SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પપ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા-૭ અને પ્રસ્તુત ગ્રંથ સાથે તેનો વિરોધ આવે ત્યારે પોતાનું સ્થાપન કરવાનો યત્ન કરે છે પરંતુ પોતાની મિથ્થામતિને છોડીને જિતવચનનું ગ્રહણ કરતા નથી, તોપણ =જિનવચનાનુસાર હોવા છતાં પ્રસ્તુત ગ્રંથ ખલના વચનથી ખ્યાતિ પામતો નથી તોપણ, સજ્જનની સંગતિથી એ વાણીને ખ્યાતિeતે પ્રસિદ્ધપણું, મચાણી=પ્રસ્તુત ગ્રંથની વાણી વિસ્તારપણાને પામે છે. તેનાથી શું ફળ આવે છે ? તે બતાવે છે – ગુણમણિ=ગુણરૂપ જે મણિ, તેનો રત્નાકર તે સમુદ્ર, જગમાંહે તે ઉત્તમ ગુણનું સ્થાનક છે, એમ પ્રસ્તુત ગ્રંથ સર્વજ્ઞતા વચનાનુસાર હોવાથી સમુદ્રતુલ્ય ઉત્તમ ગુણનું સ્થાનક છે. તેથી ગુણી જન, જે સત્સંગતિક પ્રાણી છે, તેને યશને દેનારી એવી જે વાણી છે=પ્રસ્તુત ગ્રંથની જે વાણી છે, તે સજ્જનને અને અનંત કલ્યાણી સંઘને મારી યશ-મોટો યશ, સુસૌભાગ્યની આપણહારી એવી ભગવાનની વાણી છે=પ્રસ્તુત ગ્રંથની વાણી ભગવાનની વાણી છે. I૧૬/૭ના ભાવાર્થ - ગ્રંથકારશ્રીએ દ્રવ્યગુણપર્યાયનો રાસ સર્વજ્ઞનાં વચનોનું અને સર્વજ્ઞના વચનાનુસાર ચાલનારા સુવિહિત આચાર્યોનાં વચનોનું અવલંબન લઈને બનાવેલ છે; છતાં જેઓનો સ્વભાવ છે કે કોઈના પણ ગ્રંથની રચના સુવિશુદ્ધ હોય છતાં સ્વમતિકલ્પનાથી દોષોની કલ્પના કરીને તેમાં દ્વેષ ધારણ કરે તેવા જીવો પ્રસ્તુત ગ્રંથમાં પણ દોષોની કલ્પના કરીને દ્વેષ ધારણ કરશે. આવા ખેલ જીવો કેવા હોય છે ? તેનું લક્ષણ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – જેમ ઇષ્ટ સ્થાનથી પ્રતિકૂળની જેમ ચાલનારી નાવ જીવને વિપરીત સ્થાનમાં પહોંચાડે છે તે ખલની જિહ્વા પણ તત્ત્વના માર્ગથી પ્રતિકૂળ ચાલનારી હોય છે. આવી પ્રતિકૂળ દારુણ જિહ્વા લોકોને ઠગવા માટે કોના વડે નિર્માણ કરાઈ છે? અર્થાત્ તે જીવમાં વર્તતા વિપર્યાય આધારિત દુષ્ટ કર્મોથી જ તે જીવની તેવી જિહ્વા થયેલી છે. આવા જીવોને પોતાની તુચ્છ મતિમાં અભિમાન હોય છે તેથી પોતાનું બોલાયેલું મિથ્યાત્વ મૂકતા નથી, પરંતુ આત્મકલ્યાણના પ્રબળ કારણભૂત એવા પણ આ ગ્રંથની હલના કરીને તેઓ ઘણા લોકોને પ્રસ્તુત ગ્રંથથી વિપરીત બુદ્ધિવાળા કરે છે. સજ્જન પુરુષો વસ્તુના યથાર્થ સ્વરૂપને જોનારા હોય છે, તેથી તેઓ પ્રસ્તુત ગ્રંથ જિનવચનાનુસાર છે કે નહીં તેની સુવિશુદ્ધ પરીક્ષા કરીને જો તેઓને પ્રસ્તુત ગ્રંથ સ્યાદ્વાદને જ સ્પષ્ટ અનુસરનાર છે અને સર્વજ્ઞનાં વચનો અનુસાર જ ચાવાદને જોડનાર છે તેવો નિર્ણય થાય તો તેઓના સંગથી પ્રસ્તુત ગ્રંથની વાણી વિસ્તારને પામે છે; કેમ કે સજ્જન પુરુષો જિનાગમમાંથી તે પ્રકારના ભાવોને કાઢવા સક્ષમ છે. આ ભાવોને જ યથાર્થ રીતે કાઢીને ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં નિબદ્ધ કર્યા છે તેવો સજ્જનોને નિર્ણય થવાથી તેઓ યોગ્ય જીવોને અવશ્ય પ્રસ્તુત ગ્રંથનું માહાભ્ય બતાવશે, જેથી પ્રસ્તુત ગ્રંથ વિસ્તારપણાને પામશે. વળી, ગુણરૂપ જે મણિ છે, તેનો રત્નાકર અર્થાત્ સમુદ્ર, જે જગતમાં ઉત્તમ ગુણોનું સ્થાનક છે, તે જિનાગમ છે આવું સજ્જન પુરુષો જાણનારા છે. તેથી સત્પરુષોના સંગને કરનારા એવા ગુણીજન માટે
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy