SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૪ દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨T ઢાળ-૧૨ / ગાથા-૧ થત કમ્ - स्नेहाभ्यक्तशरीरस्य रेणुना श्लिष्यते यथा गात्रम् । . રાષિવનની શર્મવન્યો વિત્યેવમ્ II (પ્રીમતિ પ્રવર, કન્નોવા-૧૬) નિ ૧૨/૧૫ ટબાર્થ:- , જેહથી ચેતનપણાનો વ્યવહાર થાય છે=આ ચેતન છે' એ પ્રકારનો વ્યવહાર થાય છે, તે ચેતન સ્વભાવ છે. તેનાથી ઊલટો ચેતન સ્વભાવથી ઊલટો, તે અચેતન સ્વભાવ છે જીવમાં અચેતન સ્વભાવ છે–અજ્ઞાનસ્વભાવ છે. જો જીવતો ચેતન સ્વભાવ ન સ્વીકારીએ તો રાગ-દ્વેષચેતનારૂપ કારણ વગર રાગની અને દ્વેષની પરિણતિરૂપ ચેતનાસ્વરૂપ કારણ વગર, જ્ઞાનાવરણાદિ કર્મનો અભાવ થાય. ચત =જે કારણથી કહેવાયું છે – નેહાપ્યારીરી ત્રિસ્નેહથી સિચાયેલા શરીરવાળા જીવનું ગાત્ર, યથા રેણુના કિન્નધ્યતે=જે પ્રમાણે રેણુથી શ્લેષ પામે છે, એ રીતે, રવિન્દ્રનચ રાગ-દ્વેષથી ક્લિન એવા જીવને, ફર્મવન્યો ભવત્તિ કર્મબંધ થાય છે. ૧in (પ્રશમરતિ પ્રકરણ, શ્લોક-૫૫) તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ૧૨/૧૫ ભાવાર્થ - ; સંસારી જીવોને જોઈને “આ ચેતન છે' એવો સર્વલોકસિદ્ધ વ્યવહાર છે. વળી, સંસારી જીવોમાં ઘણા પ્રકારના જ્ઞાનનો અભાવ બધાને પ્રત્યક્ષથી છે, તેથી સંસારી જીવમાં અચેતન સ્વભાવ પણ છે. આ રીતે પ્રથમ અનુભવ અનુસાર જીવમાં ચેતન સ્વભાવ અને અચેતન સ્વભાવ બતાવ્યા પછી જીવનો ચેતન સ્વભાવ સ્વીકારવાની યુક્તિ બતાવે છે – જો જીવનો ચેતન સ્વભાવ ન સ્વીકારીએ તો રાગ-દ્વેષના પરિણામરૂ૫ ચેતના બધાને અનુભવથી { દેખાય છે તેનો અપલાપ થાય અને માનવું પડે કે રાગ-દ્વેષના પરિણામરૂપ ચેતના વાસ્તવિક નથી, ભ્રમાત્મક છે. રાગ-દ્વેષની પરિણતિરૂપ ચેતના ન હોય તો જ્ઞાનાવરણીયાદિ કર્મનો અભાવ પ્રાપ્ત થાય; કેમ કે રાગાદિ પરિણત ચેતનાને કારણે જ જ્ઞાનાવરણીયાદિ કર્મનો બંધ થાય છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મનો અભાવ સ્વીકારીએ તો જગતવર્તી જીવોમાં જે વિચિત્રતા દેખાય છે તે સંગત થાય નહીં અને જ્ઞાનાવરણીયાદિ કર્મના નાશ માટે ઉપદેશ આદિની જે કાંઈ પ્રવૃત્તિ છે તે સર્વનો પણ અપલાપ થાય, માટે જીવનો ચેતન સ્વભાવ અવશ્ય માનવો જોઈએ. આથી જ પ્રશમરતિ પ્રકરણમાં કહેવાયું છે કે ચીકાશવાળા પદાર્થવાળું શરીર હોય અને રજકણો ઊડે તો તે શરીર ઉપર તે રજ ચોંટે છે તેમ રાગ-દ્વેષની પરિણતિવાળા જ્ઞાનરૂપ પરિણામથી આત્મા ઉપર કર્મમલ ચોંટે છે. પરંતુ વીતરાગમાં રાગ-દ્વેષનો અભાવ હોવાથી યોગને કારણે કર્મપુદ્ગલોનો આત્મા સાથે સંગ થવા છતાં બીજી ક્ષણમાં તે કર્મો આત્માથી છૂટા પડી જાય છે. I/૧૨/૧
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy