SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૧૪ | ગાથા-૧૬ સંયોગથી થયેલા પુગલદ્રવ્યના પર્યાય કહેવાય; કેમ કે ૨ મિલી=બે પુદ્ગલદ્રવ્યો મળીને, એક દ્રવ્ય ઉપવૅ=ઉત્પન્ન થયું છે. તે માટે–તે માટે સજાતીયદ્રવ્યપર્યાય કહેવાય છે. મનુજાદિપર્યાય=મનુષ્યાદિ પર્યાય, તે વિજાતીયદ્રવ્યપર્યાય કહેવાય છે. ('માંહિ શબ્દને સ્થાને કહિઈ' ઉચિત લાગે છે તેથી એ પ્રમાણે અર્થ કર્યો છે.) કેમ મનુષ્યાદિ વિજાતીયદ્રવ્યપર્યાય છે? તેથી કહે છે – બે મિલી=બે મળી, પરસ્પર ભિન્તજાતીયદ્રવ્યનો પર્યાય ઉત્પન્ન થયો છે, તે વતીeતે માટે, મનુષ્યાદિ પર્યાય વિજાતીયદ્રવ્યપર્યાય છે. કેવલજ્ઞાન તે સ્વભાવગુણપર્યાય છે=જીવતા સ્વભાવરૂપ ગુણપર્યાય છે, કેમ કે કર્મરહિતપણા માટે. મતિજ્ઞાનાદિક તે વિભાવગુણપર્યાય છે; કેમ કે કર્મ પરતંત્રપણા માટે. એ ચાર ભેદ પગ=ગાથા-૧૫માં બતાવેલા અને ગાથા-૧૬ના પૂર્વાર્ધમાં બતાવેલા દાંતવાળા ચાર ભેદ પણ, પ્રાયિક જાણવા. જે માટે પરમાણુરૂપ દ્રવ્યપર્યાય તે એ ચારમાં અંતર્ભાવ પામતો નથી. તેને પર્યાયપણું પરમાણુનું પર્યાયપણું, વિભાગજાત=વિભાગથી થયેલું, શાસ્ત્રમાં કહ્યું છે. તલુન્ સમતોત્રસમ્મતિમાં તે= પરમાણુમાં પર્યાયપણું છે તે, કહેવાયું છે – અમુકુનગુહિં=અણુ-દ્ધયણથી, રાત્રે આરદ્ધ=દ્રવ્ય આરબ્ધ થયે છતે, “તિમજુતિ તસ વવસો='ચણક એ પ્રમાણે તેનો વ્યપદેશ થાય છે. તો અને તેનાથી=aણુકથી, પુખ વિપત્તો ફરી વિભક્ત, ગળુ ત્તિ નામો અબૂ હોદૃ અણુ એ પ્રમાણે થયેલો અણુ કહેવાય છે. (સમ્મતિતર્ક પ્રકરણ, કાંડ-૩, ગાથા-૩૯) ચારિથી સમ્મતિ જેવા અન્ય પાઠોનો સંગ્રહ ગ્રહણ કરાય છે. ૧૪/૧૬ ભાવાર્થ - - દિગંબર મતાનુસાર “નયચક્રને અવલંબીને ગાથા-૧૫માં પર્યાયના ચાર ભેદો બતાવ્યા. તેનાં ક્રમસર દૃષ્ટાંતો બતાવે છે – (૧) સજાતીયદ્રવ્યપર્યાય - કચણુકાદિ સ્કંધો એ સજાતીયદ્રવ્યપર્યાય છે અર્થાતુ પુદ્ગલરૂપ સજાતીયદ્રવ્ય એકઠા થઈને ચણકાદિ પર્યાયોની પ્રાપ્તિ થાય છે માટે સજાતીયદ્રવ્યપર્યાય છે; કેમ કે સજાતીય એવા પુદ્ગલો મળીને એક દ્રવ્ય ઉત્પન્ન થાય તે દ્રવ્યમાં જે પર્યાયની પ્રાપ્તિ થાય તે સજાતીયદ્રવ્યપર્યાય કહેવાય છે અર્થાત્ સજાતીય એવા પુદ્ગલો એકઠા થઈને જે સ્કંધ બન્યો તે સ્કંધમાં વર્તતા હયણુકરૂપ પરિણામ કે વ્યણુકરૂપ પરિણામ તે સ્કંધનો પર્યાય છે. આમ સજાતીયદ્રવ્યથી ઉત્પન્ન થયેલો કચણુક ઢિપ્રદેશાદિક પર્યાય હોવાથી તેને સજાતીયદ્રવ્યપર્યાય કહેવાય છે. (૨) વિજાતીયદ્રવ્યપર્યાય -મનુષ્યાદિ પર્યાય એ વિજાતીયદ્રવ્યપર્યાય છે સંસારી આત્મા અને પુગલ એ રૂપ વિજાતીયદ્રવ્યોના સંયોગથી ઉત્પન્ન થયેલા સંસારી જીવમાં મનુષ્યાદિ પર્યાયની પ્રાપ્તિ થાય છે
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy