SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ પડષક પ્રકરણ વ્યાખ્યાન શતાદિની પરાકાણા. શાંતાદિ બીજા લોકોએ માની તે માત્ર શ્રેતાના માથે ભાર રાખે છે. ધર્મ શાંતાદિમાં નહિ, ગુરૂ શાંતાદિમાં નહિ, દેવ શાંતાદિમાં નહિ પણ માત્ર શાંતાદિ કહેવાને સાંભળવામાં રાખ્યું છે. શાંતાદિ ત્રણેને સાચે અમલ કર્યો હોય તે તીર્થકરે. જે જન્મની સાથે મેરૂ કંપાવનાર, ને દીક્ષાને દહાડે ગોવાળીયાના ઉપસર્ગને સહન કરનારા. તે કયારે બન્યું? શાંતિની પરાકાષ્ટા કહે. “ સર્વ શક્તિ હોય ને સહન કરવું. તેની કિંમત કેટલી ? બીજુ શાંતિની પરાકાષ્ટા કેટલી? દાંતાદિની પરાકાષ્ટા કેટલી ? આત્મા અને શરીર જુદાં છે તે કરી બતાવનાર કોણ? દરેક મતવાળાએ કહ્યું કે-યુગલ જડ છે. આત્મા ચેતન સ્વરૂપ. આત્મા ને પુદ્ગલ સ્વરૂપે જુદા છે. તે કયા આસ્તિકે નથી માન્યું? શરીર આત્માને એક માને તે તેને ખોટું જ્ઞાન માન્યું. શરીર આત્મા બંને જુદા છે તે જણાવ્યા. પ્રસંગ આવ્યું–નાના છોકરા એકઠા થાય ગેષ્ટિ કરે ને વાતમાં કહે કે મરી જઈશ તે પણ નહિ કહું! પરંતુ તે કહેવાનું માત્ર, પણ જ્યાં એક ધેલ પડે ત્યાં એક વાત નહિ કહેવાની પણ એકવીશ કહી દે, તેવી રીતે અહિં આગળ દરેક મતવાળાએ શરીર આત્મા જુદા છે, આત્મા ચેતન અને શરીર જડ છે એવું દરેક મતવાળાએ માન્યું છે. પ્રસંગ આવ્યે તે ઈશ્વરે હડિયે કાઢી. જ્યાં મહાદેવ ઉપર ભસ્માસુરે કંકણ મૂકવા મડયું ત્યાં તે મહાદેવ ત્યાંથી દેડીને બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માજીએ પેલાને કહ્યું કે–ભલે આવ્યા. શરીર આત્મા જુદા માનનારને ભાગવાનું શું કામ? તે બાબત શરીરને કે આત્માને. આ તે આત્મા શરીર જુદા તે કહેવાના. અહિં આગળ ભસ્માસુર હાથ મૂકવા ગયા ત્યાં દોડાદોડ કરી. અહિં વટેમાર્ગુએ અગ્નિ સળગા ઢીંચણ સુધી બન્યા છતાં અસ્યા નહિ. કહે શરીર આત્મા જુદા છે તે કોને કરી દેખાડ્યા.
SR No.022335
Book TitleShodashak Prakaran
Original Sutra AuthorN/A
AuthorChandansagar, Saubhagyasagar
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1957
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy