SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/ १०२५ ० देवसेनमते व्याप्यत्वासिद्धिः । | તિહાં હેતુકોટિ અનપેક્ષિતભેદપ્રવેશઈ વૈયÁ દોષ હોઈ. ___ इतरव्यावृत्तिसाधकस्य मिथोऽसमानाधिकरणत्वस्य त्यागेन हेतुकोटौ द्रव्यार्थिकत्व-पर्यायार्थिकत्वप्रवेशे तु हेतोः व्यर्थविशेषणघटितत्वापत्तेः तादृशनवनयविभागप्रदर्शनवैयर्थ्यात् । इदमत्राकूतम् - नयविभागवाक्येन इतरनयव्यावृत्तिः प्रतिनयं साध्यते । इत्थमेव प्रतिनयं स्वातन्त्र्यं सिध्येत । ततश्च 'नैगमः स्वेतरभिन्नः सङ्ग्रह-व्यवहार-ऋजुसूत्र-शब्द-समभिरूढवम्भूताऽन्यतमनयविषयभिन्नविषयकत्वाद' में इति व्यतिरेक्यनुमानप्रयोगत एवेतरनयव्यवच्छेदोपपत्तौ हेतुकोटौ अनपेक्षितद्रव्यार्थिक-पर्यायार्थिकनय-श द्वयप्रवेशे वैयर्सेन व्याप्यत्वाऽसिद्धिः प्रसज्येत । तथा च व्यर्थविशेषणघटितहेतुप्रयोगेन प्रकृते प्रतिवादिनोऽधिकोक्तिस्वरूपनिग्रहस्थानेन निगृहीધર્મની બાદબાકી કરવાનો કોઈ પ્રશ્ન જ નહિ રહે ને ? છે ....તો વિભાગવાક્ય નિરર્થક બને છે સમાધાન :- (ર) પરસ્પરસમાનાધિકરણ ધર્મની વિભાજ્યતાઅવચ્છેદક ધર્મમાંથી બાદબાકી કરનાર પરસ્પરઅસમાનાધિકરણત્વ' નામના વિશેષણને નયત્વવ્યાપ્ય વિભાજ્યતાઅવચ્છેદક ગુણધર્મમાંથી કાઢીને હેતુકોટિમાં દ્રવ્યાર્થિકત્વનો અને પર્યાયાર્થિકત્વનો પ્રવેશ કરવામાં આવે તો હેતુ વ્યર્થવિશેષણથી ઘટિત થવાની આપત્તિના લીધે તથાવિધ નવ નયનો વિભાગ દેખાડવો વ્યર્થ બની જશે. પ્રસ્તુતમાં આશય એ છે કે નયોનું વિભાજન કરનાર વાક્ય દ્વારા પ્રત્યેક નયમાં અન્ય નયોનો ભેદ સાધવામાં આવે છે. મતલબ કે ન વિભાગવાક્યથી દરેક નયની અન્ય નયોથી વ્યાવૃત્તિ = બાદબાકી = ભિન્નતા સિદ્ધ કરવી એ મુખ્ય પ્રયોજનરૂપે અભિપ્રેત છે. તો જ વિભક્ત પ્રત્યેક નયો સ્વતંત્રરૂપે સિદ્ધ થાય. તેથી આ પ્રયોજનની સિદ્ધિ માટે પ્રસ્તુતમાં “નૈગમન સ્વતરનયથી ભિન્ન છે. કારણ કે તે સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત - આ છ નયમાંથી કોઈ પણ નયના વિષયથી ભિન્ન વિષયોનું અવગાહન કરનાર છે' - આવો વ્યતિરેક અનુમાનપ્રયોગ કરવો જરૂરી બને છે. આવો અનુમાનપ્રયોગ કરવાથી જ સિદ્ધ થાય છે કે પદાર્થને જોવાની બાબતમાં નૈગમનયનો જે દૃષ્ટિકોણ છે તે સંગ્રહાદિ છ નયોના દ્રષ્ટિકોણથી અલગ છે. આ રીતે જુદા-જુદા નયોને પક્ષ બનાવીને અલગ-અલગ અનુમાનપ્રયોગ કરવાથી દરેક નય, અન્ય બધા જ નયોથી અલગ છે' - એવું સિદ્ધ થઈ જ જાય છે, તો પછી હેતુકોટિમાં જેની અપેક્ષા નથી તેવા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે નયોનો પ્રવેશ કરવો જરૂરી રહેતો નથી. તે બન્ને નયનો હેતુકોટિમાં = હેતુશરીરમાં ઘટકરૂપે પ્રવેશ કરવામાં આવે તો તે ઘટકીભૂત વિશેષણ વ્યર્થ હોવાથી વ્યાપ્યત્વઅસિદ્ધિ નામનો હેત્વાભાસ લાગુ પડશે. “પર્વતો વનિમા આવી પ્રતિજ્ઞાની સિદ્ધિ માટે “ધૂમ” ના બદલે “નીત્તધૂમ” આવો હેતુ બતાવવામાં આવે તો જેમ વ્યાપ્યત્વાસિદ્ધિ નામનો હેવાભાસ અનુમાનપ્રયોગમાં લાગુ પડે છે તેમ પ્રસ્તુતમાં દેવસેનને વ્યાપ્યત્વાસિદ્ધિ દોષની આપત્તિ આવશે. -- વ્યર્થવિશેષણઘટિત હેતુથી નિગ્રહસ્થાન આપત્તિ ના (તથા.) તથા વ્યર્થવિશેષણથી ઘટિત એવા હેતુનો પ્રયોગ કરવાથી પ્રતિવાદી દેવસેનજી પ્રસ્તુત સ્થળે અધિકોક્તિ સ્વરૂપ નિગ્રહસ્થાનથી તો જરૂર ઘેરાઈ જશે. કહેવાનો આશય એ છે કે ‘પૂર્વતો વનમાન
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy