SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨ ० विभागजन्योत्पादसमर्थनम् । “અવયવસંયોગઈ જ દ્રવ્યની ઉત્પત્તિ હોઈ, પણિ વિભાગઈ ન હોઇ” - એહવું જે નૈયાયિકાદિક કહઈ છઈ, તેહનઈ "એકતત્ત્વાદિવિભાગઈ ખંડપટોત્પત્તિ કિમ ઘટંઈ ? પ્રતિબંધકાભાવસહિતઅવસ્થિતાવયવસંયોગનઈ હેતુતા કલ્પતાં મહાગૌરવ હોઈ. पटस्य उत्पत्तिः भवति, न त्ववयवविभागात्, तस्याऽवयविनाशकत्वादिति नैयायिकमतम्, तन्न युक्तम्, एकतन्त्वादिविभागेन खण्डपटोत्पत्त्यनुपपत्तेः । न च महापटसत्त्वे खण्डपटानुत्पादेन अन्त्यावयविनः तं प्रति प्रतिबन्धकत्वं प्रकल्प्य प्रतिबन्धकाऽभावसहिताऽवस्थितावयवसंयोगत्वेनैव हेतुताकल्पनान्नाऽयं दोष इति वाच्यम्, પટનો નાશ થાય છે. તથા ત્યાર બાદ નૂતન પટાદિ દ્રવ્યના આરમ્ભક = સમવાયિકારણીભૂત તત્સુઆદિ અવયવોના સંયોગથી (= અસમાયિકારણભૂત તંતુસંયોગથી) જ નૂતન પટ દ્રવ્યની ઉત્પત્તિ થઈ શકે. તંતુ આદિ અવયવોના વિભાગથી પટાત્મક સમવેત કાર્યની ઉત્પત્તિ થઈ ન શકે. ટૂંકમાં દ્રવ્યોત્પત્તિ અવયવસંયોગથી થાય, અવયવવિભાગથી નહિ. અવયવવિભાગ તો કાર્યદ્રવ્યનો નાશક છે, ઉત્પાદક નહિ. જ નૈયાચિકમાન્ય ઉત્પત્તિ પ્રક્રિયાનું નિરાકરણ જૈન :- (તત્ર.) ઉપરોક્ત જે નૈયાયિકમત છે તે વ્યાજબી નથી. કારણ કે જો અવયવવિભાગથી દ્રવ્યોત્પત્તિ ન જ થતી હોય તો ૧૦૧ તંતુઓથી બનેલ પટ દ્રવ્યમાંથી એક તંતુનો વિભાગ થતાં શતતંતુક પટની (= ખંડ પટની) ઉત્પત્તિ થાય છે, તે સંગત નહિ થઈ શકે. પ્રસ્તુત ખંડ પટની ઉત્પત્તિ તો અવયવવિભાગથી જ થાય છે, અવયવસંયોગથી નહિ. તેથી અવયવસંયોગની જેમ અવયવવિભાગને પણ કાર્યોત્પાદક માનવો જરૂરી છે. _) પ્રતિબંધકાભાવસહિત કારણતાકલ્પના : નૈયાયિક ) નૈયાયિક :- (ન મા.) જ્યાં સુધી મહા પટ હાજર હોય ત્યાં સુધી ખંડ પટની ઉત્પત્તિ થઈ શકતી નથી. મહા પટ અંત્ય અવયવી દ્રવ્ય છે. તથા ખંડ પટ અનન્ય અવયવી છે. અનન્ય અવયવી છે. દ્રવ્યની ઉત્પત્તિ પ્રત્યે અંત્ય અવયવી દ્રવ્ય પ્રતિબંધક હોય છે. તેથી ખંડ પટ પ્રત્યે અંત્ય અવયવી એવા મહા પટને પ્રતિબંધક માનવો જરૂરી છે. તથા કાર્યમાત્ર પ્રત્યે પ્રતિબંધકાભાવ કારણ બને જ છે. પ્રતિબંધકાભાવને સ્વતંત્ર કારણ ન માનવું હોય તો પ્રતિબંધકાભાવવિશિષ્ટ અવસ્થિત તંતુસંયોગને ખંડ પટ પ્રત્યે કારણ માની શકાય છે. કાર્યતાઅવચ્છેદક ધર્મ ખંડપટવ બનશે. તથા કારણતાવચ્છેદક ધર્મ બનશે મહાપટાભાવવિશિષ્ટ અવસ્થિતતંતુસંયોગત્વ. મતલબ કે મહા પટનો નાશ થતાં પૂર્વવત્ અવસ્થામાં રહેલ તંતુઓનો સંયોગ ખંડ પટને ઉત્પન્ન કરશે. તેથી અવયવવિભાગને ખંડપટજનક માનવાની જરૂર નથી. અવયવસંયોગ જ પ્રતિબંધકાભાવવિશિષ્ટ બનશે ત્યારે ખંડ પટને ઉત્પન્ન કરશે. આમ નિશ્ચિત થાય છે કે અવયવસંયોગ જ દ્રવ્યોત્પાદક છે, અવયવવિભાગ નહિ. - શાં.માં “એકત્વતાદિ અશુદ્ધ પાઠ.3 લી.(૩)માં “ખંડઘટો...' પાઠ. લી.(૨+૩) + કો.(૧+૧૧)માં પ્રતિબંધકાલભાવ” પાઠ.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy