SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. ધર્મનું નિરૂપણ ૧૧૭ નરકનું આયુષ્ય બાંધ્યું કે નહિ? અને તે નરકમાં ગઈ કે નહિ તે તે જણાવને? મહાવીર મહારાજ કેવળજ્ઞાની હતા તે તેમને રોકી કેમ નહિ? છતાં રેવતી આવતી ચોવીસીમાં તીર્થંકર થશે ખરુંને? શાથી? તીર્થકર માટે કર્યું તેથી તમારે હિસાબે તે નરકમાં રખડીને તેને દમ નીકળી જ જોઈએ ને? પણ રેવતી તીર્થકર શાની? બીજા સાધુઓ અજાણતાને લાભ લઈ શકે. અહીં તેવું નથી, તે પછી તે કેમ ડૂબી નહિ? કહો કે ધર્મને માટે છે તેથી તે ડૂબી નહીં. કાકાકાકી, મામામામી વગેરેને માટે હોય તે તે વાત જુદી છે. આતે “મારે માટે તે પાક કર્યો છે. તે લેતાં રોક્યા કેમ? અને આવી રીતે રખડશે તેમ કહેવું હતું ને! હિંસા એ જ જે પાપ ગણવા જઈએ તે ક્ષીણહી થયા છતાં ક્રોડ સુધી રહે તે શું ? કેવળી થયા પછી ફૂલ વગેરે નાંખ્યાં. જેજન જન સુધી ભૂમિ સાફ કેમ દેવતાએ કરી હશે? તૃણ, ઘાસ વગેરે બધું કેમ કાઢી નાખ્યું હશે? વગેરે આ બધું કોના અંગે ? શું બૈરી છોકરાને અંગે ? વળી તમારી અપેક્ષાએ તે બધા નરકે જવા જોઈએ ને? ત્યારે ધર્મને અંગે કર્યું તેથી તે કર્યુંની દશામાં આવવાના. ભગવાન પોતે દક્ષિણ દિશાના નારકને નિષેધ કરે કે નહિ ? પાપસ્થાનકના શદને ઉચ્ચાર નથી. હિંસાને પાપ માન્યું પણ સ્થાનક માનવાનું હતું તે ન માન્યું. પાપસ્થાનક એટલે પાપનું રહેવું, સ્થાનકમાં તે કઈ હેય પણ ખરું કે ન પણ હોય. હિંસા વગેરે પાપના સ્થાનક કેમ? પરિણામ ઈન્દ્રિયની આસકિત અને કષાયના વેગના હોય તે બંધાવે, નહિ તે ન બંધાવે, માટે “સ્થાનક શબ્દ કહ્યો. - જીભને હાડકું નથી મૂળ વાતમાં આવે. ગની પ્રવૃત્તિ થવાથી અને આહારાદિથી કર્મ આવી ગયું તે પણ તેમાં ઈન્દ્રિય અને કષાયે ભળ્યા ન હોય તે તે કર્મ ટકી શકતું નથી. પણ જેમાં ભળ્યા હોય તે તે કર્મ ખસી શકતું નથી.
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy