SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશક પ્રકરણ [ વ્યાખ્યાન સર્વમતવાળા-દર્શનવાળા આસ્તિકો પરસ્પર દેવની વ્યક્તિઓ ગુરૂવ્યક્તિઓ અને ધર્મની વ્યક્તિઓને અંગે મતભેદવાળા છે. પણ દેવગુરૂધર્મપણાના અંગે કઈ પણ ભેદવાળા નથી. દરેક આસ્તિકે દેવગુરૂધર્મને માનવાને તિયાર છે. કેઈ આસ્તિક પિતાને હું પરમેશ્વર–ગુરૂ-ધર્મને નથી માનતે તેમ કહેવા તૈિયાર નથી; દરેક આસ્તિકે દેવાદિ માનવા તૈયાર છે. તેઓ દેવાદિને માને છે, પણ તેના આધારે! તે પિતે અનુભવથી કે અનુભવીના વચન દ્વારા માને છે. કેઈને પોતાના દેવ પ્રત્યક્ષ નથી જેનેતોને મહાન ઉપાધિ, કેમ? જૈનેતરને દેવ સૃષ્ટિના સર્જનહાર તરીકે માનવાના હોય. શૈવ શિવને, વિષ્ણુ વિષ્ણુને દેવ તરીકે માનવા તૈયાર છે. એક વખત જૈને કહે કે તમે બધા સૃષ્ટિના સર્જનહારનું નકકી કરી આ ! પછી મનાવવા તૈયાર થાવ. ઈશ્વરની સત્તા સામે બંડખે છે, બધા એક મુદાના થઈને આવે ! કે સૃષ્ટિના સર્જનહારી? ઈશ્વરને કર્તા જૈને તે માનતા નથી ને ? ના. આ બધું દુનિઆનું તે કુદરતિ પુદ્ગલના સ્વભાવનું છે, ઈશ્વરે નહિ પેદા કરેલી જાત તે પોતે પેદા કરી લે છે. ખચ્ચરની જાત મનુષ્ય કરી કે બીજાએ? ઘેડ ઘેડીને ઉંચી કરી, આંબામાં કલમ, ફલાણું ઝાડમાં ફલાણું તે કેને કર્યુ? સ્વાભાવિક કે આપણું ઉદ્યમનું. સૃષ્ટિના સર્જનમાં કિંમત ગણે તે કતરીઓ ભુંડણીઓની કિંમત વધારે ગણવી. તે જેટલા સજે છે પેદા કરે છે તેટલા બીજા નથી સર્જતા–પેદા કરતા. જેને સૃષ્ટિના સર્જનને સ્વાભાવિક માને છે. લુણની, લેઢાની, પત્થરની, કેલસાની અને અબરખની ખાણમાં પડેલ કચરે અમુક વર્ષે લુણપણે, પત્થરપણે, કેલસા પણે, અબરખ પણ થાય છે. જેઓ સ્વભાવિક સર્જન ન માને તેને ઈશ્વરની ડગલે પગલે ગુલામી માનવી પડે છે. મનુષ્ય લીંબડી વાવી એટલે એનેઈશ્વરને આખે લીંબડે બનાવવું જોઈએ. બીજ વાવે તેમાં આખું ઝાડ કરવામાં ઈશ્વર બંધાયે.
SR No.022335
Book TitleShodashak Prakaran
Original Sutra AuthorN/A
AuthorChandansagar, Saubhagyasagar
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1957
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy