SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૪ / ગાથા-૧૨ ‘એગત', એ ગાથાર્થનું મનમાંહે આણિ, અર્થરૂપે કરીને ધાર, જિમ મન સંદેહ દૂરિ ટલે. I/૧૪/૧ ટબાર્થ - તે જ વર્ણવીને કહે છે=ગાથામાં કહ્યું તે જ વર્ણવીને કહે છે='ઉત્તરાધ્યયનની સાક્ષીથી કહે છે. ‘ઉત્તરાધ્યયનની ગાથા – ત્તિ ઘ=એકત્વ, પુદત્ત ઘ=પૃથક્વ, સં સંતાળમેવ =સંખ્યા અને સંસ્થાન, સંનો જ વિમા IT =સંયોગ અને વિભાગ, પન્નવાને તુ નવquizવળી, પર્યાયોનું લક્ષણ છે. (ઉત્તરાધ્યયન, અ.-૨૮, સૂત્ર-૧૩) એકત્વ' એ ગાથાર્થનું ગાથાનો અર્થ, મનમાંહે આણિ=અર્થરૂપે કરીને મનમાં, ધારો. જેમ મનસંદેહ દૂર ટળે=સંયોગ એ પર્યાયનું લક્ષણ છે એમ સ્વીકારવામાં મનનો સંદેહ દૂર ટળે. ll૧૪/૧૨ાા ભાવાર્થ કેટલાક દર્શનકારો વસ્તુની આકૃતિને પર્યાય સ્વીકારે છે; પરંતુ અન્ય દ્રવ્યોની સાથે એક ક્ષેત્રમાં અવગાહનરૂપ સંયોગને અથવા અવ્યવધાનથી ઉત્તરમાં રહેવાસ્વરૂપ સંયોગને વસ્તુનો પર્યાય સ્વીકારતા નથી. તેઓના મતાનુસાર ધર્માસ્તિકાયાદિની આકૃતિ શુદ્ધદ્રવ્યભંજનપર્યાય થઈ શકે; પરંતુ લોકવર્તી અન્ય દ્રવ્યના સંયોગરૂપ અશુદ્ધદ્રવ્યભંજનપર્યાય થઈ શકે નહીં. તે માન્યતાનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી ઉત્તરાધ્યયનની સાક્ષી આપીને કહે છે કે “પદાર્થમાં રહેલું એકત્વ પણ પદાર્થનો પર્યાય છે, પદાર્થમાં રહેલું અન્ય દ્રવ્યથી પૃથફપણું પણ પર્યાય છે, પદાર્થમાં વર્તતી એકત્વ સંખ્યા પણ પદાર્થનો પર્યાય છે અને અપેક્ષાબુદ્ધિથી જન્ય બે આદિ સંખ્યા પણ પદાર્થનો પર્યાય છે, જેમ “આ એક છે” અને “આ એક છે માટે આ બે છે' એવી જે બુદ્ધિ થાય છે ત્યારે તે બંને પદાર્થોમાં ધિત્વધર્મ અપેક્ષાબુદ્ધિથી જન્ય છે, તે પણ પદાર્થનો પર્યાય છે. આ રીતે દ્વિત્વ આદિ સંખ્યા પણ પદાર્થના પર્યાય છે. વળી, પુદ્ગલમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ – એ જેમ પર્યાયો છે તેમ રૂપાદિ ચાર ભાવોની સંખ્યાની પ્રતીતિ થાય છે તે સંખ્યા પણ પદાર્થનો પર્યાય છે, તેથી જે વસ્તુમાં જેટલા ધર્મો ભાવરૂપે વર્તતા હોય તેની વાચક સંખ્યા પણ પદાર્થનો પર્યાય કહેવાય છે. વળી, પદાર્થોની પ્રતિનિયત આકૃતિ એ પણ પદાર્થનો પર્યાય છે. આથી જ ધર્માસ્તિકાયાદિની આકૃતિ એ ધર્માસ્તિકાયાદિનો પર્યાય છે. વળી, અન્ય પદાર્થનો એક ક્ષેત્રમાં અવગાહનરૂપ સંયોગ એ પણ સંયોગવાળી બંને વસ્તુનો પર્યાય છે. વળી, કોઈ પુદ્ગલ કોઈ અન્ય પુદ્ગલ સાથે અવ્યવધાનથી રહેતું હોય પરંતુ એક ક્ષેત્રમાં ન રહેલું હોય તોપણ “આ બે પુગલોનો સંયોગ છે' - એ પ્રકારની પ્રતીતિ પણ પ્રામાણિક હોવાથી તે બે પુદ્ગલોના પર્યાયો છે. વળી, ધનાદિનો સંયોગ સાક્ષાત્ સ્પર્શાત્મક ન હોય તોપણ પ્રામાણિક વ્યવહારથી પ્રતીત થાય છે. માટે જેનું ધન હોય તે ધનના સંયોગની અને પાછળથી તેનો વિભાગ થાય ત્યારે તેના વિભાગની પ્રતીતિ થાય છે તે વિભાગ પણ જે વસ્તુઓનો વિભાગ થયો છે તે સર્વ વસ્તુઓનો પર્યાય છે. આથી જ સિદ્ધના જીવોનો સર્વ કર્મોથી વિભાગ થાય છે ત્યારે તે પૂર્વનાં કર્મોનો | વિભાગ પણ તેઓનો પર્યાય છે. તે જ રીતે જે જે જીવોનાં જે જે કર્મો ઉદયમાં આવીને જીવથી પૃથક થાય
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy