SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧) જીવનના મહાન દોષને પિષક રાગ છે. (૩૨) વિવેકી પાસે પણ અવિવેકનાં કૃત્ય રાગ કરાવે છે. (૩૩) બળિયે ય જીવ રાગ પાસે માયકાંગલે. (૩૪) દુઃખની હોળી સળગાવનાર રાગ છે,માટે દુન્યવી ફરજોનું માપ રાગાંધ થઈને ન કાઢવું. આશ્રિતનું પિષણ વગેરે કરવામાં રાગાંધ ન થવું. રાગ એ છે થશે તે ગેરવ્યાજબી જરૂરિયાત આપોઆપ ઓછી થશે. રાગ છે ત્યાં સુધીજ હિંસાદિનાં પાપ છે. રાગ બે જાતના છે; ૧ પ્રશસ્ત, ૨ અપ્રશસ્ત, પ્રશસ્ત રાગ બંધનકર્તા નથી, બંધનથી છોડાવનાર છે. પ્રશસ્ત રાગ એ ઔષધની જેમ અપ્રશસ્ત રાગથી છોડાવે છે. પ્રશસ્ત રાગ એટલે દેવ-ગુરુ-ધર્મ પર રાગ, સમ્યફશાસ્ત્ર, તીર્થ, પર્વ, ધર્મક્ષેત્ર, આત્મગુણ વગેરે પર રાગ; તેથી પાપને બંધ થતો નથી. ટી આશંસા દુન્યવી રાગ પાપને બંધ કરાવે. પ્રશસ્ત રાગ તે અપ્રશસ્ત રાગને નબળા પાડે છે. પ્રશસ્તામાં ધર્મ લેશ્યા છે. ધર્મની લેગ્યા ધર્મને અનુરાગ કરાવે. ધર્મરાગ એટલે ધર્મની વેશ્યાવાળે રાગ. એ પાપને કાપી આત્માને વિકાસ સાધે. અપ્રશસ્ત રાગ એટલે પાપની લેશ્યાવાળે રાગ. એ પ્રશસ્તને દેખાવ કરે તેથી પ્રશસ્ત ન થાય. જાતને ગુડ હાય, પણ શાહુકારના કપડાં પહેરી લે, તેથી શાહુકારમાં ન ખપે. ગુંડાગીરીની દિશા ફેરવે, ધધ ફેરવે, વૃત્તિ પલટે, તે લોકે વિશ્વાસ કરે. દીકરા ઉપર, સ્ત્રી ઉપર પ્રશસ્ત રાગ ત્યારે કહેવાય, જ્યારે નેહરાગ અને કામરાગ જતે કરી શુદ્ધ સાધમને અને મોક્ષ-કુટુંબને જ નીતરત રાગ આવે. સાધુ ઉપર પણ અપ્રશસ્ત રાગ સારે નહિ. “આ સાધુ વાસક્ષેપ સારે નાખે છે, ફાયદે થાય તે, વગેરે તે અશુભ
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy