SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ ગાથા-૮-૯ નૈયાયિક કલ્પના કરે તે સંબંધને પણ રાખવા માટે નવા સંબંધની કલ્પના કરવી પડે, તેથી ભેદ સંબંધ સ્વીકારવામાં અનવસ્થા દોષની પ્રાપ્તિ થાય. માટે કાર્યકારણ વચ્ચે અભેદ જ સંબંધ સ્વીકારવો ઉચિત છે અને તેમ સ્વીકારવું હોય તો પરમાણુ અવસ્થાનો ત્યાગ થાય છે અને ચણુક અવસ્થાની પ્રાપ્તિ થાય છે ત્યારે પરમાણુભાવરૂપે રહેલા બે પરમાણુની સાથે અભેદ એવું જે દ્રવ્ય એ જ કચણુકભાવરૂપે પ્રાપ્ત થયું. માટે ચણુકભાવનું કારણ એવું જે દ્રવ્ય તે ઉપાદાનકારણ છે અને કચણુકરૂપે જે કાર્ય છે, તે બે વચ્ચે અભેદ સંબંધ છે અર્થાતુ ઉપાદાનકારણ જ કાર્યરૂપે પરિણમન પામે છે માટે કાર્યકારણ વચ્ચે અભેદ સંબંધ છે અને તેમ સ્વીકારીએ તો કથંચિત્ અનિત્ય સ્વભાવ પણ માનવો પડે અર્થાત્ પરમાણુમાં કથંચિત્ અનિત્ય સ્વભાવ પણ માનવો પડે. માટે અનુભવ અનુસાર સર્વ પદાર્થોમાં કથંચિત્ નિત્ય સ્વભાવ છે અને કથંચિત્ અનિત્ય સ્વભાવ છે એમ માનવું ઉચિત છે. ફક્ત દ્રવ્યાવચ્છેદથી નિત્ય સ્વભાવ છે અને પર્યાયાવચ્છેદથી અનિત્ય સ્વભાવ છે, તેથી “એક સ્થાનમાં છાયા-આતપ રહી શકે નહીં તેમ નિત્ય-અનિત્ય સ્વભાવ રહી શકે નહીં” એમ કહેવું અનુભવવિરુદ્ધ છે; કેમ કે છાયા-આપનું દૃષ્ટાંત અસંગત છે. I૧૧/૮ અવતરણિકા - ગાથા-પથી દ્રવ્યોના સ્વભાવો બતાવવાનો પ્રારંભ કર્યો અને કહ્યું કે, જગતમાં વર્તતાં દ્રવ્યોમાં અસ્તિસ્વભાવ અને તાતિસ્વભાવ છે. ત્યારપછી અસ્તિસ્વભાવ અને નાસ્તિસ્વભાવ કઈ રીતે છે? તેની સંગતિ ગાથા-૬માં કરી. ત્યારપછી પદાર્થમાં વિત્ય સ્વભાવ અને અનિત્ય સ્વભાવ કઈ રીતે છે? તે બતાવ્યું અને તેની સંગતિ ગાથા-૮માં કરી. હવે એકસ્વભાવ અને અનેકસ્વભાવ પદાર્થોમાં છે અને તે કઈ રીતે છે? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : સ્વભાવનઈ એકાધારત્વઈ, એક સ્વભાવ વિલાસો જી, અનેક દ્રવ્યપ્રવાહ એહનઈ, અનેક સ્વભાવ પ્રકાશો જી; વિણ એકતા વિશેષ ન લહિઈ, સામાન્યનઈં અભાવઈ જી, અનેકત્વ વિણ સત્તા ન ઘટઈ, તિમ જ વિશેષ અભાવિ જી. II૧૧/લા ગાથાર્થ : સ્વભાવના એક આધારત્વને કારણે એકસ્વભાવ વિલાસો જી=પદાર્થોમાં એકસ્વભાવ વિલાસ પામે છે અને અનેક દ્રવ્યના પ્રવાહ છે=એક દ્રવ્યમાં આદિષ્ટ દ્રવ્યરૂપ અનેક દ્રવ્યોનો પ્રવાહ છે, એહનઈ=એને કારણે, અનેક સ્વભાવ પ્રકાશો જી=પદાર્થમાં અનેક સ્વભાવ પ્રકાશી રહ્યા છે. - પદાર્થમાં એકસ્વભાવ અને અનેક સ્વભાવ પરસ્પર વિરોધી નથી, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – વિણ એકતા=એક આધારસ્વરૂપ એકતા વગર, સામાન્યનો અભાવ થવાથી અનેક સ્વભાવના એક આધારસ્વરૂપ સામાન્યનો અભાવ થવાથી, વિશેષ ન લહિÚ=વિશેષ પ્રાપ્ત થાય નહીં.
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy