SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪/ ગાથા-૧૮-૧૯ ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ પ્રથમ ઢાળમાં કહ્યું કે દ્રવ્ય-ગુણ-પર્યાયના ચિંતવનથી ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ થાય છે, જેનાથી સંસારનો ઉચ્છેદ થાય છે માટે સંસારના ઉચ્છેદના અર્થીને ઉપકારક થાય તે અર્થે દ્રવ્ય-ગુણપર્યાયનું હું નિરૂપણ કરીશ. આ રીતે ગ્રંથકારશ્રીએ પ્રતિજ્ઞા કર્યા પછી બીજી ઢાળથી માંડીને અત્યાર સુધી દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ શું છે ? તેનાં લક્ષણો શું છે ? તેનો ભેદ કઈ અપેક્ષાએ છે ? તેનો અભેદ કઈ અપેક્ષાએ છે ? તેના ભેદભેદાદિક કઈ અપેક્ષાએ છે? તે સર્વ કહ્યા પછી તુચ્છ બુદ્ધિના ધણી એવા દિગંબર તેના વિષયમાં શું કહે છે ? તે બતાવીને ગુરુપરંપરાની આજ્ઞાને સામે રાખીને તેઓનાં જે એકાંત વચનો છે તેનું સામાન્યથી કથન કરીને તેમનાં જે વચનો શાસ્ત્રથી અને અનુભવથી વિરુદ્ધ છે તે બતાવીને, તેઓના કથનની ઉપેક્ષા કરી છે. વળી, જે અજાણ સ્વમતમાં કદાગ્રહવાળા છે, તેમના કહેલા પદાર્થો કઈ રીતે અનુભવ અને યુક્તિથી વિરુદ્ધ છે? તે બતાવીને તેનું નિરાકરણ કર્યું છે; જેથી યોગ્ય જીવોને સ્યાદ્વાદના મતાનુસાર દ્રવ્ય-ગુણ-પર્યાયનો યથાર્થ બોધ થાય. વળી જેઓ અલ્પ બુદ્ધિને કારણે કોઈક પદાર્થમાં સ્કૂલના પામ્યા છે તેથી તે પદાર્થને સમજી શક્યા નથી, માટે તેમની ગ્રંથકારશ્રીએ ઉપેક્ષા કરી છે અને કહ્યું છે કે પદાર્થ આ પ્રમાણે નથી, આ પ્રમાણે છે જેથી તેઓને યથાર્થ બોધ થાય. જેઓ કદાગ્રહને વશ યુક્તિથી અને અનુભવથી વિરુદ્ધ સ્વપદાર્થને સ્વીકારવામાં આગ્રહવાળા છે તેઓનાં તે કથનો યુક્તિથી અને અનુભવથી વિરુદ્ધ છે. આમ બતાવીને યોગ્ય જીવોને ઉન્માર્ગની રુચિ ન થાય તે રીતે તેઓના રક્ષણ અર્થે ગ્રંથકારશ્રીએ યત્ન કર્યો છે. માટે મધ્યસ્થપણાથી ગ્રંથકારશ્રીનાં વચનો સર્વજ્ઞના વચનાનુસાર છે કે નહીં ? તેને જાણવામાં યત્ન કરવો જોઈએ, જેથી કલ્યાણની પ્રાપ્તિ થાય. ll૧૪/૧૮ના અવતરણિકા: દ્રવ્યગુણપર્યાયના વર્ણનના સમાપ્તિકાળમાં તેનું નિગમન કર્યા પછી અત્યાર સુધી વર્ણન કરાયેલું દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ કઈ રીતે કલ્યાણની પરંપરાનું કારણ છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : જે દિન દિન ઈમ ભાવસ્થઈ, દ્રવ્યાદિ વિચાર; તે લહસ્થઈ નસ સંપદા, સુખ સઘલાં સાર. શ્રી જિન II૧૪/૧લા ગાથાર્થ : જે=જે જીવ, દિવસે દિવસે પ્રતિદિન, આ પ્રમાણે=અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રકારે, દ્રવ્યાદિકનો વિચાર ભાવશેeતેનાથી આત્માને ભાવિત કરશે, તે મહાત્મા યશની સંપદાને (અને) સઘલાં સુખના સારને પ્રાપ્ત કરશે. ll૧૪/૧૯ll
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy