SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन તેથી અવિસંવાદકત્વ જ પ્રમાણનું નિર્દોષલક્ષણ છે. Iટા अथ प्रमाणस्य विशेषलक्षणं विवक्षुः प्रथमं प्रमाणसंख्यां नियमयन्नाहહવે પ્રમાણના વિશેષલક્ષણને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી પ્રથમ પ્રમાણની સંખ્યાનું નિયમન કરતાં કહે છે કે प्रमाणे द्वे च विज्ञेये तथा सौगतदर्शने । प्रत्यक्षमनुमानं च सम्यग्ज्ञानं द्विधा यतः ।।९।। गतं न गम्यते तावदगतं नैव गम्यते । गतागतं विनिर्मुक्तं गम्यमानं न गम्यते ।।२/१।। - જે માર્ગ ગમનદ્વારા પસાર કરી દીધો છે, તેને આપણે જાન્યતે' (તે માર્ગ પસાર કરાય છે - થઈ રહ્યો છે) કહી શકતા નથી. “Tગતે વર્તમાનકાલીકક્રિયા છે કે જે ભૂત ભૂતકાલીન) પદાર્થના વિષયમાં પ્રયુક્ત થઈ શકતી નથી. અને જે માર્ગઉપર હજુ હવે ચાલવાનું છે તેના માટે પણ અગતે’ નહીં કહી શકાય. માર્ગના બે જ વિભાગ થઈ શકે - એક, જેને પસાર કરી દીધો છે (a) અને બીજો કે જેને હવે ભવિષ્યમાં પસાર કરવાનો છે (સાત). આ બંને સિવાય બીજો કોઈ માર્ગ નથી કે જેના ઉપર ચાલી શકાય. તેથી ફલત: ગમનક્રિયા અસિદ્ધ થઈ જાય છે. કર્તાની ક્રિયા કલ્પનાની સાથે સંબદ્ધ રહે છે, જ્યારે ક્રિયા જ અસિદ્ધ છે, ત્યારે સ્વાભાવિક કર્તાની અસિદ્ધિ છે. ગમનની સમાન જ સ્થિતિની કલ્પના નિરાધાર છે. સ્થિતિ કોના વિષયમાં પ્રયુક્ત કરી શકાય છે - (ત્તા) ગમનકર્તા)ના વિષયમાં કે ‘કાન્તા' (ગમન નહીં કરનાર)ના વિષયમાં ? ગમન કરવાવાળો ઊભો રહે છે, તે કલ્પના વિરોધિ હોવાથી ત્યાજ્ય છે. ગમન સ્થિતિની વિરુદ્ધક્રિયા છે. આથી ગમનનો કર્તા વિરોધી ક્રિયા (સ્થિતિ)નો કર્તા થઈ શકતો નથી. “અગન્તા (ગમન નહીં કરનાર) ઊભો રહે છે આ કથન ઠીક નથી. કારણકે જે વ્યક્તિ ગમન જ નથી કરતો તે તો સ્વયં સ્થિત છે. તો તેને ફરીથી ઉભોરહેવાની આવશ્યક્તા શું છે ? આથી અગત્તાનું પણ અવસ્થાન ઊચિત નથી. આ બંનેને છોડીને ત્રીજો વ્યક્તિ કોણ છે કે જે સ્થિતિ કરે. ફલત: કર્તાના અભાવમાં ક્રિયાનો નિષેધ અવયંભાવી છે. આથી સ્થિતિની કલ્પના માયિક છે. ગતિ અને સ્થિતિ બંને સાપેક્ષિક હોવાથી અવિદ્યમાન છે. આથી કહ્યું છે કે... गन्ता न तिष्ठति तावदगन्ता नैव तिष्ठति । अन्यो गन्तुरगन्तु कस्तृतीयोऽथ तिष्ठति ।। આત્મપરીક્ષા નાગાર્જુને આત્માની પરીક્ષામાટે માધ્યમિકકારિકાગ્રંથમાં એક સ્વતંત્ર પ્રકરણ-૧૮ની રચના કરી પૂર્વે જે દ્રવ્યની કલ્પના સમજાઈ ગઈ છે, તેનાથી સ્પષ્ટ છે કે ગુણસમુચ્ચયથી અતિરિક્ત તેની (દ્રવ્યની) સ્વતંત્ર સત્તા નથી. એ જ નિયમનો ઉપયોગ કરીને આપણે કહી શકીએ છીએ કે માનસવ્યાપારોથી અતિરિક્ત આત્માનામના પદાર્થની પૃથફસત્તા નથી. દૈનિક અનુભવમાં આપણે આપણા માનસવ્યાપારોથી સર્વથા પરિચિત છીએ. જ્ઞાન, ઇચ્છા તથા પ્રયત્ન - આપણા જીવનના પ્રધાન સાધન છે. આપણું મન ક્યારેય પણ આ ત્રણ વ્યાપારોથી આપણને મુક્ત કરી શકતું નથી. આ ત્રણના સમુદાયને આપણે “આત્મા' કહીએ છીએ, કેવલ વ્યવહાર માટે. વસ્તુત: કોઈ A प्रत्यक्षमनुमानं च प्रमाणं हि द्विलक्षणम् । प्रमेयं तत्प्रयोगार्थं न प्रमाणान्तरं भवेत् ।। प्र. समु० १/२ ।। द्विविधं सम्यग्ज्ञानं । પ્રત્યક્ષમનમાનં વેતિ ચિવિ. ૧/૨,]
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy