SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ७५४ साधनासाफल्यसुनिश्चायका तृतीयनैगमः ० ६ /१० प इत्थं नयसापेक्षशास्त्राऽबाधितप्रतीत्या साधनासाफल्यसुनिश्चयं साधकः समवाप्नोति । ततश्च ___तत्राऽभ्रान्तविश्वासः सम्पद्यते । एवं वर्त्तमाननैगमनयोऽध्यात्ममार्गेऽत्यन्तमुपयुज्यते । ततश्च “यद्बोधा" ऽनन्तभागेऽपि द्रव्य-पर्यायसम्भृतम् । लोकाऽलोकं स्थितिं धत्ते स स्याल्लोकत्रयीगुरुः।।” (ज्ञा.३१/३४) इति म ज्ञानार्णवे श्रीशुभचन्द्राचार्येण दर्शितं परमात्मस्वरूपं झटिति प्राप्नुयात् प्रव्रजितः ।।६/१०।। ૪ સાધનાસાફલ્યનો સુનિશ્વય ૪ (ઘં.) આ રીતે નયસાપેક્ષ શાસ્ત્રઅબાધિત પ્રતીતિના માધ્યમથી સાધકને સાધનાની સાર્થકતાનો સમ્યફ નિશ્ચય થાય છે. આમ આધ્યાત્મિક સાધનાની સફળતા અંગે અભ્રાન્ત આત્મવિશ્વાસ પ્રગટાવવા , દ્વારા ત્રીજો નૈગમનય સાધક ઉપર મહાન ઉપકાર કરે છે. તેના લીધે જ્ઞાનાર્ણવમાં દેખાડેલ પરમાત્મસ્વરૂપને " મહામુનિ શીઘ્રતાથી સંપ્રાપ્ત કરે છે. ત્યાં શ્રી શુભચંદ્રાચાર્યજીએ જણાવેલ છે કે “જેમના કેવળજ્ઞાનના 2 અનંતમા ભાગ માત્રમાં પણ અનંત દ્રવ્ય-પર્યાયથી પરિપૂર્ણ એવો સમગ્ર લોક અને અલોક વ્યવસ્થિત છે, પ્રતિબિંબિત છે, તે પરમાત્મા જ ત્રણ લોકના ગુરુ છે.” (૬/૧૦) (લખી રાખો ડાયરીમાં....૪) • જાતનું સમર્પણ કરીને પણ ઘણું મેળવી લેવાનું, ભોગવી લેવાનું, નીચોવી લેવાનું વાસનાનું વલણ છે. બિનશરતી આત્મસમર્પણ કરવા તત્પર ઉપાસનાનું વલણ સ્વાર્થની દુર્ગધ વગરનું છે. ઘણી સાધના હઠીલી છે, પોતાનું ધાર્યું કરવા તત્પર છે. ધારણામુક્ત ઉપાસના આજ્ઞાંકિત છે. • સાધનાને બાહ્ય ક્રિયાના નિરીક્ષણની અભિલાષા છે. ઉપાસનાને આત્મ-સંશોધનની ઝંખના છે. • સાધનામાં ક્રિયાયોગની મુખ્યતા છે. દા.ત. પ્રતિમાધારી સાધુ ઉપાસનામાં ભક્તિયોગની મુખ્યતા છે. દા.ત. આનંદઘનજી.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy