SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર ગુણનું લેબલ લગાડે; હેય પ્રમાદી અવસ્થા, તથા ધર્મ પ્રત્યે અને આત્મહિત પ્રત્યે બેપરવાહી, ને પાછો તે ઉપર લેબલ મારે સાવધાનીનું આત્મ-જાગૃતિનું ! ગુરુ ઘણું કહે, પણ અભિમાન એને અન્ય વસ્તુ સમજવા જ ન દે. હેય અલ્પ જ્ઞાન અને જાણે પિતાને જ્ઞાનનો મહાસાગર માને ! આવાને આત્મદેષના સ્પષ્ટીકરણની, પિતાની અધમ દશાના ખ્યાલની, કે ત્યાગ-વૈરાગ્યની વાત પણ ન સ્પશે. કેમકે મહિના ઘરનું હુંપદ છે. જાગૃતિ નથી. આ ઘોર નિદ્રા છે. અહંભાવને ખોટે ખ્યાલ છે. તેને “અનંતજ્ઞાની આગળ હું કાંઈ વિસાતમાં નથી ” એ સમજવા નથી દેતે. હેય કૃપણુતા દેષ, પણ કરકસર ગુણ માને. હાય ખરાબ ગુસ્સપણ માને પ્રશસ્ત ઠેષ ! “હું તે હિતનુ કહું છું, હિત માટે કરું છું” એમ માને, આ ઘમંડ છે. ઘમંડ એ છે થાય તે ગુણ સમજે, ને અવગુણ કાઢવા કેશિષ થાય, તથા ગુણકારી વસ્તુના સંપર્કથી ગુણનું ગ્રહણ કરાય. અહંભાવ ને કુમતિ જાય તે આત્માનું સ્વરૂપ સમજાય, ગુણદોષનો વિવેક થાય, દેષ ઉપર ગુણનું લેબલ ન લગાવાય; સમજે કે “પુણ્ય જાગ્રત હશે તે દેષ પણ ગુણમાં ખપશે ખરા, પણ દેષ તે દેષ જ. ગુણ તરીકે દેષનું સેવન મહાભયંકર પરિણામ લાવશે. એ અહંભાવ છોડી સર્વજ્ઞનું ઉપશમ-વિરાગકારી શાસન સેવે તે જ દેષની પિછાણુ અને નિકાલ થાય. બહાર પ્રત્યેના ઉઘાડા ડોળાથી તે બહારની આળપંપાળ વધશે, અને દે ગુણ નહિ થાય. જીવને કહો કે બચાવ તરીકે આગળ ધરેલા અને પોષેલા દેષ નહિ તજે તે ભારે થઈ પડશે. સમજ સમજ, વીતરાગનું શાસન છેડી, મેહના જેરે જગતની શાબાશીની ઘેલછા પાછળ, મન કલ્પિત ખોટા
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy