SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬/૭ २४९२ 0 श्रीसम्यक्त्वे प्राग् यतितव्यम् । T વિનૈતન્ધાપ્રદાત્મિા II” (ા.૬/ર૬) રૂતિા “તત્ = ગુરુપરતત્ર્યમ્'T पल्लवमात्रशास्त्रशब्दार्थग्राहकस्य बाह्याचारवत्त्वेऽपि रागादिविभावपरिणामपक्षपाताऽत्यागेन मिथ्यादृष्टित्वमेव समाम्नातम् । तदुक्तं सम्यक्त्वसप्ततिकायां “पल्लवगाही सबोहसंतुट्ठा। सुबहुं पि રે નમંતા તે હંસવાહિરા નેયાના” (સ.H.૬૮) રૂક્તિા संवेग-निर्वेद-स्वानुभवविरहव्यथा-स्वात्मसंशोधनान्वेषणादिकमृते शुष्कपाण्डित्य-प्रवचनपटुता-बाह्या" चाराऽऽडम्बरादिना जनमनोरञ्जनस्य संसारसंवर्धकत्वमेव । अतः ग्रन्थिभेदोत्तरकालीन-नैश्चयिक -भावसम्यग्दर्शनप्राप्तिकृते एव प्रथमं यतितव्यम् । तदुक्तं षष्टिशतकवृत्तिप्रारम्भे एव “ज्ञान-चारित्रयोः आधारभूते श्रीसम्यक्त्वे प्राग् यतितव्यम्, तत्पूर्वकत्वात् सकलधर्माराधनफलस्य” (ष.श.व.पृ.१) इति । દ્વત્રિશિકા પ્રકરણમાં જણાવેલ છે કે “અણસમજુ બાલિશ જીવની ભાવશુદ્ધિ પણ વ્યાજબી નથી. કેમ કે તે મોક્ષમાર્ગને અનુસરનારી નથી. ગુરુપરતંત્ર્ય વિના પોતાની ખોટી પક્કડ સ્વરૂપ જ તે ભાવશુદ્ધિને જાણવી.' & મિથ્યાષ્ટિની આગવી ઓળખ . (ત્તિ.) શાસ્ત્રના માત્ર ઉપરછલ્લા શબ્દાર્થને પકડનાર ઉગ્ર સાધક કદાચ બાહ્ય સાધ્વાચારથી યુક્ત હોય તો પણ તે મિથ્યાદષ્ટિ તરીકે જ શાસ્ત્રકારોને માન્ય છે. કારણ કે રાગાદિ વિભાવ પરિણામનો પક્ષપાત તે છોડતો નથી. સમકિતી ક્યારેય પણ “રાગાદિ મારા સ્વભાવભૂત છે, મારા ગુણધર્મ સ્વરૂપ છે' - આવો પક્ષપાત ન જ કરે. સમ્યક્તસપ્તતિકામાં આ અંગે જણાવેલ છે કે “શાસ્ત્રના ઉપલક શબ્દાર્થમાત્રને જ જે પકડે, પોતાના પોપટીયા બોધમાં જ જે સદા સંતુષ્ટ હોય, (અર્થાત્ તેનાથી ઉપરની કક્ષાના શાસ્ત્રીય ગૂઢાર્થોને જાણવાની જિજ્ઞાસા પણ જેને ન હોય,) તે જીવો બાહ્ય ઉગ્ર સાધનાનો ઘણો ઉદ્યમ કરતા હોય તો પણ તેઓને ચોક્કસ સમ્યગ્દર્શનથી બાહ્ય = દૂરવર્તી જ જાણવા.” આત્મરણા વગરનું પોપટિયું જ્ઞાન નકામું છે LY (સા.) જો રાગાદિથી મુક્ત થવાની ઝંખના (= સંવેગ) ન હોય, ભોગવિલાસાદિ સ્વરૂપ સંસારથી કંટાળો (= નિર્વેદ) ન હોય, સ્વાનુભવના વિરહની વ્યથા લેશ પણ ન હોય તો આત્મશ્નરણા વગરનું ગોખણપટ્ટીવાળું શાસ્ત્રીય માહિતીજ્ઞાન તારક ન બને. “હું” ની ગહન તલાશ અને સમ્યફ તપાસ વિના પોતાની કોરી વિદ્વત્તા, ધારદાર અને ચોટદાર પ્રવચનની પટુતા કે બાહ્ય ઉગ્ર આચારના આડંબર વગેરે દ્વારા બીજા મુગ્ધ જીવોને કદાચ તે મંત્રમુગ્ધ કરે. પણ સમ્યગ્દર્શનની તાત્ત્વિક પરીક્ષામાં તો તે નાપાસ જ થાય. તેવા જનમનરંજનથી પોતાનો તો સંસાર જ વધે છે. તેથી સૌપ્રથમ તો આત્માર્થી સાધકે ગ્રંથિભેદથી ઉત્પન્ન થનારા નૈક્ષયિક ભાવસમકિતની પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરવો જોઈએ. તેથી જ ષષ્ટિશતક ગ્રંથની વ્યાખ્યાના પ્રારંભમાં જ જણાવેલ છે કે “શ્રીસમકિતના આધારે જ સમ્યજ્ઞાન અને સમ્યગું ચારિત્ર રહે છે. તેથી સમ્યજ્ઞાન-ચારિત્રની પૂર્વે શ્રીસમ્યકત્વને મેળવવાનો પ્રયાસ કરવો. કારણ કે સમ્યગ્દર્શન હોય તો જ સર્વ ધર્મસાધના ફળદાયક બને.” જેમ આકાશમાં ચિત્રામણ કરવાનો પ્રયત્ન નિષ્ફળ બને, તેમ સમકિત વિના ધર્મસાધનાને નિષ્ફળ સમજવી. જબ લગ સમકિત રત્ન કો, પાયા નહિ પ્રાણી; તબ લગ નિજ ગુણ નવિ વધે, તરુ જિમ વિણ પાણી.(૧) 1. पल्लवग्राहिणः स्वबोधसन्तुष्टाः। सुबहु अपि उद्यच्छन्तः ते दर्शनबाह्याः ज्ञेयाः।।
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy