SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ १०/१७ • समयपरिज्ञानस्य उपायान्तराऽऽवेदनम् । १५७५ પૂર્વમ્ (૧૦/૦૬) ૩૫ત્તિ મુલ્ય શાન” (પો.શ.9/૧૬/મનીવ.૧૨, ત્રિ.શ.પુ.૪/૪/૨૭૪) રૂત્યાવિંદ | योगशास्त्रवृत्त्यादिवाक्यं तु निरूढलक्षणया लोकाकाशप्रदेशस्थपुद्गलपरमाणुद्रव्याणि बोधयतीति या वक्ष्यतेऽत्रैवाऽग्रे (१०/१९) इति न कश्चिद् विरोधः इति भावनीयं सूक्ष्मेक्षिकया। ___ किञ्च, मन्दाणुगतिक्रियाया एव नैश्चयिकसमयज्ञानोपायत्वमिति एकान्तोऽपि नास्त्यनेकान्तवादिनाम्, प्रकारान्तरेणाऽपि तत्सिद्धेः। तथाहि - लोष्टस्य हि प्रविभज्यमानस्य यस्मिन्नवयवे परि- २ माणापकर्षकाष्ठा सोऽपकर्षावधिः यथा परमाणुः तथा परमापकर्षपर्यन्तः कालः समयः पूर्वापरभागविकलकालकलालक्षण इति व्यवस्थायाः सम्भवात्, परमाणौ अपकृष्टद्रव्यतारतम्यविश्रान्तिवत् ण समयेऽपकृष्टकालतारतम्यविश्रान्त्या न्याय्यत्वात्। सम्मतञ्चेदमन्येषामपि। तदुक्तं व्यासेन पातञ्ज- का પ્રત્યેક પ્રદેશમાં રહેલા કાલાણુદ્રવ્યોને જ મુખ્ય કાલ તરીકે જણાવેલ છે. જ્યારે તમે તો અહીં તેનો અસ્વીકાર કરી રહ્યા છો. * કાલાણુદ્રવ્યો ઉપચરિત - શ્વેતાંબર જ સમાધાન :- (પૂર્વ) ના. તમારી આ શંકા વ્યાજબી નથી. કારણ કે પૂર્વે ૧૫મા શ્લોકમાં અહીં યોગશાસ્ત્રવૃત્તિ વગેરેના સાક્ષી પાઠમાં મુખ્ય કાળ તરીકે જે કાલાણુ દ્રવ્યનો ઉલ્લેખ કરેલ છે તેની નિરૂઢ લક્ષણા કરવાની છે. મતલબ કે કાલાણુદ્રવ્યો નિરૂઢ લક્ષણાથી લોકાકાશના પ્રદેશોમાં રહેનારા પુદ્ગલ પરમાણુ દ્રવ્યોનો બોધ કરાવે છે. મતલબ કે કાલાણુદ્રવ્ય પરમાર્થથી સ્વતંત્ર નથી પણ ઉપચરિત છે. આ વાત આગળ ૧૯મા શ્લોકમાં વિસ્તારથી જણાવવામાં આવશે. તેનાથી સ્પષ્ટ થઈ જશે. તેથી અહીં અમારી વાતમાં વિરોધને કોઈ અવકાશ નથી. આ વાત સૂક્ષ્મ બુદ્ધિથી અહીં ઊંડાણપૂર્વક વિચારવી. ૦ અન્ય રીતે નૈૠયિક સમયની સિદ્ધિ છે (વિષ્ય.) વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે અણુની અત્યન્ત મંદક્રિયા એ જ નૈૠયિક સમયની જાણકારી મેળવવાનો ઉપાય છે – એવો એકાન્ત પણ અનેકાન્તવાદી એવા જૈનોને માન્ય નથી. કારણ કે વ બીજી રીતે પણ નૈૠયિક સૂક્ષ્મતમ સમયની સિદ્ધિ શક્ય છે. તે આ રીતે - માટીનું ઢેફ ભાંગવામાં આવે તો તેના નાના-નાના અનેક અવયવો ઉત્પન્ન થાય છે. આ રીતે ભાંગી રહેલા માટીના ઢેફાનો નાનામાં મેં નાનો જે અવયવ હશે તેનું પરિમાણ = કદ સૌથી નાનું હશે. આ રીતે પરિમાણના અપકર્ષની પરાકાષ્ઠા જે અવયવમાં હોય છે તે અપકર્ષની અવધિ (Limit) બનનાર દ્રવ્યને જેમ પરમાણુ કહેવામાં આવે છે તેમ પરમ અપકર્ષનો જ્યાં છેડો = અંત આવે તેવા કાળને સમય કહેવામાં આવે છે. જેમ પરમાણુમાં પૂર્વાપરવિભાગ નથી હોતો તેમ સમયમાં પૂર્વાપરવિભાગ નથી હોતો. મતલબ કે દ્રવ્યનો નિરંશ અંશ જેમ પરમાણુ કહેવાય તેમ કાળની નિરંશ = નિર્વિભાજ્ય એવી કલા સમય કહેવાય. આ પ્રમાણે નૈઋયિક સમયની સિદ્ધિ કરવાની વ્યવસ્થા સંભવે જ છે. કેમ કે જેમ પરમાણુમાં અપકૃષ્ટદ્રવ્યતરતમતાની વિશ્રાન્તિ થાય છે તેમ સમયમાં અપકૃષ્ટકાળતરતમતાની વિશ્રાન્તિ માનવી એ ન્યાયોચિત છે. માત્ર આ બાબત અમને જૈનોને જ માન્ય છે - એવું નથી. અન્ય દર્શનકારોને પણ આ વાત માન્ય છે. તેથી જ વ્યાસ મહર્ષિએ પાતંજલયોગસૂત્રભાષ્યમાં નિખાલસપણે સૂક્ષ્મબુદ્ધિથી જણાવેલ છે કે “જેમ પરમ અપકર્ષનું સીમાભૂત દ્રવ્ય
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy