૩ “શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં કરતાં રાગ-દ્વેષનો ક્ષય થાય.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૯), પૃ. ૪૮૧ પણ “નિશ્ચયનયસ્તુ દ્રવ્યાશ્રિતત્વનું નિશ્ચય નય જે છે, તે તો દ્રવ્યાશ્રિત છે, દ્રવ્ય દૃષ્ટિપ્રધાન હોઈ દ્રવ્યનો આશ્રય કરીને પ્રવર્તે છે. એટલે “ફ્રેવતી નીવર્ય સ્વામીવિઠ્ઠ દ્રવ્યાશ્ચિત નિયયનય પરભાવ મવમવક્તવ્યસ્તવમન:' - કેવલ-માત્ર-અદ્વૈત જીવના સ્વાભાવિક - પરનો પ્રતિષેધે છે સ્વભાવભૂત ભાવને અવલંબીને ઉલવતો - કુદી પડતો સતો, તે પરનો પરભાવ સર્વ જ નિષેધે “રમાવં પુરી સર્વ પ્રતિષેધતિ' - છે, એક દ્રવ્યને બીજા દ્રવ્યનો ભાવ આરોપતો નથી. એટલે જ તે પર એવા પુદ્ગલ દ્રવ્યના વર્ણાદિ ભાવોનું જીવમાં આરોપણ કરતો નથી. આમ બન્ને નયની દૃષ્ટિ - અપેક્ષા જૂદી જૂદી છે, એટલે વ્યવહારનયની દૃષ્ટિએ દેખતાં વર્ણથી માંડી ગુણસ્થાન સુધીના સર્વ પુદ્ગલ પરિણામ રૂપ ભાવો જીવના છે વ્યવહારમાં વહયોગુણસ્થાનાંતામાવા નીવસ્ય સંત’ - પણ નિશ્ચયનયની દૃષ્ટિએ દેખતાં તો તે તે વર્ણાદિ પૌલિક ભાવો જીવના છે નહિ, નૈન ન સંતિ - આમ બને નયની ભિન્ન ભિન્ન દૃષ્ટિ - અપેક્ષાએ નય વિભાગ યુક્ત છે - યથાયોગ્ય છે, એટલે (વ્યવહારનયથી) અન્ય શાસ્ત્રોમાં “વર્ણાદિ જીવના છે અને અત્રે કહ્યું કે જીવન નથી, એવી જે પ્રજ્ઞપ્તિ - પ્રરૂપણા છે. - તે આમ નય વિભાગથી યુક્ત જ છે, યુક્તિ યુક્ત જ છે, ન્યાય જ છે, “તિ યુવતા પ્રજ્ઞ.’ | સ્વમાં પર આરોપણ ૦ ) નિશ્ચય દૃષ્ટિ દ્રવ્યાશ્રિત વ્યવહાર દૃષ્ટિ પર પર્યાયાશ્રિત સ્વ બંધ પર્યાય ભેદજ્ઞાન પર જીવે પુલ ૪૧૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy