SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ १४८४ • सामयिकोत्पत्त्यादिलक्षणा वर्तना १०/१० इति। अत्र ‘प्रथमसमयाश्रया = एकसमयाश्रया' इत्यर्थः कार्यः। ततश्च द्रव्यत्वावच्छिन्नस्य सामयिकोत्पत्ति-स्थित्यादिलक्षणो यो वर्तनापर्यायः तत्स्वरूपः काल इति यावत् तात्पर्यमवसेयम्, अन्यथा मध्यावस्थायां द्रव्ये वर्त्तना न स्यादिति भावनीयम् । नयचक्रसारविवरणे देवचन्द्रवाचकेन जीवाऽजीवयोः उत्पत्ति-व्ययरूपा या वर्त्तना (न.च.सा.पृ.८८) दर्शिता साऽपि एकसमयावच्छिन्ना बोध्या। सुमङ्गलाऽभिधानायां नवतत्त्वप्रकरणवृत्तौ श्रीधर्मसूरिणा अपि “सादिसान्त-साधनन्ताऽनादिसान्ताऽनाद्यनन्तभेदभिन्नेषु चतुष्प्रकारेषु एकेनाऽपि केनचित् प्रकारेण द्रव्याणां वर्त्तनं सा वर्तना। इयं वर्तना प्रतिसमयं परिवर्तनात्मिका। अतः विवक्षितैकवर्त्तना द्विसमयं यावदपि स्थितिं न कुरुते । अतो या वर्तनायाः परावृत्तिः सा पर्यायत्वेन अभिधीयत इति वर्त्तनापर्यायः। उक्तञ्च “द्रव्याणां सादि-सान्तादिभेदैः स्थित्यां વરિા વનવિત્રછારે વર્તન વર્નના દિ સT” () તિ” (ન.ત..I.૬/.પૃ.૨૭) રૂત્યેવં સામયિા वर्त्तना न्यरूपि। સ્થિતિ તથા પ્રથમસમયસાપેક્ષ ગતિ.” અહીં પ્રથમ સમય’ શબ્દનો અર્થ “એક સમય એવો કરવો. એથી અહીં તાત્પર્યાર્થ એવો સમજવો કે - દ્રવ્યવાવચ્છિન્નમાં = સર્વ દ્રવ્યમાં એકસમયપ્રમાણ ઉત્પત્તિ, સ્થિતિ વગેરે સ્વરૂપ જે વર્ણના પર્યાય છે તે જ કાળતત્ત્વ છે. જો “પ્રથમ સમય’ શબ્દનો અર્થ “એક સમય” કરવામાં ન આવે અને યથાશ્રુત અર્થ જ માન્ય કરવામાં આવે તો પ્રથમ સમય બાદ મધ્યમ અવસ્થામાં દ્રવ્યની અંદર વર્તના પર્યાય નહિ માની શકાય. કારણ કે ત્યારે પ્રથમસમયાશ્રિત ઉત્પત્તિ કે પ્રથમસમયાશ્રિત સ્થિતિ વગેરે હાજર નથી. આમ અહીં વિચારવું. સ્પષ્ટતા :- કોઈ પણ દ્રવ્યમાં રહેલી એકસમયપ્રમાણ ઉત્પત્તિ, સ્થિતિ વગેરે સ્વરૂપ પર્યાય એ જ વર્તનાપર્યાય છે. તથા વર્તનાપર્યાય એ જ “કાળ' પદાર્થ છે. વર્તના અંગે દેવચક્તવાચક મત છે (ના) નયચક્રસારવિવરણમાં ખરતરગચ્છીય દેવચન્દ્ર ઉપાધ્યાયજીએ જીવ-અજીવ દ્રવ્યની ઉત્પત્તિ છે અને વ્યય સ્વરૂપ જે વર્તના બતાવેલી છે તે પણ એકસમયાવચ્છિન્ન ઉત્પત્તિ વગેરરૂપે જાણવી. વર્ણના અંગે શ્રીધર્મસુરિમત () નવતત્ત્વપ્રકરણ ઉપર શ્રીધર્મસૂરિજીએ સુમંગલા વ્યાખ્યા રચેલી છે. તેમાં જણાવેલ છે કે “(૧) સાદિ-સાંત, (૨) સાદિ-અનંત, (૩) અનાદિ-સાંત, (૪) અનાદિ-અનંત - આ ચાર પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારે દ્રવ્યોની જે વિદ્યમાનતા હોય છે તેને વર્તન કહેવાય છે. આ વર્તના પ્રતિસમય પરિવર્તનાત્મક છે. તેથી કોઈ પણ એક ચોક્કસ પ્રકારની વર્તના બે સમય સુધી ટકી શકતી નથી. તેથી વર્ણનાનું જે પરાવર્તન છે તે પર્યાય તરીકે કહેવાય છે. આ રીતે વર્તનાપર્યાયને સમજવો. આ અંગે પ્રાચીન શાસ્ત્રોમાં જણાવેલ છે કે “સાદિ-સાત વગેરે ચાર ભેદથી દ્રવ્યોની ચાર પ્રકારની સ્થિતિમાં ગમે તે એક પ્રકારે દ્રવ્યોની જે વિદ્યમાનતા હોય તે વર્નના કહેવાય' - આ પ્રમાણે વર્તના સમજવી” - મતલબ કે યુગદિવાકર શ્રીધર્મસૂરિજીને પણ સામયિકી = એકસમયાવચ્છિન્ન વર્નના જ માન્ય છે.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy