SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | દુહા | ગાથા-૩ ગાથાર્થ : જ્ઞાનરહિત જે શુભ ક્રિયા સામાયિકાદિ શુભ અનુષ્ઠાન, દિક્યારહિત શુભ જ્ઞાન સામાયિકાદિ ક્રિયારહિત યોગમાર્ગના મર્મને બતાવનાર દ્રવ્યાનુયોગના હાર્દને સ્પર્શનાર શુભ ફાન, ખજુઆ= આગિયો, અને ભાણ સૂર્ય, જેટલું અંતર તે બંને વચ્ચેનું અંતર, યોગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે. દુહા-all બો - જ્ઞાનરહિત જે શુભ ક્રિયા, ક્રિયારહિત શુભ જ્ઞાન, યોવૃષ્ટિસમુખ્યામાં ગ્રંથનઈ વિષઈ કહિઉં છઈ, -આંતરઉં જેતલઉં-ખજુઆ અનઈં ભાણ કહિઈ સૂર્ય. I/દુહા-૩ ટબાર્થ - જ્ઞાનરહિત જે શુભ ક્રિયા દેશવિરતિ-સર્વવિરતિનાં સર્વ અનુષ્ઠાનો, ક્રિયારહિત શુભજ્ઞાન= તપત્યાગાદિ અનુષ્ઠાનો રહિત શાસ્ત્રના મર્મને સ્પર્શનારું શુભજ્ઞાન, યોગદષ્ટિસમુચ્ચયમાં “યોગદષ્ટિસમુચ્ચય” ગ્રંથમાં જેટલું ખજુઆ=આગિયો અને ભાણ સૂર્ય, વચ્ચેનું અંતરું છે, તેટલું આંતરું કહ્યું છે. આદુહા-૩ ભાવાર્થ : જેઓ આત્મકલ્યાણના અર્થી છે. તેઓને સામાન્યથી બોધ હોય છે કે જેમ ખાવાની ભોગાદિની ક્રિયાથી જેમ કર્મ બંધાય છે તેમ તપત્યાગાદિ ધર્માનુષ્ઠાનોથી કર્મનિર્જરા થાય છે. વસ્તુતઃ ખાવાની ક્રિયાથી કે ભોગાદિની ક્રિયાથી કર્મ બંધાતાં નથી, પરંતુ તે તે ક્રિયાકાળમાં વર્તતા તે તે બાહ્ય પદાર્થો સાથે સંશ્લેષને અનુરૂપ કર્મ બંધાય છે. તેથી જે ભોગાદિ ક્રિયામાં જેટલો સંશ્લેષ અતિશય અને સંશ્લેષવર્તી વિપર્યાસ અતિશય, તે પ્રમાણે અતિશયિત કર્મ બંધાય છે. જેઓને યોગમાર્ગનાં રહસ્યોને સ્પર્શે તેવો સૂક્ષ્મબોધ થયો છે, તેઓ દ્રવ્યાનુયોગના ચિંતવનથી કે યોગમાર્ગના રહસ્યને પ્રદર્શિત કરતા સૂક્ષ્મ ભાવોથી જે જે અંશથી આત્માની અસંગ પરિણતિને સ્પર્શે તેવા જ્ઞાનના ઉપયોગને પ્રાપ્ત કરે છે તે તે અંશથી તે મહાત્મા યોગમાર્ગની પ્રાપ્તિના કારણભૂત પુણ્યનું અર્જન કરે છે અને યોગમાર્ગની પ્રાપ્તિને અનુરૂપ ક્ષયોપશમનાં બાધક કર્મોની નિર્જરા કરીને ક્ષયોપશમભાવોના સંસ્કારોનું આધાર કરે છે. તેથી દ્રવ્યાનુયોગનાં કે યોગમાર્ગનાં રહસ્યોને જાણનારા યોગી ઉચિત બાહ્ય ક્રિયા ન કરે તો પણ તેઓ જે પુણ્યબંધ અને કર્મનિર્જરા કરે છે તે સૂર્યના પ્રકાશતુલ્ય વિપુલમાત્રામાં છે અને જેઓ માત્ર બાહ્ય ક્રિયા કરીને સંતોષ માને છે તેઓ તે શુભ ક્રિયા કરીને જે પુણ્યબંધ કે કર્મનિર્જરા કરે છે તે આગિયા જેવી છે અર્થાત્ સૂર્યના તેજ આગળ જેમ આગિયાનું તેજ અલ્પ છે તેમ ક્રિયારહિત જ્ઞાનવાળાની નિર્જરા અને પુણ્યબંધ કરતાં, જ્ઞાનરહિત ક્રિયા કરનારાનાં નિર્જરા અને પુણ્યબંધ અતિ અલ્પમાત્રામાં છે. દુહા-૩
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy