SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭, દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૩ | ગાથા-૮-૯ ટબો: અસદભૂતવ્યવહારનયથી જીવનઈં મૂર્તસ્વભાવ પણિ કહિઈં. ગત વ “યમાત્મા ટૂથ, સમુમાત્માનં પથામ” એ વ્યવહાર કઈં. એ સ્વભાવે જ “ો વ પદ્મપ્રમવાસુપૂજ્યો” ઇત્યાદિ વચન છઈ. પરમભાવગ્રાહકનથઈ, પુદ્ગલ દ્રવ્ય વિના, બીજ સર્વ દ્રવ્યનઈ અમૂર્તસ્વભાવ કહિઈ. ૧૩/૮ ટબાર્ચ - અસદ્ભુત વ્યવહારનયથી જીવને મૂર્તસ્વભાવ કહેવાય છે. આથી જ આ આત્મા દેખાય છે આ આત્માને હું જોઉં છું એ વ્યવહાર થાય છે. એ સ્વભાવે જ એ મૂર્ત સ્વભાવથી જ, પદ્મપ્રભસ્વામી અને વાસુપૂજ્ય સ્વામી રક્ત છે' ઇત્યાદિ વચન છે. પરમભાવગ્રાહકનયથી પુદ્ગલ દ્રવ્ય વગર બીજાં સર્વ દ્રવ્યને અમૂર્તસ્વભાવ કહેવાય. II૧૩/૮ ભાવાર્થ : વ્યવહારનય જીવ અને કર્મનો અભેદ કરે છે અને અસભૂત વ્યવહારનય જીવ સાથે વર્તતા કર્મના મૂર્તસ્વભાવનો જીવમાં ઉપચાર કરે છે. તેથી અસદ્ભુત વ્યવહારનય જીવને મૂર્તસ્વભાવ પણ કહે છે અર્થાત્ જીવમાં વર્તતા જ્ઞાનાદિ ભાવોને આશ્રયીને જીવનો અમૂર્તસ્વભાવ તો કહે છે પરંતુ પુદ્ગલના સંબંધથી મૂર્તસ્વભાવ પણ કહે છે. આથી જ અસભૂત વ્યવહારનયથી જ “આ આત્મા દેખાય છે” “આ આત્મા હું જોઉં છું' એ વ્યવહાર વર્તે છે; કેમ કે ચેષ્ટા જોઈને દેહવાળા આત્માને જ્યારે પોતે જુએ છે ત્યારે વ્યવહાર થાય છે કે “આ આત્માને હું જોઉં છું” અથવા ચેષ્ટાને જોઈને “આ આત્મા દેખાય છે એ પ્રકારનો વ્યવહાર થાય છે. અસદ્ભુત વ્યવહારનયથી આત્માનો મૂર્તસ્વભાવ હોવાને કારણે જ “શ્રી પદ્મપ્રભસ્વામી અને શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન રક્ત વર્ણવાળા છે' ઇત્યાદિ શાસ્ત્રવચન છે. વળી, પદાર્થમાં વર્તતા પદાર્થના પરમભાવને જોનારી નયદૃષ્ટિથી વિચારીએ તો પુગલ સિવાયનાં સર્વ દ્રવ્યોમાં અમૂર્તસ્વભાવ દેખાય છે, તેથી ધર્માસ્તિકાય આદિ બધાં દ્રવ્યોને અમૂર્ત કહેવાય છે. ll૧૩/૮ અવતરણિકા - ગાથા-૮માં અસદ્દભૂત વ્યવહારનયથી જીવમાં મૂર્તસ્વભાવ છે' એમ બતાવ્યું. તેથી કોઈને શંકા થાય કે જેમ દેહના સંબંધથી જીવમાં મૂર્તપણાનો ઉપચાર થાય છે તેમ જીવના સંબંધથી પુગલમાં પણ અમૂર્તસ્વભાવનો ઉપચાર કરીને પુગલનો અમૂર્તસ્વભાવ કહી શકાશે. તે શંકાના નિવારણ અર્થે કહે છે – ગાથા: ઉપચારઈ પણિ પુદ્ગલિં રે, નહીં અમૂર્ત સ્વભાવ; ઉપચરિઈ અનુગમવશિ રે, વ્યવહારિઈ જે ભાવો રે. ચતુ. ll૧૩/લા
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy