SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ જઈને મુનિની ક્ષમા માંગે છે. પ્રશાંતમુનિ જરા પણ કેધ કે અરુચિ બતાવ્યા વિના એને પ્રત્સાહક ધર્મોપદેશ આપી મહાન ધર્માત્મા બનાવે છે. એમ, મુનિ ગંભીર આશય ગંભીરતાને લીધે અકાર્યોથી બચી જઈ મૃદુભાવને ટકાવી રાખે છે, ત્યાં અહંભાવ અને ગર્વને પણ ઉકળાટ ક્યાંથી ઉભા જ થઈ શકે? જગતની કર્મભનિત આપતુ-સંપતની મહાન વિચિત્ર ઘટનાઓ આ સાગર-ગંભીર ચિત્તને ન ડહાળી શકે. વિસ્મય ન પમાડી શકે; તુચ્છ વિચારાદિમાં ન તાણી શકે કિન્તુ ઉલટ એ ઘટનાઓ એવા ગંભીર ચિત્તમાં શાંત પણે સમાઈ જઈને તાવિક વિચારણાને વેગ આપી આત્માને વધુ ઓજસ્વી બનાવે છે. તેથી આત્મામાં કષાયની લાગણીઓ-પરિણતિઓ કે વિષયની તુચ્છ વિચારણ-ગણત્રીએ જન્મતી નથી. આ સાધુ ભગવંતે વળી “સાવજગવિચા' સાવધ ગથી વિરામ પામેલા છે. સાવદ્ય એટલે પાપ. પાપવાળે વ્યાપાર. તે સાવદ્ય વ્યાપાર કરવારૂપ, કરાવવારૂપ, અને કઈ કરે તેમાં અનુમતિરૂપ, એમ ત્રણ પ્રકારે હોય. સાવધ વ્યાપાર તે સાંસરિક કથલે છે, ઘર, કુટુંબ અને આરંભ પરિગ્રહની રામાયણરૂપ છે, એનાથી સાધુ ભગવંતે સર્વથા ફારેગ થયેલા છે, એટલે ષકાય જીવના સંહારમય કે મેહ-મૂઢતામય એ હિંસાદિ પાપ વ્યાપારે હવે નથી તે એમને સ્વયં કરવાના, કે નથી બીજા પાસે કરાવવાના; એટલું જ નહિ પણ બીજા કરે તેમાં પોતાની ખુશી, ભાગ કે સમ્મતિ સરખી પણ નહિ. આમની પાસેથી આપણું સાવઘ કાર્યમાં સંમતિની પણ આશા ન રખાય, તે સાવદ્ય કરાવવાની વાત જ ક્યાં ?
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy