SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ | ગાથા-૯ ૧૮૧ અવતરણિકા : દિગંબરો ધમસ્તિકાયાદિ દ્રવ્યોમાં શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય માને છે; પરંતુ અર્થપર્યાય માનતા નથી તે ઉચિત નથી, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : સૂક્ષ્મ અર્થ પર્યાય તે, ધર્માદિક એમ; નિજારપ્રત્યયથી લહો, છાંડી હઠ પ્રેમ. શ્રી જિન- II૧૪/લા ગાથાર્થ : એમ=ધર્માસ્તિકાયાદિષ્મા શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય માને છો એમ, ધર્માદિના તે સૂક્ષ્મ અર્થપર્યાય હઠનો પ્રેમ છાંડી, નિજારપ્રત્યયથી લહો. II૧૪/૯TI. ટબો: ધર્માસ્તિકાયાદિકના શુદ્ધદ્રવ્યભંજનપર્યાય જ છઈ એહર્તા જે હઠ કરશું કહ્યું, તેહનઈ કહિઈં જે- સૂત્રાદેશઈ કરી-ક્ષણપરિણતિરૂપ અર્થપર્યાય પણિ કેવલજ્ઞાનાદિકની પરિ હઠ છાંડીનઈં તિહાં કિમ નથી માનતા? If૧૪/૯// ટબાર્થ : “ધમસ્તિકાયાદિકના શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય જ છે” એવો જે હેકરે છે=એવો દિગંબરો જે હઠ કરે છે, તેને ગ્રંથકારશ્રી કહે છે – ઋજુસૂત્રના આદેશથી=ઋજુસૂત્રનયની દષ્ટિએ કરી, ક્ષણપરિણતિરૂપ અર્થપર્યાય પણ કેવળજ્ઞાનાદિની જેમ, હઠ છાંડીને, ત્યાં ધર્માસ્તિકાયાદિમાં, કેમ નથી માનતા? અર્થાત્ ધર્માસ્તિકાયાદિમાં અર્થપર્યાય પણ માનવો જોઈએ. I૧૪/૯ ભાવાર્થ : દિગંબરો કેવળજ્ઞાનમાં શુદ્ધ ગુણઅર્થપર્યાય નથી પરંતુ શુદ્ધગુણવ્યંજનપર્યાય જ છે એમ માને છે; કેમ કે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ક્યારેય નાશ પામતું નથી. તેને ગ્રંથકારશ્રીએ ગાથા-૭માં યુક્તિથી બતાવ્યું કે, કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી સદા રહે છે એ અપેક્ષાએ કેવળજ્ઞાનમાં શુદ્ધગુણવ્યંજનપર્યાય છે, તોપણ ઋજુસૂત્રનયની દૃષ્ટિથી કેવળજ્ઞાનના પણ પ્રતિક્ષણના પર્યાયને આશ્રયીને શુદ્ધ અર્થપર્યાય માનવો જોઈએ. હવે ગાથા-૯માં ગ્રંથકારશ્રી કહે છે કે જેમ ગાથા-૭માં બતાવ્યા મુજબ કેવળજ્ઞાનના શુદ્ધ અર્થગુણપર્યાય દિગંબરોએ માનવા જોઈએ તેમ ધર્માસ્તિકાયાદિના પણ શુદ્ધ દ્રવ્યઅર્થપર્યાય માનવા જોઈએ. વાસ્તવિક રીતે દિગંબરો ધર્માસ્તિકાયનો ગતિસહાયક ધર્મ જોઈને કહે છે કે “ધર્માસ્તિકાયમાં ત્રિકાળવર્તી ગતિસહાયક પર્યાય છે તે વ્યંજનપર્યાય છે.” ધર્માસ્તિકાયનો ગુણ પુલની જેમ પરસ્પર મિશ્ર થતો નથી
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy