SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ? ૬/૭ • दृष्टरि दृष्टिः स्थापनीया 0 २४९९ चैतन्यस्वरूपविभावनया यथा स्वयमेव पलायेत तथा निजशुद्धचैतन्याऽखण्डपिण्डे स्वतादात्म्यं संवेदनीयम् । प (१४) अखण्ड-सहजाऽऽन्तरिकभेदविज्ञानधारया अनादिकालरूढं तादात्म्यबुद्धि-स्वामित्वभावादि-ग भ्रान्तिनिमित्तभूतशरीर-कलत्रादिसकलदृश्यपदार्थाऽऽकर्षणं निजदृष्टितः पृथक्कृत्य केवलशुद्धचैतन्या- ... ऽखण्डपिण्डलक्षणे दृष्टरि एव अभिन्नतया निजनिर्मलदृष्टिः कात्स्न्येन संस्थापनीया। (૧૬) તત્તર વિષય-વાય-ર-ગ-રત્યરતિ--શોવISSAવ-સંવર-વધૂ-નિર્નરઢિપર્યાય- ૨ पराङ्मुखतया अखण्डशुद्धचेतनद्रव्याकारोपयोगधारातीक्ष्णतया निजशुद्धात्मद्रव्ये एव स्वतादात्म्यं सन्ततं क -એકાકાર થવું?' - આ રીતે નિજચૈતન્યસ્વરૂપની વિભાવના કરીને સાધક ભગવાન = અંતરાત્મા પોતાના શુદ્ધ ચૈતન્યના અખંડ પિંડમાં સ્વાદાભ્યનું એવું સંવેદન કરે કે અશુદ્ધ પર્યાયોમાં ભાસતી આરોપિતતા, તાદાત્સ્યબુદ્ધિ, સ્વામિત્વબુદ્ધિ વગેરે સ્વયમેવ પલાયન થઈ જાય. આશય એ છે કે અનિવાર્ય એવા દેહપર્યાય, દુર્વાર એવા રાગાદિ વિભાવ પરિણામ, વર્તમાનકાળે અપરિહાર્ય એવા વિકલ્પ વગેરેને બદલવાનો કે કાઢવાનો પ્રયત્ન કરવાના બદલે તેમાં હુંપણાની દુર્બુદ્ધિ, મારાપણાની ભ્રાન્તિ, સારાપણાનો ભ્રમ વગેરેને કાઢવાનો ઉપરોક્ત રીતે પ્રયાસ કરવો એ ગ્રંથિભેદ માટેનો જ જ્ઞાનપુરુષાર્થ છે. | દૃશ્યના આકર્ષણને દ્રષ્ટિમાંથી કાઢીએ મત (૧૪) તાદાભ્યબુદ્ધિ, સ્વામિત્વભાવ વગેરે ભ્રાન્તિને પ્રગટાવવામાં દશ્ય પદાર્થ નિમિત્ત બને છે. તેવા દશ્યપદાર્થ સ્વરૂપ શરીર, પત્ની, પુત્ર, પરિવાર, દુકાન, મકાન, ભોજન, પાણી, વસ્ત્ર, ધન વગેરેનું આકર્ષણ અનાદિ કાળથી આપણી દૃષ્ટિમાં, માન્યતામાં, લાગણીમાં, અભિપ્રાયમાં ચોંટી ગયેલ. છે, મનમાં વળગી પડેલ છે. પરંતુ તે આકર્ષણ પણ આત્માનું મૌલિક સ્વરૂપ તો નથી જ. ‘દશ્યના છે આકર્ષણથી મારો આત્મા તો અત્યંત નિરાળો છે, તદન જુદો છે' - આવી આંતરિક ભેદવિજ્ઞાનધારા વા સહજપણે અને અખંડપણે પ્રવર્તે તો જ પોતાની દૃષ્ટિમાંથી તમામ દશ્ય પદાર્થનું આકર્ષણ છૂટું પડે. આ રીતે સાધક પોતાની દૃષ્ટિમાંથી દશ્યના આકર્ષણને અલગ કરીને, નિર્મળ બનેલી નિજ દૃષ્ટિને દ્રષ્ટામાં સ = કેવળ શુદ્ધચૈતન્યના અખંડ પિંડ સ્વરૂપ પોતાના આત્મામાં જ અભિન્નપણે સ્થાપે, સમગ્રતયા ગોઠવે, સારી રીતે આદરભાવે સ્થિર કરે. આ છે ગ્રંથિભેદ માટેનો અંતરંગ અપ્રમત્ત પુરુષાર્થ. ( નિજ શુદ્ધાત્મામાં તાદાભ્યનું અખંડ વેદન કરીએ ઈ (૧૫) ત્યાર બાદ ઉદયમાં આવતા વિષય-કષાય, રાગ-દ્વેષ, રતિ-અરતિ, હર્ષ-શોક, આશ્રવ -સંવર, બંધ-નિર્જરા વગેરે સ્વરૂપે પરિણમતા પર્યાયોને જોવાનું છોડી, તેનાથી પરાઠુખ થઈ, માત્ર અખંડ શુદ્ધ ચેતન દ્રવ્યને જ જોવું, જાણવું, વિચારવું અને અનુભવવું. આત્માકારે ઉપયોગને સતત વહેવડાવવો. આવી ઉપયોગધારાને પણ ઉગ્ર બનાવવી. આ રીતે ઉપયોગધારાની તીક્ષ્ણતાથી પોતાના શુદ્ધ આત્મદ્રવ્યમાં સ્વતાદાભ્યને સમ્યક્ પ્રકારે સતત અનુભવવું કે :(૧) શરીર, ઇન્દ્રિય, મન, દ્રવ્યકર્મ, ભાવકર્મ વગેરેથી જુદો.. હું... ચેતન..છું. (પાંચ વાર ભાવના). (૨) દેહાદિભિન્ન... ચેતન...તત્ત્વ... એ ... જ..... ... (પાંચ વાર વિભાવના) (૩) અત્યંત... વિશુદ્ધ... ચેતન... વસ્તુ... એ...જ...હું...છું... (પાંચ વાર સૂક્ષ્મ મનન)
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy