SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ છે વ્યા છે શું ખ્યા લિંગ, વિચાર ને તત્વ જાનવર એક ઘરના ગુલામ, આપણે અનેક ઘરના ગુલામ શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરિજી મ. ભવ્ય જીના ઉપકારને માટે પડશક પ્રકરણને રચતાં આગળ જણાવી ગયા કે બુધસ્તુ માર્ગાનુસારી યઃ” આ સંસારમાં અનાદિકાળની રખડપટ્ટી કરતાં કરતાં મનુષ્યભવની પ્રાપ્તિ થવી મુશ્કેલી હતી, છતાં તે પ્રાપ્ત થયે, પણ મુશ્કેલીઓ મળેલી ચીજને ઉપયોગ ન કરે તે તે મુશ્કેલી વેઠી નકામી. જેમાં એક મનુષ્ય દેડી દેડીને સ્ટેશને પહોંચી પ્લેટફેમ ઉપર બેસી રહે અને ટિકિટ ન લે, તે તેમાં તેની બુદ્ધિની ખામી ગણાય. તેમ આ મનુષ્યભવ મુશ્કેલીથી મળે છે અને જે તેને ઉપગ ન થાય તે મૂર્ખાઈ ગણાય ને! આ મનુષ્યભવમાં ખાનપાન, મજશેખ સર્વ થાય છે તે જ તેને ઉપયોગ છે ને ! એમ માનનારા ભૂલ ખાય છે, કારણ તમારે જોઈતા હતા વિષયે, તેણે તમને કબજામાં રાખ્યા. જેમ સ્ત્રીને અંગે મનુષ્ય ભરણપોષણની જવાબદારી ઉઠાવે ત્યારે વિષયવાસના તૃપ્ત કરે, એના કરતાં જાનવરને તે વિષયને અંગે જવાબદારી જ ન હતી, એટલે તેમાં તું હેત તે સારું. અહીં મનુષ્યમાં તે સ્ત્રી છોકરાની જવાબદારી વેઠવી પડે છે. શાના અંગે ? વિષયને અંગે. પણ જાનવરમાં હતા તે તે જવાબદારી ન ભેગવવી પડત. પણ વિધાતાએ ભૂલ કરી કે તને મનુષ્યપણામાં નાખે. રસનેન્દ્રિયના અંગે વિચારીએ તે મહેનત કરી પૈસા કમાવીએ પછી ખાવા પામીએ.પણ કીડી મંકેડામાં જન્મ્યા હતા તે વાંધે જ નહિ.
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy