SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૪ ० शुद्धप्रख्पक आचारविकलोऽपि पूज्य: । एवोक्तं तीर्थोद्गालिप्रकीर्णकेऽपि “जिणसासणभत्तिगतो वरतरमिह सीलविप्पहूणो वि। न य नियमपरो वि । નો નિસાસવિદિરમતો ” (તી..૨૨૦૪) તિર अयमत्राशयः - राजसदसि वादावसरे, राजाऽमात्यप्रभृतीनां स्याद्वादमयजिनोक्तमोक्षमार्गप्रति-स पादनकाले, तत्त्वज्ञजिज्ञासुपर्यनुयोगव्याकरणप्रसङ्गे, शिष्यादीनाम् अध्यापनादौ विनियोगे, अनुभूताऽ- म नेकान्तमयाऽध्यात्ममार्गपरिचयकृते च आगममर्मज्ञद्रव्यानुयोगज्ञाता एव उपयुज्यते, न तु ज्ञानशून्य है उग्रतपस्वी क्रियाजडो वा। जिनशासनप्रभावनाव्याजेन स्वकीयर्द्धिगारवाऽहङ्कार-मद-यश-कीर्त्यादिनिमग्नानाम् अनेकान्तमयजिनशासनबहिर्मुखमतीनाम् उग्रतपस्त्यागादिनिरतत्वेऽपि न महत्त्वमभिप्रेत-क माप्तशास्त्रकृताम् । दुराचाराऽकलङ्कितं ज्ञानं वीर्यान्तरायोदयेन क्रियाशून्यमपि वरम्, न तु ज्ञान-णि शून्या क्रियेति वक्ष्यते पञ्चदशशाखायां (१५/१/३-५) विस्तरेण । ___ अत एव ज्ञानाधिकस्य शुद्धप्ररूपकस्य आचारहीनस्य भक्तिः अपवादपदेन कर्तव्यतयोपदिष्टा । છે કે “ચારિત્રાચારમાં ખામીવાળા હોવા છતાં જિનશાસનની ભક્તિ-પ્રભાવના કરનારા સાધક સારા છે. પરંતુ જિનોક્ત આચારનું નિયમપૂર્વક પાલન કરવામાં પરાયણ એવો પણ જે સાધુ જિનશાસનના તત્ત્વનો નિશ્ચય ન હોવાથી જિનશાસનબાહ્યમતિવાળો હોય તો તે સારો નથી. આવા ક્રિયાકાંડીને ક્રિયાજડ સમજવા. (લયમ) (૧) અન્યદર્શની સામે રાજસભા વગેરેમાં વાદ કરવાનો હોય, (૨) રાજા-પ્રધાન-મંત્રી વગેરેને સ્યાદ્વાદમય પ્રભુમાર્ગ સમજાવવાનો હોય, (૩) કોઈ તત્ત્વજ્ઞ જિજ્ઞાસુના પ્રશ્નનો જવાબ આપવાનો હોય, (૪) શિષ્ય-પ્રશિષ્યોને ગંભીર ગ્રંથોના અધ્યાપન આદિમાં જોડવાના હોય, (૫) અનુભવના સ્તરે અનેકાન્તમય અધ્યાત્મમાર્ગનો પરિચય મેળવવો હોય તો તેવા અવસરે આગમમર્મજ્ઞ દ્રવ્યાનુયોગજ્ઞાતા છે મહાત્મા જ ઉપયોગી બની શકે, જ્ઞાનશૂન્ય તપસ્વી કે ક્રિયાજડ સાધક નહિ. ઉગ્ર તપસાધનાને કરવા છતાં જ્ઞાનોપાસના પ્રત્યે તદૃન ઉપેક્ષા ધારણ કરીને અનેકાન્તમય જિનશાસનથી બહિર્મુખમતિવાળા સાધકને ક્રિયાજડ તરીકે ઓળખવા. વિધિપૂર્વક, આશયશુદ્ધિપૂર્વક ધર્મક્રિયાને કરનારા જ્ઞાનાભ્યાસસાપેક્ષ સાધકોને ક્રિયાજડ ન કહેવાય. પરંતુ જિનશાસનની પ્રભાવનાના બહાને પોતાના ઋદ્ધિગારવ, અહંકાર, મદ, યશ, કીર્તિ વગેરેની લાલસાને જ પરિપુષ્ટ કરવાનું વલણ ધરાવવામાં ખૂંચી ગયેલા ઉપરોક્ત બહિર્મુખ બુદ્ધિવાળા સાધકનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રકારોએ આંકેલુ નથી. દુરાચારથી કલંકિત ન હોય તેવું જ્ઞાન કદાચ વીર્યાન્તરાય કર્મના ઉદયના લીધે ક્રિયાશૂન્ય હોય તો પણ સારું, નહિ કે જ્ઞાનશૂન્ય ક્રિયા. આ વાત ૧૫મી શાખામાં વિસ્તારથી જણાવવામાં આવશે. આ સંવિનાપાક્ષિકની ભક્તિ કર્તવ્ય : ધર્મદાસગણી છે (ત વ.) ક્રિયા કરતાં જ્ઞાન બળવાન હોવાથી જ “જ્ઞાનમાં અધિક એવા આચારહીન શુદ્ધધર્મોપદેશકની ભક્તિ અપવાદપદે કરવી જોઈએ' - એવું શાસ્ત્રોમાં બતાવેલ છે. તેથી જ ઉપદેશમાલા ગ્રંથમાં ધર્મદાસગણિવરે કહેલ છે કે “આચારમાં હીન છતાં પણ જ્ઞાનમાં ચઢિયાતા એવા સંવિગ્નપાક્ષિકની ભક્તિ 1. जिनशासनभक्तिगतः वरतरमिह शीलविप्रहीणोऽपि। न च नियमपरोऽपि जनो जिनशासनबाह्यमतिकः।।
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy