SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૧૦-૧૧ ટબામાં કહ્યું કે અંત્યવિશેષ સુધી શુદ્ધ પુગલનો અને શુદ્ધ જીવનો વિભાગ થઈ શકે નહીં. તેમાં સાક્ષી આપતાં બતાવે છે કે, ઔદારિક વર્ગણાથી ઉત્પન્ન થયેલું ઔદારિકશરીર, કાર્મણ વર્ગણાથી ઉત્પન્ન થયેલું કામણશરીર અને જ્ઞાનાવરણીય આદિ કર્મના ઉદયથી નિષ્પન્ન થયેલું અજ્ઞાન, તેનાથી પૃથગુ એવા જ્ઞાનઘન અને અસંખ્યય પ્રદેશવાળો આત્મા ભિન્ન છે. આ પ્રકારે શબ્દની મર્યાદાથી સામાન્ય બોધ કરનારને પણ શ્રતથી બોધ થાય છે, પરંતુ જ્યારે જીવ મુક્ત બને છે ત્યારે આ સર્વ ભાવોથી પૃથગુ એવા જ્ઞાનઘન અને અસંખ્યય પ્રદેશવાળો આત્મા સ્પષ્ટ ભિન્ન પ્રાપ્ત થાય છે, પરંતુ જીવ જ્યાં સુધી મુક્ત નથી ત્યાં સુધી મિશ્રનો વ્યવહાર છે, તેથી પુદ્ગલના મૂર્ત ધર્મનો ઉપચાર આત્મામાં થઈ શકે છે. અહીં વિશેષ એ છે કે, સિદ્ધના જીવો જે આકાશપ્રદેશ ઉપર રહેલા છે, તે જ આકાશપ્રદેશ ઉપર અનંતી કાર્મણ વર્ગણાઓ આદિ પુદ્ગલની વર્ગણાઓ રહેલી છે, તોપણ સિદ્ધના જીવોમાં પુદ્ગલની મૂર્તતાનો ઉપચાર કરી શકાય નહીં; કેમ કે તેમની અરૂપી ચેતના પુદ્ગલ સાથે એકમેક ભાવવાળી નથી, ફક્ત તે ક્ષેત્રના અવસ્થાનરૂપ તેમના આત્માનો અને પુદ્ગલનો સંબંધ છે. ll૧૩/૧ના અવતરણિકા - ઈમ કહતાં-“મૂર્તતા જી-પુગલઢબે વિભાજક અંત્ય વિશેષ છઈ, -તેહનો ઉપચાર આત્મઢબઈ કિમ હોઈ ? અનઈ જે તે વિશેષ નહીં , અવ્યવ્યાનુગમઈં અમૂર્તતાર્તા ઉપચાર યુગલઢથઈં કિમ ન હોઈ ?” એવી શંકા કોઈકનઈં હોઈ છઈ, તે ટાલવાનઈં કહઈ છઈ – અવતરણિકાર્ય : એમ કહેતાં=સમ્મતિમાં કહ્યું કે વાવત્ અંત્યવિશેષતા સુધી દૂધ-પાણીની જેમ જીવ-પુદ્ગલનો વિભાગ થઈ શકે નહીં એમ કહેતાં, મૂર્તતા જો પુદ્ગલદ્રવ્યનો વિભાજક અંત્યવિશેષ છે તો તેનો ઉપચાર–આત્મા મોક્ષમાં જાય છે ત્યારે પુગલદ્રવ્ય છૂટું પડે છે તેથી છૂટા પડેલા તે પુદ્ગલદ્રવ્યમાં માત્ર મૂર્તતા પ્રાપ્ત થાય છે તેટલા માત્રથી પુદ્ગલ દ્રવ્યની મૂર્તતાનો ઉપચાર, આત્મદ્રવ્યમાં કઈ રીતે થઈ શકે? અર્થાત્ થઈ શકે નહીં. અને જો તે વિશેષ નથી આત્મા મોક્ષમાં જાય છે ત્યારે છૂટા પડેલા પુદ્ગલમાં મૂર્તતા છે એટલા માત્રથી સંસારી જીવમાં પગલદ્રવ્યની મૂર્તતારૂપ ધર્મનો ઉપચાર થાય છે તે પ્રકારનો વિશેષ નથી, તો અન્યોચ અનુગામને કારણે=સંસારી જીવોમાં મૂર્ત એવા પુદ્ગલ અને અમૂર્ત એવી ચેતના એ બેના અન્યોન્ય અનુગામને કારણે, અમૂર્તતાનો ઉપચાર પુદ્ગલદ્રવ્યમાં કેમ ન થાય? અર્થાત્ જેમ અન્યોન્ય અનુગામને કારણે પગલદ્રવ્યની મૂર્તતાનો ઉપચાર જીવમાં થઈ શકે છે તેમ પુગલદ્રવ્યમાં પણ જીવની અમૂર્તતાનો ઉપચાર થવો જોઈએ. એવી શંકા કોઈને થઈ શકે છે, તેને ટાળવા માટે કહે છે – ગાથા : અનભિભૂત જિહાં મૂર્તતા રે, અમૂર્તતા તિહાં નાંહિ; જિહાં અભિભૂત અમૂર્તતા રે, મૂર્તિ અનંત્ય તે માહિં રે. ચતુo ll૧૩/૧૧ાા
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy