SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્દર્શન સમુધ્રુવ ભાગ - ૨, ોજ - ૨૪, ૫, ૬, નૈવાવિક વર્ણન પક્ષીઓ ફરે છે, હલન-ચલન થતું નથી, તેથી સ્થાણું જ સંભવે છે.” આ રીતે સ્થાણુના અન્વયધર્મના ચિંતનને તર્ક કહેવાય છે. १४८ (૯) નિર્ણય : સંદેહની પછી તર્ક દ્વારા નક્કી થાય કે ‘આ આ જ છે’-આવું અવધારણ કરવું તે નિર્ણય કહેવાય છે. દા.ત. ‘આ સ્થાણું જ છે’-આવો નિશ્ચય તે નિર્ણય કહેવાય છે. તર્ક અને નિર્ણય બે પદોનો દ્વન્દ્વ સમાસ થયેલો છે. (૧૦) વાદ : ગુરુની સાથે તત્ત્વનિર્ણય માટે બોલવું (ચર્ચા કરવી) તે વાદ કહેવાય છે. (૧૧) જલ્પ : બીજાની સાથે જીતવાની ઇચ્છાથી બોલવું (ચર્ચા કરવી) તે જલ્પ કહેવાય છે. (૧૨) વિતંડા : વસ્તુતત્ત્વને વિચાર્યાવિના બોલ-બોલ કરવું તે વિતંડા. (અથવા વાદિએ સ્થાપેલા પક્ષનો સ્પર્શકર્યાવિના (વાદિના) તત્ત્વનું પ્રતિવાદિદ્વારા ખંડન કરવું અથવા પ્રતિવાદિ દ્વારા તત્ત્વમાં જુઠોઆરોપ મુકવો તે વિતંડા કહેવાય છે.) (૧૩) હેત્વાભાસ : જે હેતુ ન હોય પણ હેતુ જેવો ભાસતો હોય તેને હેત્વાભાસ કહેવાય છે. અર્થાત્ તે સમ્ય ́તુઓ નથી. (૧૪)છલ : બીજાનાવચનના વિઘાતમાટે વિકલ્પોને ઉત્પન્ન કરવા તે છલ કહેવાય છે. અર્થાત્ વાદિના ઇષ્ટ અર્થ કરતાં જુદા અર્થની ઉપપત્તિ કરીને વાદિએ કહેલા વાક્યનું ખંડન કરવું તેનું નામ છલ છે. : (૧૫) જાતિ : અસમ્યગ્ દૂષણોને જાતિ કહેવાય છે, (અથવા સાધર્મ્સ અને વૈધર્મ્સથી સાધ્યનો પ્રતિષેધ કરવો તેનું નામ જાતિ છે.) (૧૬) નિગ્રહ સ્થાન : જે કહેવાદ્વારા વક્તાનો પરાજય થઈ જાય=વક્તા નિગૃહીત થઈ જાય તે નિગ્રહસ્થાન કહેવાય છે. આમ નજીકમાં (ઉપર) કહેલા પ્રમાણ આદિનું આ પ્રકારે સામાન્યથી સ્વરૂપ કહ્યું. ત્યાં પ્રારંભમાં પ્રમાણતત્ત્વની પ્રરૂપણા ક૨વાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી પ્રથમ તેનું સામાન્યલક્ષણ અને પ્રમાણની સંખ્યા કહે છે. પ્રમાણનું સામાન્યલક્ષણ અર્થોપધ્ધિહેતુ: ચાસ્ત્રમાળમ્। અર્થાત્ પદાર્થના ઉપલબ્ધિ (જ્ઞાન)માં જે કારણ હોય તેને પ્રમાણ કહેવાય છે. - પ્રમાણદ્વારા ગ્રાહ્ય એવા સ્તંભ, કુંભ, મેઘઆદિ બાહ્યઅર્થોની તથા સુખ-દુઃખાદિ આંતરઅર્થોની ઉપલબ્ધિ (જ્ઞાન) થાય છે. “વ્યાાનતો વિશેષપ્રતિપત્તિ અર્થાત્ “પદની વ્યાખ્યાકરવાથી વિશેષજ્ઞાન થાય છે.” આ ન્યાયથી અહીં અવ્યભિચારિ, અવ્યપદેશ્ય (શબ્દથી કહી ન શકાય તેવું), વ્યવસાયાત્મિક (નિશ્ચયાત્મક) અર્થોપલબ્ધિ ગ્રહણકરવી જોઈએ. પણ ઉપલબ્ધિ માત્ર નહીં. તે ઉપલબ્ધિનો જે હેતુ (કા૨ણ) તે પ્રમાણ છે. અર્થોપલબ્ધિ પ્રમાણનું ફલ છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy