SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ રર ત્રણ પ્રકારના જીવો ૨૭ શી ચીજ છે? તે દુકાને કાપડ માટે ઘરાક આવે. તે રાત્રિએ સ્વપ્નામાં તે આવે તે પણ તમે છાતી ઠેકીને એ જ બપોરને ભાવ કહે. અહીં ઘરાક નથી, કાપડ વેચવાનું નથી, છતાં તન્મયતા તેની છે. આપણને બેભાન અવસ્થામાં કે શૂન્ય ઉપયોગમાં પણ તીર્થકરના વચનને, આચારને કે ઉપદેશને કે શિક્ષાને ખ્યાલ આવે ત્યારે તે તન્મયતા કહેવાય. આ તન્મયતા થાય તે જ માલિકી મળે. પછી પિતાના આત્માના સંપૂર્ણ તત્વને ખ્યાલ આવે અને જ્યાં સુધી આત્માને ખ્યાલ ન આવે ત્યાં સુધી ઉત્તમ ગુરુઓની સેવા કરવી જ જોઈએ. અહીં તીર્થકર મહારાજના વાલીપણુંની વાત ચાલે છે. તેમાં સંપૂર્ણ જ્ઞાનવાળા તમે ન થાઓ ત્યાં સુધી તીર્થંકરના વાલીપણુંમાંથી તમે સ્વતંત્ર નહિ થાઓ. દુનિયાદારીમાં પણ એકવીસ વર્ષ સુધી વાલીપણુએ રહેવું જ પડે. હવે જે મનુષ્યો પિતાના આત્માનું જ્ઞાન મેળવે નહિ અને વાલીપણું પણ ન રાખે, ત્યાં શું થાય? તે તે જંગલપણામાં ખપે. મિલક્તની મરામત કે રક્ષણ ન હોય તે તે જંગલીપણાની સ્થિતિ ગણાય. તેમ અહીં આત્માની સ્થિતિને અંગે તીર્થકરના વાલીપણા વિના જંગલી તરીકે ગણાય. અહીં હવે એક જ માર્ગ એ છે, કે સર્વ જીવોએ તીર્થકર મહારાજરૂપી વાલના કબજામાં રહેવું, તે સિવાય તે જંગલપણની સ્થિતિ સમજવી. સગીરના ત્રણ પ્રકાર હવે બધા સગીરે એક અવસ્થાવાળા હોતા નથી. તાજે જન્મેલે હિય, દૂધ પીતે હેય, કોઈ વળી ધૂળમાં રમતું હોય, તેમ કઈ શિક્ષણવાળે હેય, તેમ અહીં શાસ્ત્રકારે પણ સગરના ભેદ પાડે છે. ષોડશકના કર્તા શ્રીમાન હરિભદ્રસૂરિજી જણાવે છે કે-બધા સગીરે સરખી રીતે રખાતા નથી. જેમ રબારી બધા બકરાઓને એક લાકડીએ ન જ હાંકે. જેવા ઢેરે હોય તેવી જ રીતે તે હકે. તેમ અહીં તીર્થકર મહારાજા એક લાકડીએ અનંતા જીવેને હાંકતા નથી. તેમ હાંકી પણ ન જ શકે માટે સગીરના ત્રણ પ્રકાર છે. જેમ દુનિયામાં બાળ,
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy