SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ એગણત્રીસમું ] સદ્ધ દેશના-વિભાગ બીજે । વ્યાખ્યાન ૨૯ ૫૧ અનંતા જન્મમાં મેળવ્યું શું? શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્યજીવેાના ઉપકારને માટે ષોડશક પ્રકરણની રચના કરતા થકા આગળ સૂચવી ગયા કેઆ સંસારમાં આ જીવ અનાદિકાલથી રખડ્યા કરે છે, એ રખડપટ્ટીને જેને ભાસ થાય તેને જ માર્ગમાં આવવાનું અને. જ્યાં સુધી આ આત્મા રખડપટ્ટી કરે છે એવા ભાસ ન થાય ત્યાં સુધી દરેક જીવા જિંદગીમાં જહેમત ઉઠાવીને જર જોરૂ જમીન વિગેરે ભેગુ કરે છે અને જિંદગીને છેડે મૂકીને ચાલતા થાય છે, તેથી સરવાળા શૂન્યમાં આવે છે. જગતમાં જેને સરવાળે સરવૈયામાં શૂન્ય નીકળે તે વેપાર ન કરે. પણ આ જીવ તે અન ંતા જન્મથી સરવાળે શૂન્યના વેપાર કરતા આવ્યે. જેને આવી રખડપટ્ટીના ખ્યાલ નથી. દરેક ભવમાં આ જીવ કંચનાદિ બહારની અને અંદરની અપેક્ષાએ અહારાદિની તાકાત મેળવે છે તેા પણ સરવાળે શૂન્ય આવે છે. આવાં સરવૈયાં જેમાં નીકળે તેવા વેપાર કરતા આવ્યા. નાના બચ્ચા જો એક બેવષ નાપાસ થાય તે મુંઝાય અને જ્યાં ત્રણ વ નાપાસ થાય તે મરવા તૈયાર થાય, તેમ આપણી અનતા જન્માની મહેનત નિષ્ફલ ગઈ પણ તેના વિચાર આવતા નથી. કેમ ? તે દરેક જન્મમાં શું કર્યુ તે વિચારે! न सा जाइ, न सा जोणी न तं ठाणं न तं कुलं । न जाया न मया जत्थ सव्वे जीवा अणंतसा ॥ २३ ॥ तं किपि नत्थि ठाणं, लाए वालग्गकोडिमित्तंपि । સ્થાન નીવા વધુ મુદ્દતુલવવા વત્તા ॥૨૪॥ (વાયરાત૪) લેકમાં વાળે ફસાય એવા એક પ્રદેશ નથી કે જ્યાં દરેક જીવા અનતી વખત જન્મ્યા મર્યા ન હેાય એવું કેાઈ સ્થાન નથી. આપણા જન્મ અને મરણા કેટલા થયા ?
SR No.022335
Book TitleShodashak Prakaran
Original Sutra AuthorN/A
AuthorChandansagar, Saubhagyasagar
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1957
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy