SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन १७३ શંકા : ઉન્નત્વાદિનું વિશિષ્ટ અસર્વજ્ઞ વડે નિશ્ચિત કરવા માટે શક્ય નથી. સમાધાનઃ આવું કહેવું યોગ્ય નથી. કારણકે જો આવું માનશો તો =કારણનું વિશિષ્ટત્વ અસર્વજ્ઞવડે નિશ્ચિત કરવા માટે શક્ય નથી આવું માનશો તો) સર્વ અનુમાનોના ઉચ્છેદની આપત્તિ આવશે. જેમકે (તે આ પ્રમાણે) “મશકાદિથી વ્યાવૃત્ત ધૂમાદિનું પણ સ્વસાધ્યની સાથે અવ્યભિચારિત્વ અસર્વજ્ઞવડે નિશ્ચિત કરવા માટે શક્ય નથી.” અર્થાતુ મચ્છરાદિથી ધૂમનો ભેદ જાણી પણ લેવાય, તો પણ તે ધૂમ સદા સ્વસાધ્યનો અવ્યભિચારી થશે, આવું જાણવું અસર્વજ્ઞોના સામાથ્યની વાત નથી, આવું પણ કહેવા માટે શક્ય જ છે. તેથી ધૂમથી અગ્નિનું અનુમાન કરવું કઠીન બની જશે. આથી સર્વ અનુમાનોનો ઉચ્છેદ થવાની આપત્તિ આવશે. જોઈએ. (૧) ધૂમાદિ હેતુમાં વ્યાપ્તિ “યત્ર યત્ર ધૂમ તત્ર તત્ર વહિન” આવી વ્યાપ્તિનું જ્ઞાન. તથા (૨) હેતુ ધૂમ પર્વતાદિ પક્ષમાં છે અર્થાત્ “પર્વતો ધૂમવાનું” આશય એ છે કે (૧) પર્વતો ધૂપવાન અને (૨) ધૂમો વનવ્યાણ (વ્યાપ્તિનું સ્મરણ) આ બે લિંગપરામર્શ થયા બાદ વાવ્યાણઘૂમવાનાં પર્વત’ એવો પરામર્શ થાય છે અને આ પરામર્શથી ‘પર્વતો વન' ઇત્યાકારક જ્ઞાન થાય છે. તેને અનુમિતિ કહેવાય છે. હેતુમાં એટલે અનુમાનમાં જ્યારે નીચેની પાંચ વસ્તુ હોય ત્યારે સદ્હેતુ (સાચું અનુમાન) કહેવાય છે. (૧) પક્ષઘā - હેતુનું પક્ષમાં રહેવું (૨) સપક્ષે સર્વ - સપક્ષમાં હોવું (૩) વિપક્ષાત્ વ્યવૃત્તિ - વિપક્ષમાં ન હોવું (૪) અવધિવિપત્વિમ - બાધ ન હોવો (૫) અસત્રતિપક્ષā - સત્યતિપક્ષ ન હોવો અગ્નિસાધક ધૂમમાં આ પાંચે બાબત છે તેથી તે સહેતુ છે. અનુમાનના બે પ્રકારઃ (૧) સ્વાર્થનુમાન (૨) પરાર્થનમાન. (૧) (૧) સ્વાર્થનુમાનઃ સ્વાર્થ સ્વાનુતિદેતુ : સ્વાનુમિતિ(સ્વસમવેત અનુમિતિ)ના કારણભૂત અનુમાનને સ્વાર્થીનુમાન અનુમાન કહેવાય છે. પોતે જ વારંવાર ધૂમ અને વનિને મહાન સાદિમાં જોવાથી “જ્યાં જ્યાં ધૂમ છે, ત્યાં ત્યાં વહિન છે.” આ પ્રમાણે વ્યાપ્તિને ગ્રહણ કરી પર્વતસમીપે ગયો. ત્યાં પર્વતને વિશે અગ્નિના સંદેહવાળો ધૂમને જોતો ગ્રહણ કરેલી વ્યાપ્તિનું સ્મરણ કરે છે કે “જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં વહ્નિ છે.” ત્યારબાદ તેને “દિવ્યાણપૂવાનાં પર્વતઃ “ઇત્યાકારક જ્ઞાન થાય છે. જે લિંગપરામર્શ કહેવાય છે. તે લિંગપરામર્શથી તેને “પર્વતો વનિHI” ઇત્યાકારક અનુમિત્યાત્મકજ્ઞાન ઉત્પન્ન થાય છે, જે કારણથી અહીં અનુમાન સ્વાનુમિતિનું કારણ બને છે તે કારણે તે અનુમાનને “સ્વાર્થનુમાન' કહેવાય છે. ન્યાયબોધિનીમાં સ્વાર્થનુમાનની વ્યાખ્યા આ પ્રમાણે કરેલ છે. સ્વાર્થનુમાનં નામ ચાવાકયોન્યાનુમાનમ્ | પંચાવયવરૂપ ન્યાયથી અપ્રયોજ્ય અનુમાનને સ્વાર્થનુમાન કહેવાય છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy