SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ પ્ર–અણુવ્રત લઈ લીધા એટલે ગુણ તે મળી ગયા, પછી આજ્ઞાના ગ્રાહક-ભાવક વગેરે થવાની શી જરૂર છે ? ઉ૦-ત્રતો માત્રથી બસ નથી. કેમકે દા. ત. બીજા અણુવ્રતથી એ જ ડું તો ટાળશે, પણ સાચું બોલીને મળેલા લાભમાં મહાલતા અચકાશે નહિ! અથવા, તેવા કેઈ પ્રસંગમાં દયાને ચૂકીને સાચું પકડી રાખશે ! પણ જે આજ્ઞા અર્થાત્ જિનવચનનું ગ્રહણ ચિંતન-મનન હશે તે ધર્મનાં મૂળભૂત તત્ત્વ દયા મૈત્રીભાવ વગેરેને આગળ કરીને જ ચાલશે. એમ જિનવચનના ચિંતન-મનનના અભાવે પરિગ્રહના પરિમાણને એલંઘશે નહિ, પરંતુ બાકી રહેલા પરિગ્રહમાં પિતે આનંદથી મશગુલ બનવામાં સંકેચ નહિ રાખે ! ત્યારે જીવને કહે કે “તારી એ વિરતિ શું કરે જે પરિગ્રહને મહત્ત્વ આપવાનું ઊભું છે ?” ત્રસની હિંસા નહિ કરે, પણ સ્થાવરની હિંસા નિર્ભયતાથી કરશે! અનીતિ ચોરી નહિ કરે, પરંતુ નીતિથી થતા પૌદ્ગલિક લાભમાં આસક્ત પૂરે બનવાનો! નીતિ, સત્ય અને અહિંસાથી મળતી સાંસારિક સગવડ-ઋદ્ધિમાં જે કંઈ આડે આવતું હશે તે તેના ઉપર ગુસ્સે થવાને, ઢષ થવાને !” આ બધા દેષ ટાળવા માટે આગ્રાનાં ગ્રહણ, ભાવન (આત્માને આજ્ઞાથી ભાવિત કરે તે) વગેરેની અતિ જરૂર છે. તેથી, વિરતિ લેવા ઉપરાંત, સાધકશ્રાવક આગમે બતાવેલા જીવ, કર્મ, વગેરે તને, સમ્યગવિધિ-વિધાનોનો, આચાર-વિચારેનો, હે પાદેયનો, સારે અભ્યાસી બને, હૃદયને એનાથી ભાવિત કરનારે ને એનું પાલન કરનારે બને, અર્થાત ભાવક બને, પાલક બને, અને પરતંત્ર બને. આજ્ઞાન ભાવન અને પરતંત્ર્ય માટે દેવગુરુનું વૈયાવચ્ચે
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy