SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ જીવ-તત્ત્વ ૧૪૩ કરી પછી એ છ બોલ અનંતા પ્રક્ષેપીએ, તે આ પ્રકારે–(૧) સર્વ સિદ્ધ, (૨) સર્વ સૂક્ષ્મ બાદર નિગોદના જીવ, (૩) સર્વવનસ્પતિના જીવ, (૪) ત્રણેય કાલના સમય, (૫) સર્વપુલ (૬) સર્વ લોકાલોકાકાશ પ્રદેશ. એમ બોલ છ પ્રક્ષેપી સર્વરાશિના ત્રિવર્ગ કરીએ, જે રાશિ થાય તે પણ ઉત્કૃષ્ટ અનંત અનંતા ન થાય ત્યારે પછી કેવળજ્ઞાન દર્શનના પર્યાય પ્રક્ષેપીએ, એમ કરીને ઉત્કૃષ્ટ અનંત અનંતા નીપજે, આ ઉપરાંત વધુ વસ્તુ નથી. એ રીતે એકેક આચાર્યના મતને વિષે જણાવ્યું, અને શ્રીસૂત્રના અભિપ્રાયથી જોકે ઉત્કૃષ્ટ અનંતા અનંતા નથી, તત્ત્વ કેવલી જાણે, ઇતિ અનુયોગદ્વાર (સૂ. ૧૪૬)ની વૃત્તિના વાક્યના આધારે અહીં અમે લખેલ છે (૬૨) મધ્યમ અનંત અનંતામાં જે-જે પદાર્થ છે તેનું યંત્ર- દ્રવ્યથી ૧ | સમ્યક્તના પ્રતિપાતિથી લઈને સર્વ જીવ તથા બેપ્રદેશી ઢંધથી લઈને સર્વ પુદ્ગલ મધ્યમઅનંત અનંતામાં જાણવા. ક્ષેત્રથી ર. આહારક શરીર વિખેરાવાથી જેટલા સ્કંધ થાય તેને “મુશ્કેલગા' કહેવાય, તે અનંત સ્કંધ છે, તેમાં જેટલા ક્ષેત્ર સ્પર્શે ત્યાંથી લઈને સર્વ આકાશના પ્રદેશ એ સર્વ મધ્યમ અનંત અનંતામાં જાણવા. કાલથી ૩. અર્ધ પગલપરાવર્તથી લઈને ત્રણેય કાલના સમય એ સર્વ મધ્યમ અનંત અનંતા જાણવા. ભાવથી ૪ | સૂક્ષ્મ અપર્યાપ્ત નિગોદ જીવના જઘન્ય અજ્ઞાનના પર્યાય ત્યાંથી લઈને કેવલજ્ઞાનના પર્યાય એ સર્વ મધ્યમ અનંત અનંતા જાણવા. હવે જંબુદ્વીપના ઉપરી ટોચથી શિખા ચઢે તેની આમ્નાય લખે છે–ગોમ્મદસાર નામના દિગંબરીય ગ્રંથમાંથીदोहा-धान तीन है सुकओ, बादरनीका जोइं । नौ ९ दस १० ग्यारह ११ भाग, इह जो परिधिका होइ ॥१॥ वेधक कहीये पुंजको, तासो करि गुणकार । परिधि छठे भाग कृति, घन फल कह्यौ निहार ।।२।। (૬૩) સ્વરૂપયંત્ર સકે ધાન્ય ઘઉં આદિ બાદર ધાન્ય ચણા આદિ નીકા ધાન્ય સરસવ આદિ પરિધિ ૯ પરિધિ ૧૦ પરિધિ ૧૧ ૩ એ ઘનફળ ૭ એ ઘનફળ એ ઘનફળ
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy