SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૩-૧૪ зч વળી, ગ્રંથકારશ્રીએ શ્રી સિદ્ધસેનદિવાકસૂરિજીની નિશ્ચયદ્વાર્નાિશિકાનો શ્લોક બતાવીને કહ્યું કે, તે મતાનુસાર આકાશથી જ દિગૂ કાર્ય સિદ્ધ થાય છે તેમ માનીએ તો, કાળદ્રવ્યનું કાર્ય કથંચિત્ આકાશથી જ ઉપપન્ન માનવું જોઈએ. ત્યાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીની નિશ્ચયદ્રાવિંશિકા'ની ગાથા-૨૫નો અર્થ આ પ્રમાણે છે – આકાશને અવગાહન કરીને આકાશથી અનન્ય દિગુ છે તેથી દિગુ દ્રવ્ય આકાશથી પૃથગુરૂપે અન્યથા છે–પૃથગુરૂપે સિદ્ધ થતું નથી. તેથી એ પ્રાપ્ત થાય કે, દિશાનો વ્યવહાર “આ પૂર્વ દિશા છે, આ પશ્ચિમ દિશા છે' ઇત્યાદિ કરવા અર્થે છે અને તે આકાશદ્રવ્યના જ તે તે ભાગને આશ્રયીને થઈ શકે છે. તેથી આકાશથી અન્ય કોઈ દિશા નથી માટે ભગવાનના શાસનમાં “દિશા” નામનું દ્રવ્ય સ્વીકાર્યું નથી અને જેઓ આકાશ કરતાં દિશાને અન્ય માને છે તેવો ન્યાયદર્શનનો મત અન્યથા છેઃદિશાનું સ્વતંત્ર કાર્ય સિદ્ધ નહીં થવાથી દિશાને સ્વતંત્ર સ્વીકારવામાં અપ્રમાણરૂપ છે. અહીં પ્રશ્ન થાય કે, “નિશ્ચયઢાત્રિશિકા'ની ગાથા-૨પના પૂર્વાર્ધમાં જેમ આકાશથી દિશાને અન્યથા સિદ્ધ કરી, તેમ ગાથા-૨૪માં બતાવેલ ગતિમાં સહાયક એવા ધર્માસ્તિકાયને અને સ્થિતિમાં સહાયક અધર્માસ્તિકાયને સ્વીકાર્યા, તે બેના કાર્યને પણ આકાશના કાર્યથી સ્વીકારીને તે બેને આકાશથી પૃથગુ ન સ્વીકારીએ તો શું વાંધો ? અથવા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યથી આકાશને સ્વતંત્ર ન સ્વીકારીએ તો શું વાંધો ? તેથી અત્રે ગાથાના ઉત્તરાર્ધથી શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી કહે છે – આ રીતે=જે રીતે આકાશ દ્વારા દિશાનું કાર્ય બતાવીને દિગૂનો સ્વતંત્રરૂપે ઉચ્છેદ કર્યો એ રીતે, ધર્માસ્તિકાયનો અને અધર્માસ્તિકાયનો અનુચ્છેદ હોવાથી આકાશથી તે બેને સ્વતંત્ર માનવા પડે અર્થાત્ ધર્માસ્તિકાયનું કાર્ય ગતિમાં સહાયક થવાનું છે અને અધર્માસ્તિકાયનું કાર્ય સ્થિતિમાં સહાયક થવાનું છે, તે કાર્ય અવગાહન આપવાના સ્વભાવવાળા આકાશથી સિદ્ધ થાય છે તેમ કહી શકાય નહીં.” જ્યારે “આ પૂર્વ દિશા છે, આ પશ્ચિમ દિશા છે” વગેરે દિગુનું કાર્ય તો આકાશથી જ થઈ શકે છે. માટે દિશાનો જેમ આકાશમાં અંતર્ભાવ થઈ જાય છે તેમ ધર્માસ્તિકાયનાં અને અધર્માસ્તિકાયનાં કાર્યો આકાશથી સિદ્ધ થઈ શકે નહીં. તેથી તે બેને આકાશથી સ્વતંત્ર સ્વીકારવાં જોઈએ. વળી, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય-તે બેથી અવગાહના આપવાનું કાર્ય સિદ્ધ થઈ શકે નહીં. તેથી અવગાહના આપનાર દ્રવ્યરૂપે આકાશને તે બેથી અન્ય સ્વીકારવું જોઈએ. II૧૦/૧૩ અવતરણિકા - હવઈ કાલઢબાધિકારઈ દિગંબરપ્રક્રિયા ઉપન્યસઈ કઈ – અવતરણિકાર્ચ - હવે કાલદ્રવ્યના અધિકારમાં=પ્રસ્તુત ગ્રંથમાં કાલદ્રવ્યનો અધિકાર ચાલે છે તેમાં, દિગંબરની પ્રક્રિયાનો ઉપચાસ કરે છે –
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy