SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ४४० [પંચસૂત્ર-૫ જાતના કર્મ આદિના ઉપદ્રવ વિનાના છે. કર્મ, કુસંસ્કાર, અને વિકૃતિના ઉપદ્રવથી પીડાતાને પરમાત્મા શી રીતે કહેવાય? પરમાત્મા પોતાના માટે સદાશિવ બનવા ઉપરાંત એમનામાં અનંત ગુણો વિકસ્વર થઈ જવાથી એ બીજા માટે પણ અશિવ ઉપદ્રવ દૂર કરે એવા મંગળનું ઘર બની જાય છે. એમનું નામસ્મરણ, સ્તુતિ, ધ્યાન, પ્રશંસા વગેરે કરતાં, એ સર્વવિકાર-સર્વઅશુદ્ધિથી રહિત હોવાને લીધે એમનું આલંબન મળ્યાથી શુભ અધ્યવસાયે અંતરાયે નષ્ટ થાય છે; ને એથી ઉપદ્રવ રહિત સ્થિતિ બને છે. માટે આલંબનભૂત સિદ્ધ પરમાત્મા એ મહામંગળ છે. વળી હવે કઈ કર્મ કે કાયારૂપ નિમિત્ત ન રહેવાથી, એ જન્મ-જરા-મરણ વિનાના બની ગયા છે. કહ્યું છે કે જેમ અત્યંત બળીને શેકાઈ ગયેલા બીજમાંથી કદી ય અંકુરે ફૂટતું નથી. તેમ કબીજ બળી ગયેથી સાંસારિક જન્મરૂપ અંકુર ફૂટતું નથી. એમણે અશુભને એકાન્ત (અત્યંત) ક્ષય કર્યો હોવાથી, અશુભના અનુબંધને યંગ્ય ભાવી બંધની પણ શક્તિ હવે રહી નથી. કહે કે બધા અશુભને એના ગાંસડા પિટલા સાથે વિદાય કર્યા છે. એથી જ આત્માએ અનંત તિમય અને અનંત આનંદમય પિતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. જીવ કર્મ રહિત એકાકી બળે, તેથી હવે એને ગમનાગમન વગેરે કઈ જાતની ક્રિયા કરવાની રહેતી નથી. પ્રવે-સમયે સમયે પલટાતા વિશ્વને જોવા જાણવાની ક્રિયા તે છે, તે અક્રિય શી રીતે ? ઉ૦ –અકિય એ રીતે, કે કાયા-વાણી-મન કશું જ એમને નથી, તેથી કાયા-વાણીથી તો શું પણ મનથીય વિચાર
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy