SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ 'અનિત્ય ભાવના માટે સંપત્તિ પ્રત્યેના મમત્વ ભાવને પણ છોડવાનો છે. પૈસો કેવો ગમે છે? જલ્દી છોડવાનું મન થાય ખરું એ વાત ખરી કે પૈસો મળે છે પુણ્યોદય થી પણ એટલી જ એ વાત પણ સાચી છે કે પૈસો ગમે છે પાપોદચથી.” તમે ગત જન્મમાં કરેલ પુણ્ય-આરાધના તેમજ તપ-ત્યાગના પ્રભાવે સંપત્તિ મળી છે એની ના નહિ પણ જો એમાં આસક્ત બન્યા તો મર્યાસમજજો. એકમમ્મીએ નાનકડા પિન્કને કહ્યું કે બેટા, લે આ પૈસાને બજારમાંથી ૫૦૦ ગ્રામ શાકભાજી લઈ આવ. પણ તોફાની પિન્ક હા-ના કરે છે. મમ્મી કહે કે લે બકા.. આટલું કામ કર તને એક સરસ ચોકલેટ આપીશ. ચોકલેટનું નામ પડતાં જ પિન્ક એ હોંશે હોંશે કામ પતાવ્યું. મમ્મીએ ચોકલેટ આપી અને નાનકડા પિન્કએ એનું રેપર ખોલ્યુ ને જેવી મોઢામાં મૂકી કે મમ્મીએ એક લાફો ઠોકી દીધો. પિન્ક ગાલ પંપાળતો પંપાળતો લાચાર બની મમ્મી સામે જોઈ રહ્યો. મમ્મી કહે કે તે કામ કર્યું તે બદલામાં ચોકલેટ તને આપી છે. તે કામ કર્યું તે સાચું ચોકલેટ મળી તે પણ સાચું પણ તારે ચોકલેટ ખાવાની નહિ જો ખાઈશ તો લાફો પણ ખાવો પડશે. આવી મમ્મીને તમે કેવી કહેશો, બોલો તો ખરા... તમારી ભાષામાં શું કહેશો...! સારી કે ખરાબ. કામના બદલામાં શું મળ્યું? લાફો ને.! સાભાઃ અમે તો આવી મમ્મીને ખરાબ ગણીએ. બસ ત્યારે કર્મ રાજા પણ આ મમ્મી જેવા જ નઠોર કઠોર છે. આપણે હોંશે હોંશે પણ ભોગવ્યું તો ગયા કામસે. બ્રહ્મદત્ત ચક્રવર્તિને છ ખંડ પુણ્યોદયે મળ્યા પણ આસક્ત થઈને ભોગવ્યા તો કર્મરાજાએ સાતમી નરકમાં ફેંકી દીધા. માટે વૈભવ સંપત્તિ પ્રત્યે અનિત્યતા કેળવવાની છે. નાશવંત પદાર્થો જ્યારે નાશ પામે ત્યારે જો અનિત્યભાવના ભાવી હોય તો ખેદનો પ્રસંગ ન આવે. “તુટનારું તટે, કુટનાર છે. ખુટનાર ખૂટે, એમાં તું શું કામ માથા ઉ” નાશવંત પદાર્થોની નિયતિ જ એ છે કે નાશ પામવું. માટે એ પદાર્થોના નાશ થયે છતે ખેદ કરવો નહિ.
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy