SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. વચનની આરાધના જોવાનું નહિ. સમજુ હોય તે છબીની કિંમત–સ્વરૂપ જોઈને કરે. તેનાથી આગળ વધેલ હોય તે ગુણષ વિચારીને કિંમત કરે. ધમની પરીક્ષા કેટલી રીતે થાય? ધર્મની પસક્ષા ત્રણ રીતે થાય : પરમેશ્વરનું સ્વરૂપ, શાંત મુદ્રા વગેરે જોવામાં આવેલી હોય તે તેની કિંમત કરે. જેમ છબીને દેખનારા ત્રણે છે. બાળક રંગને, મધ્યમબુદ્ધિ આકારને, સમજુ આકારના રહસ્યને સમજે છે. તેમ અહીં ધર્મને અંગે પણ જાણવું. કેટલાક ધર્મના રિવાજને દેખનારા, કેટલાક રીતિને દેખનારા તે કેટલાક તત્વને દેખનારા હોય છે, જેમ છબીમાં રંગ કા હાય, હાથ લગાડવાથી બગડી જતે હેય, તે પણ તે ઝગઝગતે હોય તે બચ્ચાંને ગમે. આ રંગ ટકાઉ છે કે નહિ? આ કાગળમાં કેમ? તે ન જુએ, તેમ બાળકે ધર્મની પરીક્ષા કરવા તૈયાર થાય તે કયી રીતિએ ? રિવાજ દેખવાથી. ચાલુ રિવાજને માત્ર દેખે તે “બાળક” મધ્યમબુદ્ધિ કાનું નામ? રીતિને તપાસે, અવારનવાર પ્રસંગ પડે, જે કરવાનું હોય તે કરે, તે દેખે. બુદ્ધિ કેનું નામ? તત્ત્વને પરખે તે. ધ્યાન રાખે કે ધર્મને સાંભળનારા આવા ત્રણ પ્રકારના હોય છે. ધર્મના રિવાજને દેખીને ધર્મમાં જોડાય કેટલાક નીતિ-રીતિ વિચારીને જોડાય; ને કેટલાક તત્ત્વને પારખીને પછી ધર્મમાં જોડાય. પરંતુ ખરી રીતે ફળની દશા કયાં? તત્ત્વની પરીક્ષા કરે ત્યાં. તત્વની પરીક્ષા એ ખરું રહસ્ય છે, વસ્તુ તત્વથી શું લેવાનું હોય જીવ, કર્મ ને મોક્ષ- જીવને કર્મ બંધાય છે. જીવ કર્મને રેકે છે, જીવ કર્મને તેડે છે, જીવ કર્મને સંપૂર્ણ નાશ કરે છે તે બધુંએ તપાસીને ગ્રહણ કરે. માટે કહ્યું- ગમત તુ સુધ:આગમતત્વની પરીક્ષા કરીને ધર્મ કરે. માટે જ કહ્યું કે વચનની આરાધના તે જ ધર્મ છે. જે અતીન્દ્રિય જ્ઞાની મહારાજે આત્માને સુધારવા માટે પોતે જે પ્રમાણે કર્યું તે પ્રમાણે જણાવ્યું.
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy