SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ षड्दर्शन समुशय भाग- १, श्लोक -१ જગતની ઉત્પત્તિ માને છે. કેટલાક જગતને (એઇંડામાંથી ઉત્પન્ન થયેલ માને છે. આશ્રમીઓ જગતને (૨૩)અહેતુક માને છે. પૂરણ જગતને (જીનિયતિજનિત માને છે. પરાશર (૨૫પરિણામથી ઉત્પન્નથયેલ જગતને માને છે. કેટલાક (૨)યાદચ્છિક જગતની (૨૨) અંડવાદિઓની માન્યતાઃ લોકતત્ત્વનિર્ણય - नारायणपराऽव्यक्ता - दंडमव्यक्तसंभवं । अंडस्यांतस्त्वमी भेदाः सप्त द्वीपा च मेदिनी ।।२५।। गर्भोदकं समुद्राश्च, जरायुश्चापि पर्वताः । तस्मित्रंडे त्वमीलोकाः सप्त सप्त प्रतिष्ठा ।।२६।। तत्रेहाद्यः स भगवानुषित्वा परिवत्सरं । સ્વયમેવાભના ધ્યાત્વા, તવંડમરોત્ ક્રિયા પાર૭Tી તાપ્યાં સ સર્ટીમ્યાં તુ, વિવું ખૂષ = નિર્મને ર૮ાા પૂર્વાર્ધ II - નારાયણથી પર (ભિન્ન) અવ્યક્ત છે. તે અવ્યક્તમાંથી એક ઇંડુ ઉત્પન્ન થયું. સૃષ્ટિમાં આ બધો ભેદ અને સાત દ્વીપવાળી પૃથ્વી પણ ઇંડામાંથી ઉત્પન્ન થયેલ જાણવી. આ સમુદ્રો તે ઇંડામાંનું ગર્ભજલ જાણવું અને પર્વતો તે ઇંડામાંનું જરાયું (ગર્ભમાં થતી પાતળી ચર્મજાલ) છે. એવા ઇંડાના મધ્યભાગમાં સાત-સાત લોક રહેલા છે. (ભૂ, ભુવ: સ્વ: મહs, જન, તપ અને સત્ય એ સાત લોક ઉપર અને તેલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, પાતાલ એ સાત લોક નીચે છે.) તે ઇંડામાં તે આદિ (નારાયણ) ભગવાને સંપૂર્ણ એક વરસ રહીને-વસીને, વિચારકરીને પોતે જ તે ઇંડાના બે ભાગ કર્યા; તે બેભાગમાંથી એકભાગને સ્વર્ગરૂપે અને બીજા ભાગને ભૂમિ(પૃથ્વી)રૂપે સ્થાપ્યો. (૨૩) અહેતુકવાદિઓની માન્યતાઃ લોકતત્ત્વનિર્ણય. દેતુરહિતા અવન્તિ દિ, માવા: પ્રતિસમયમવિશિત્રા: | બાવાદ ન આવ્ય, સંવરહિતવપુષ્પમિવ || દરેક સમયે વિચિત્રરૂપે થનારા આ પદાર્થો નિશ્ચયે હેતુવિનાના છે. અર્થાત્ પદાર્થોમાં જે કંઈ ફેરફાર થાય છે તેમાં કોઈ કારણ નથી. (સ્વાભાવિક રીતે થયા કરે છે.) કારણ કે ભાવવિના ભાવ ન હોય (અર્થાત્ પદાર્થ વિના પદાર્થપરિવર્તન ન હોય) અને ભાવ્યરહિત ભાવ ન હોય અને જો ભાવ હોય (એટલે કે પદાર્થનો જ અભાવ હોય) તો આ સઘળુયે ભાવ-ભાવ્ય ઇત્યાદિ આકાશ-પુષ્પની માફક અસત્ (અસંભવિત) છે. માટે જગતની વિચિત્રતાઓ અહેતુક છે. (૨૪) નિયતિવાદિની માન્યતા: प्राप्तव्यो नियतबलाश्रयेण योऽर्थः, सोऽवश्यं भवति नृणां शुभोऽशुभो वा । भूतानां महति कृतेऽपि हे प्रयत्ने, नाऽभाव्यं ભવતિ ન પવનોકતિ નાશ: iાર જે શુભ અથવા અશુભ અર્થ (વસ્તુ) નિયતિબળના વશથી થવાનો હોય તે મનુષ્યોને અવશ્ય થાય છે. જીવો ઘણો પ્રયત્ન કરે તો પણ જે ન થવાનું હોય તે ન જ થાય અને જે થવાનું હોય તેનો નાશ થતો નથી. માટે જગતના સર્વભાવો નિયતિબળને આધીન છે. (૨૫) પરિણામવાદિની માન્યતા પ્રતિસક પરિણામ:, પ્રત્યાત્મિતજી સર્વપાવાનીમ્ | સંમતિ નેછપ, છ મતિની સ્માત્ રૂ|| - સર્વપદાર્થોનો પોત-પોતાના સ્વરૂપમાં વર્તતો પરિણામ, પ્રતિસમયે ઇચ્છા વિના પણ થાય છે. કારણ કે પોતાની ઇચ્છા અનુક્રમે પ્રવર્તનારી હોય છે. (તેથી વસ્તુના પરિણામ ઇચ્છાથી જ થાય એમ નથી.). (૨૩) યાદચ્છિમિદં સર્વ, વત્ પૂતવિIRનું વાને વરુપ તુ, વહુધા સંપ્રપવિતા: ૬૦|| - કેટલાક લોકો આ જગતને યાદચ્છિક (અતર્મિત-અકસ્માતે) ઉત્પન્ન થયેલું માને છે. કેટલાક પંચભૂતના વિકારથી બનેલું માને છે. કેટલાક લોકો અનેકરૂપવાળું માને છે. એમ જગતની ઉત્પત્તિના વિષયમાં અનેકમતવાદિઓ અનેક વિચારોમાં (માન્યતાઓમાં) દોડેલા છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy