SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ જેમજ બે હાથ બે પગવાળે છતાં ધણી છે” એવી ખબર પડી કે રત્નાદિએ છલકાતી નવ્વાણું પિટી કથીરની લાગી. ખામીવાળી આ પુણ્યાઈ ન જોઈએ.” ઋદ્ધિને છોડી, સ્ત્રીઓને છોડી, વહાલી માતાને છેડી, વીતરાગ પ્રભુ મહાવીર ભગવાનનાં ચરણ પકડયાં, ચારિત્ર લીધું, અને તર્યા. પ્રશસ્ત રાગ તારે, અપ્રશસ્ત રાગ મારે. (૩૫) રાગ કરતાં દ્વેષ ખરાબ લાગે છે, પણ વસ્તુતઃ ‘ષ કરતાં રાગ ભયંકર છે. રાગ આત્મામાં વસ્તુ પ્રત્યે આકર્ષણને ભાવ પેદા કરે છે, આત્માને ખેંચે છે; જ્યારે, ઠેષ આત્માને વસ્તુથી દૂર ખસેડે છે. આમ અનેક દૃષ્ટિથી રાગ એ દ્વિષ કરતાં ખૂબજ બળીઓ અને મહાન અનર્થકારી છે, તેમજ એમાં બીજા દૂષણે બલાતુ પોષાય છે. માટે રાગ કાઢો એટલે બીજા દે તે ગયા જ. એટલે અહીં “વીતરાગ” એવું વિશેષણ કહ્યું. રંગે તે રાગ, આત્મા જેનાથી રંગાય છે તે રાગ. આત્માને વસ્તુ પ્રત્યેના આકર્ષણના રંગથી રંગે છે માટે તે રાગ, દ્વેષ, વિષ ધાતુ-“અપસંદ પડવું, અઠીક લાગવું, અણગમે કરો” એના પરથી બન્યા. વીતરાગ એટલે જેને ઈષ્ટ તરફ આકર્ષણ નથી, અને એજ વીતષ છે, તેથી અનિષ્ટ પ્રત્યે અપ્રીતિ-અનાદરને ભાવ મુદ્દલ નથી. અર્થાત્ જેને ઈષ્ટ અને અનિષ્ટ ઉપરથી આદર અને અણગમો ચાલ્યો ગયો છે તે વીતરાગ. મોહની વિશેષ ભયાનકતા:-એજ વીતમાહ છે, એટલે મેહ વિનાના છે. મેહ એટલે અજ્ઞાન, મિથ્યાજ્ઞાન, વિપર્યાસ, મૂહતા. મિથ્યાત્વ, દુરાગ્રહ, અસત્ યુગ્રહ વગેરે. રાગ, દ્વેષ બે મહાન ડાકુ આત્માને કબજે કરી આત્માના અસલી પિતાના
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy